કોંગ્રેસના નવા બની રહેલા હેડ ક્વાર્ટર પર ચાલ્યું PWDનું બુલડોઝર, જાણો કારણ

લોક નિર્માણ વિભાગ (PWD)એ દિલ્હીમાં દીનદયાલ ઉપાધ્યાય માર્ગ પર સ્થિત કોંગ્રેસ હેડક્વાર્ટરની નિર્માણાધિન ઇમારત પર સામાન્ય કાર્યવાહી કરતા બુલડોઝર ચલાવી દીધો. આ કાર્યવાહી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ની મંજૂરી વિના બનાવવામાં આવેલા 3 પગથિયાંને લઈને કરવામાં આવી છે. એક અધિકારીના જણાવ્યા મુજબ, નિર્માણ માપદંડો મુજબ, એક ઇમારતમાં જતા પગથિયાં તેના બહાર નહીં બનાવી શકાય. તેનો દાયરો એટલો જ હોવો જોઈએ જેટલો નક્કી હોય.

PWDના એક અધિકારીએ કહ્યું કે, નિર્માણના માપદંડો મુજબ, કોઈ ઇમારતમાં જનારા પગથિયાં તેની બહાર નહીં બનાવી શકાય. પગથિયાં ઇમારતના ગેટની અંદર જ હોવા જોઈએ. PWDએ આ અઠવાડિયાની શરૂઆતમાં દીનદયાલ ઉપાધ્યાય માર્ગનું નિરીક્ષણ કર્યું હતું અને કોંગ્રેસ હેડક્વાર્ટરના અધિકારીઓને તેને લઈને પહેલા જ જાણકારી આપી દેવામાં આવી હતી. PWDન એક અન્ય અધિકારીએ કહ્યું કે, PWDના એક સર્વેક્ષણ બાદ સામે આવ્યું કે, પગથિયાં ફૂટપાથનું દબાણ કરી રહ્યા હતા અને આ કાયદાકીય રીતે ખોટા હતા એટલે હિસ્સાને હટાવી દેવામાં આવ્યો.

PWDના અધિકારીએ કહ્યું કે, આ પગથિયાંને તોડવા માટે કોંગ્રેસ તરફથી પહેલા જ લીલી ઝંડી મળી ચૂકી હતી. આ કોઈ મોટું ડિમોલિશન નહોતું. તેમણે કર્મચારીઓના પ્રવેશ માટે સાઇડ એન્ટ્રી પર વધારાના 3 પગથિયાં બનાવ્યા હતા, જેનું નિર્માણ MCD દ્વારા અનુમોદીત યોજના મુજબ નહોતું. એટલે તેને શુક્રવારે તોડી દેવામાં આવ્યા. એક અન્ય અધિકારીએ જણાવ્યું કે, દિલ્હી સરકારના પ્રશાસનિક નિયંત્રણમાં આવનારા PWD રાજધાનીમાં આ વર્ષે પ્રસ્તાવિત G-20 સમિટની તૈયારીઓ હેઠળ ગેરકાયદેસર ઢાંચા હટાવવા માટે શહેરમાં દબાણ વિરોધી અભિયાન ચલાવી રહ્યું છે.

આ બધુ એ દરમિયાન થઈ રહ્યું હતું, જે સમયે રાહુલ ગાંધીની લોકસભાથી સભ્યતા રદ્દ થવાના સમાચાર આવ્યા હતા. પોતાની અયોગ્યતા પર પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે, તે ભારતનો અવાજ લાગૂ કરવા માટે લડી રહ્યા છે અને તેના માટે કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર છે. ઉલ્લેખનીય છે કે, દીનદયાલ ઉપાધ્યાય માર્ગ પર ભાજપ અને આમ આદમી પાર્ટી (AAP)ના પણ કાર્યાલય આવેલા છે. PWD આ અગાઉ પણ દીનદયાલ ઉપાધ્યાય માર્ગ પર દબાણ વિરુદ્ધ અભિયાન ચલાવી ચૂક્યું છે, જેમાં AAP કાર્યાલય બહાર બનેલી એક અસ્થાયી રૂમને તોડવામાં આવી હતી.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.