આ રાજ્યમાં ભાજપને ઝટકો, વધુ એક ધારાસભ્યએ આપી દીધું રાજીનામું

ત્રિપુરામાં આગામી થોડા મહિનાઓમાં વિધાનસભાની ચૂંટણી થવા જઇ રહી છે અને આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP)ને ઝટકા પર ઝટકા મળી રહ્યા છે. બુધવારે પાર્ટીના ધારાસભ્ય દીબચંદ્ર હરંગખવાલે ત્રિપુરા વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું છે, આ વર્ષે રાજ્યમાં સત્તાધારી ગઠબંધનમાંથી રાજીનામું આપનારા તેઓ સાતમા ધારાસભ્ય બની ગયા છે. દીબચંદ્ર હરંગખવાલ ધોલાઇના કરમછેડાથી આદિવાસી ધારાસભ્ય છે અને તેમણે પોતાના રાજીનામાનું કારણ અંગત બતાવ્યું છે. તેમણે આ પગલું વિધાનસભાની ચૂંટણીથી થોડા મહિના અગાઉ ઉઠાવ્યું છે.

રાજીનામું આપ્યા બાદ દીબચંદ્ર હરંગખવાલે કહ્યું હતું કે, મેં ધારાસભ્ય પદ પરથી રાજીનામું વિધાનસભા સચિવને સોંપી દીધું છે કેમ કે વિધાનસભા અધ્યક્ષ રત્ન ચક્રવર્તી ઉપસ્થિત નહોતા, મેં અંગત કારણોથી રાજીનામું આપ્યું છે. દીબચંદ્ર હરંગખવાલ પહેલા ત્રિપુરા કોંગ્રેસના અધ્યક્ષ હતા અને વર્ષ 2018માં થયેલી વિધાનસભાની ચૂંટણીથી બરાબર પહેલા ભાજપમાં સામેલ થઇ ગયા હતા. તેમણે કહ્યું હતું કે, મારે આગામી પગલાંને લઇને નિર્ણય લેવાનો છે, પરંતુ નિશ્ચિત રૂપે હું રાજનીતિમાં રહીશ કેમ કે હું રાજનૈતિક વ્યક્તિ છું.

દીબચંદ્ર હરંગખવાલ રાજ્યમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા આશિષ કુમાર સાહા સાથે વિધાનસભા પહોંચ્યા હતા. આશિષ કુમાર સાહાએ આ વર્ષની શરૂઆતમાં ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. તેની સાથે જ ભાજપે આ વર્ષે પોતાના ચોથા ધારાસભ્યને ગુમાવી દીધા છે. આશિષ કુમાર સાહા સિવાય સુદીપ રૉય બર્મન અને બુરબો મોહને પણ આ વર્ષે વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું હતું. સૂરમાથી ધારાસભ્ય આશિષ દાસ વિધાનસભા સભ્ય માટે અયોગ્ય કરાર આપવામાં આવ્યા હતા.

તો સરકારમાં ભાજપની ભાગીદાર ઇન્ડિજિનસ પીપલ્સ ફ્રંટ ઓફ ત્રિપુરા (IPFT)ના 3 ધારાસભ્યો ધનંજય ત્રિપુરા, બ્રૃષકેતુ દેબબર્મા અને માવેર કુમાર જામતિયાએ પણ રાજીનામું આપી દીધું હતું. દીબચંદ્ર હરંગખવાલના રાજીનામાં પર પ્રતિક્રિયા આપતા ભાજપના પ્રવક્તા સુબ્રતા ચક્રવર્તીએ જણાવ્યું કે, દીબચંદ્ર હરંગખવાલ લાંબા સમયથી બીમાર છે અને પોતાના કર્તવ્યોનું નિર્વહન કરી શકતા નહોતા. તેની અસર વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીની સંભાવનાઓ પર નહીં પડે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2018ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ જીત હાંસલ કરી હતી અને લાંબા સમયથી ત્રિપુરામાં ચાલતી આવી રહેલી વામ સરકારને ઉખેડી ફેકી હતી.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.