આ રાજ્યમાં ભાજપને ઝટકો, વધુ એક ધારાસભ્યએ આપી દીધું રાજીનામું

ત્રિપુરામાં આગામી થોડા મહિનાઓમાં વિધાનસભાની ચૂંટણી થવા જઇ રહી છે અને આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP)ને ઝટકા પર ઝટકા મળી રહ્યા છે. બુધવારે પાર્ટીના ધારાસભ્ય દીબચંદ્ર હરંગખવાલે ત્રિપુરા વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું છે, આ વર્ષે રાજ્યમાં સત્તાધારી ગઠબંધનમાંથી રાજીનામું આપનારા તેઓ સાતમા ધારાસભ્ય બની ગયા છે. દીબચંદ્ર હરંગખવાલ ધોલાઇના કરમછેડાથી આદિવાસી ધારાસભ્ય છે અને તેમણે પોતાના રાજીનામાનું કારણ અંગત બતાવ્યું છે. તેમણે આ પગલું વિધાનસભાની ચૂંટણીથી થોડા મહિના અગાઉ ઉઠાવ્યું છે.

રાજીનામું આપ્યા બાદ દીબચંદ્ર હરંગખવાલે કહ્યું હતું કે, મેં ધારાસભ્ય પદ પરથી રાજીનામું વિધાનસભા સચિવને સોંપી દીધું છે કેમ કે વિધાનસભા અધ્યક્ષ રત્ન ચક્રવર્તી ઉપસ્થિત નહોતા, મેં અંગત કારણોથી રાજીનામું આપ્યું છે. દીબચંદ્ર હરંગખવાલ પહેલા ત્રિપુરા કોંગ્રેસના અધ્યક્ષ હતા અને વર્ષ 2018માં થયેલી વિધાનસભાની ચૂંટણીથી બરાબર પહેલા ભાજપમાં સામેલ થઇ ગયા હતા. તેમણે કહ્યું હતું કે, મારે આગામી પગલાંને લઇને નિર્ણય લેવાનો છે, પરંતુ નિશ્ચિત રૂપે હું રાજનીતિમાં રહીશ કેમ કે હું રાજનૈતિક વ્યક્તિ છું.

દીબચંદ્ર હરંગખવાલ રાજ્યમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા આશિષ કુમાર સાહા સાથે વિધાનસભા પહોંચ્યા હતા. આશિષ કુમાર સાહાએ આ વર્ષની શરૂઆતમાં ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. તેની સાથે જ ભાજપે આ વર્ષે પોતાના ચોથા ધારાસભ્યને ગુમાવી દીધા છે. આશિષ કુમાર સાહા સિવાય સુદીપ રૉય બર્મન અને બુરબો મોહને પણ આ વર્ષે વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું હતું. સૂરમાથી ધારાસભ્ય આશિષ દાસ વિધાનસભા સભ્ય માટે અયોગ્ય કરાર આપવામાં આવ્યા હતા.

તો સરકારમાં ભાજપની ભાગીદાર ઇન્ડિજિનસ પીપલ્સ ફ્રંટ ઓફ ત્રિપુરા (IPFT)ના 3 ધારાસભ્યો ધનંજય ત્રિપુરા, બ્રૃષકેતુ દેબબર્મા અને માવેર કુમાર જામતિયાએ પણ રાજીનામું આપી દીધું હતું. દીબચંદ્ર હરંગખવાલના રાજીનામાં પર પ્રતિક્રિયા આપતા ભાજપના પ્રવક્તા સુબ્રતા ચક્રવર્તીએ જણાવ્યું કે, દીબચંદ્ર હરંગખવાલ લાંબા સમયથી બીમાર છે અને પોતાના કર્તવ્યોનું નિર્વહન કરી શકતા નહોતા. તેની અસર વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીની સંભાવનાઓ પર નહીં પડે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2018ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ જીત હાંસલ કરી હતી અને લાંબા સમયથી ત્રિપુરામાં ચાલતી આવી રહેલી વામ સરકારને ઉખેડી ફેકી હતી.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.