જે મહિલાના ભાઈને અતીકે કરંટ લગાવીને મારી નાખ્યો હતો, શું તેને ન્યાય મળશે?

માફિયામાંથી રાજનેતા બનેલા અતીક અહમદ અને તેના ભાઈ અશરફની શનિવારે રાત્રે પોલીસ કસ્ટડીમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. આ પ્રકારે અતીકના ગુનાની 44 વર્ષની કહાનીનો અંત થયો. માત્ર 17 વર્ષની ઉંમરમાં જ અતીક પર અલ્લાહાબાદમાં હત્યાનો આરોપ લાગ્યો હતો. અતીક અહમદ વિરુદ્ધ 100 કરતા વધુ કેસ નોંધાયેલા હતા. અતીકના અત્યાચારોના ઘણા લોકો શિકાર બન્યા, જેમાંથી એક છે જયશ્રી.

રિપોર્ટ્સ મુજબ, જયશ્રીના ભાઈને અતીક અહમદે વીજ કરંટ લગાવીને મારી નાખ્યો હતો. એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા જયશ્રીએ અતીકના આતંકનો વિસ્તારથી ઉલ્લેખ કર્યો. સાથે જ તેણે જણાવ્યું કે, અતીકની હત્યા બાદ તેની શું માગ છે અને ન્યાયને લઈને તેની લડાઈ હવે કઈ દિશામાં વધશે. અતીક અહમદની હત્યા પર જયશ્રીએ કહ્યું કે, ન તો મને તેના મરવાનું દુઃખ છે અન ન તો તેના જીવવાની ખુશી હતી. અતીકે મારી સાડા બાર વીઘા જમીન લઈ લીધી.

તેણે તેના નકલી કાગળ બનાવડાવ્યા. કેટલીક જમીન અત્યારે પણ ખાલી પડી છે. વર્ષ 2016માં મને ગોળી મારવામાં આવી હતી. મારા ઉપર ઘણી વખત હુમલો થયો. મને અને મારા દીકરાને ગોળી લાગી હતી. મારા ભાઈને કરંટ લગાવીને મારવામાં આવ્યો. મેં તેની ફરિયાદ પણ નોંધાવી હતી. મને ન્યાય મળવો જોઈએ. તેનો (અતીકનો) સિક્કો ચાલતો હતો. તેની રાજનીતિ ચાલતી હતી.

પોતાની માગને લઈને જવા પર અમને ભગાવી દેવામાં આવતા હતા. પોલીસવાળા ક્યારેક ક્યારેક તેની વિરુદ્ધ કાર્યવાહી માટે તૈયાર થતા નહોતા. જયશ્રીએ આગળ કહ્યું કે, હું ચૂપચાપ તેની ફરિયાદ નોંધવતી રહી. મને કહેવામાં આવતું હતું કે સમજૂતી કરી લે, નહીં તો તારા બાળકો માર્યા જશે. મેં હાર ન માની અને દરેક અધિકારીનો દરવાજો ખખડાવ્યો. મારી પાસે તો કંઈ બચ્યું નથી. અમારો જમરૂખોનો બાગ હતો. અમે લોકો તેનાથી જ કમાઈને ખાતા હતા. હું એક ખેડૂત પરિવારમાંથી છું.

આજે મારો અવાજ તમારી પાસે પહોંચી રહ્યો છે, મને ન્યાય મળવો જોઈએ. મારી પાસે જે જમીન બચી છે તેને પણ પચાવી પાડવા માટે ગોળી મારવામાં આવી. હું પોતાના દરવાજે બેઠી હતી. નાની છોકરી મારી સાથે હતી. ગાડીથી કેટલાક લોકો ઉતર્યા અને અતીક-અશરફ મને ગાળો આપવા લાગ્યા. મારા પર જોરદાર ફાયરિંગ કરવામાં આવી. મારા દરવાજા પર લગભગ 20 ગોળીઓ ફાયરિંગ કરવામાં આવી. મારી પાસે શું બચ્યું છે. હું તો પોતાના પેટ માટે લડી રહી છું. મને ન્યાય મળવો જોઈએ એ જ મારી માગ છે.  

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.