મણિપુરમાં વધુ એક મહિલા સાથે સામૂહિક બળાત્કારનો દાવો, રસ્તા પર ઉતર્યા લોકો

મણિપુર છેલ્લા ત્રણ મહિનાથી જાતીય હિંસાની આગમાં સળગી રહ્યું છે. હવે મણિપુરમાં વધુ એક સામૂહિક બળાત્કારની ઘટનનાઓ દાવો કરવામાં આવી રહ્યો છે. ચૂરાચાંદપુર જિલ્લામાં 37 વર્ષીય એક મહિલા સાથે કથિત સામૂહિક બળાત્કાર વિરુદ્ધ શુક્રવારે (11 ઑગસ્ટના રોજ) હજારોની સંખ્યામાં મહિલાઓએ મણિપુરમાં પાંચ ઘાંટીવાળા જિલ્લાઓમાં ધરણા પ્રદર્શન કર્યા હતા.

ધરણાંનું આયોજન મેતેઇના એક ગ્રુપ મીરા પેબીસ સગે કર્યું હતું. ધરણાં ઇમ્ફાલ પશ્ચિમ, થૌબલ, વિષ્ણુપુર અને કાકચિંગ જિલ્લામાં આયોજિત કરવામાં આવ્યા હતા. પીડિતાએ 9 ઑગસ્ટના રોજ નોંધાવેલી ફરિયાદમાં કહ્યું હતું કે તે એ ભીડથી ભાગી રહી હતી, જેણે તેનું ઘર સળગાવી દીધું હતું, ત્યારે કેટલાક લોકોએ તેને રોકી લીધી અને તેની સાથે સામૂહિક બળાત્કાર કર્યો. પીડિતાએ ફરિયાદમાં નોંધાવેલા નિવેદનમાં એમ પણ કહ્યું કે, તેણે પોતાની અને પોતાના પરિવારની ઇજ્જત બચાવવા અને સામાજિક બહિષ્કારથી બચવા માટે પહેલા ઘટનાનો ખુલાસો કર્યો નહોતો.

વિરોધ પ્રદર્શનનું આહ્વાન મીરા પેબીના અધ્યક્ષ લોંગજામ મેમચોબીએ શુક્રવારે (11 ઑગસ્ટના રોજ) કર્યું હતું. લોંગજામ બીના દેવીએ દોષીઓની ધરપકડની માગ કરતા કહ્યું કે, અમે ચૂરાચાંદપુરમાં 3 મેના રોજ મહિલાઓ સાથે થયેલા સામૂહિક દુષ્કર્મની સખત નિંદા કરીએ છીએ. પેબીએ આરોપ લગાવ્યો કે, મ્યાંમારના સશસ્ત્ર આતંકવાદીઓએ પુરુષો અને મહિલાઓ વિરુદ્ધ અકથનીય ગુના કર્યા.

મણિપુરમાં આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરી. અત્યાર સુધી વીડિયોમાં દેખાઈ રહેલા 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે, મણિપુરમાં 3 મેથી જાતીય હિંસા ચાલી રહી છે. રાજ્યમાં મેતેઈ સમુદાયના લોકો આદિવાસીનો દરજ્જો માગી રહ્યા હતા, જેને લઈને કુકી અને મેતેઈ સમુદાયો વચ્ચે હિંસક ઘર્ષણ થઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે મણિપુર સરકાર દ્વારા આ અઠવાડિયે સુપ્રીમ કોર્ટમાં પ્રસ્તુત એક નોટમાં જણાવ્યું હતું કે, હિંસા દરમિયાન 31 જુલાઇ સુધી નોંધાયેલી કુલ 6,523 FIRમાં એક કેસ બળાત્કાર અને હત્યા (પીડિતા સાથે કથિત રીતે બળાત્કાર કરીને હત્યા કરી દેવામાં આવી હતી), 3 કેસ બળાત્કાર/સામૂહિક બળાત્કાર, 6 કેસ મહિલાઓની ગરિમાને ઠેસ પહોંચાડવાના ઇરાદે કરવામાં આવેલા હુમલાના અને 72 કેસ હત્યાના નોંધવામાં આવ્યા છે. 3 મેથી આદિવાસી કુકી અને મેતેઈ સમુદાય વચ્ચે  થઈ રહેલી જાતિએ હિંસામાં 160 કરતા વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે.

About The Author

Related Posts

Top News

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

તેલંગાણાના નિર્મલ જિલ્લાના આ ચૂંટણીના સમાચાર સાબિત કરે છે કે, દરેક લોકોએ મત આપવો કેટલો મહત્વપૂર્ણ હોય છે. અહીં...
National 
પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.