માસીની દીકરી નરગીસે લગ્નની ના પાડતા ઇરફાને લોખંડની રોડથી મારીને પતાવી દીધી

દિલ્હીમાં વધુ એક મહિલાની હત્યાના સમાચાર સામે આવ્યા છે. દિલ્હીના માલવીય નગરમાં ભરબપોરે 25 વર્ષની યુવતીની લોખંડના રોડથી માર મારીને હત્યા કરી દેવામાં આવી છે. પોલીસે CCTVમાં ઇરફાન નામના એક યુવાનને જોયો જે મૃતક યુવતીની માસીનો દીકરો થતો હતો. પોલીસે યુવકની ધરપકડ કરી લીધી છે. યુવતીએ લગ્ન કરવાની ના પાડી તો પાર્કમાં યુવતીને કસીન ભાઇએ પતાવી દીધી હતી.

જાણવા મળેલી વિહત મુજબ મૃતક યુવતીનું નામ નરગીસ હતું અને હત્યા કરનારનું નામ ઇરફાન છે. નરગીસ અને ઇરફાનની માતા બંને સગી બહેનો છે. મતલબ કે ઇરફાન નરગીસની માસીનો દીકરો હતો. ઇરફાન અને નરગીસના લગ્નની વાત પણ નક્કી થઇ ગઇ હતી, પરંતુ  ઇરફાન કોઇ ખાસ કામ નહીં કરતો હોવાને કારણે નરગીસના પરિવારે લગ્નનો ઇન્કાર કરી દીધો હતો. ઇરફાન ફુડ ડિલીવરી બોય તરીકે કામ કરતો હતો, જે વાત નરગીસના પરિવારને બિલકુલ પસંદ નહોતી.

નરગીસ માલવીય નગરમાં સ્ટેનો કોચિંગ માટે આવતી હતી. શુક્રવારે પણ તે તેના કોચિંગ માટે પહોંચી હતી. ત્યારે ઇરફાન મળી ગયો હતો અને તે વાત કરવાના બહાને નરગીસને વિજય મંડલ પાર્કમાં લઇ ગયો હતો. ઇરફાને નરગીસને લગ્ન માટે પુછ્યું તો તેણીએ સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો, જેથી ઇરફાન ગુસ્સે ભરાયો હતો.

કદાચ તેનો પહેલેથી નરગીસને પતાવી દેવાનો ઇરાદો હતો. જેવી નરગીસે  લગ્ન કરવાની ના પાડી એટલે ઇરફાને પોતાની સાથેની બેગમાંથી લોખંડનો રોડ કાઢ્યો અને નરગીસ પર હુમલો કરી દીધો હતો. આ જલ્લાદ ત્યાં સુધી અટક્યો નહોતો, તેણે નરગીસ પર ઉપરાછાપરી લોખંડના રોડથી હુમલા કર્યા, જેમાં નરગીસ ઢળી પડી હતી અને લોહીલુહાણ થઇ ગઇ હતી. નરગીસ પર હુમલો કરીને ઇરફાન ત્યાંથી ભાગી છુટ્યો હતો.

પોલીસને જ્યારે ખબર પડી કે પાર્કમાં કોઇ યુવતીની લાશ પડી છે, તો પોલીસે CCTV ચેક કર્યા તો ઇરફાન દેખાયો હતો. જો કે એવું કહેવાય છે કે સોશિયલ મીડિયા પર નરગીસની હત્યાની વાત વાયરલ થઇ તો ઇરફાને જાતે જ પોલીસમાં સરેન્ડર કરી દીધું હતું.

પોલીસે કહ્યું કે, આરોપી ઇરફાનની માસીની દીકરી નરગીસ સાથે લગ્નની વાત પડી ભાગંવાને કારણે તે ડિપ્રેશનમાં આવી ગયો હતો. તેને ડર હતો કે તેના હવે લગ્ન થઇ શકશે નહી, ઉપરાંત તેના નાના ભાઇની પણ સગાઇ થઇ ગઇ હતી. એટલે ઇરફાન વધારે પરેશાન હતો.

દક્ષિણ દિલ્હીના ડેપ્યુટી કમિશનર ચંદન ચૌધરીએ જણાવ્યું કે કમલા નહેરુ કોલેજમાં અભ્યાસ કરતી છોકરી નરગીસ તેના મિત્ર સાથે પાર્કમાં આવી હતી ત્યારે તેના પર લોખંડના સળિયાથી હુમલો કરવામાં આવ્યો હતો. આ પાર્કમાં યુવાન છોકરા-છોકરીઓ ફરે છે. અરબિંદો કોલેજ પણ પાર્કની નજીક છે.

દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે મહિલાઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે જ્યારે 24 કલાકની અંદર મહિલાઓની હત્યા થાય છે. તેમણે ટ્વિટ કર્યુ કે, દિલ્હીમાં એક મહિલાને તેના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી, બીજી તરફ માલવિયા નગર જેવા પોશ વિસ્તારમાં એક છોકરીને સળિયાથી મારવામાં આવી. દિલ્હી અત્યંત અસુરક્ષિત છે. મહિલાઓની હત્યાથી કોઇને કોઇ ફરક પડતો નથી. અખબારોના અહેવાલોમાં છોકરીઓના નામ જ બદલાય છે, ગુનાઓ અટકતા નથી.

ગુરુવારે રાત્રે રાજધાની દિલ્હીના ડાબરી વિસ્તારમાં 42 વર્ષીય મહિલા રેણુ ગોયલની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ પછી આરોપી 23 વર્ષીય આશિષે પોતે પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. આરોપી અને મહિલા પહેલેથી જ એકબીજાને ઓળખતા હોવાનું બહાર આવ્યું છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.