મોદી પરિવારની અપીલ, તમારા કાર્યક્રમો યથાવત રાખી હીરાબાને આપો સાચી શ્રદ્ધાંજલિ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબેનનું 100 વર્ષની જૈફ વયે નિધન થયું છે. ગાંધીનગરના સેક્ટર 30 સ્થિત સ્મશાનભૂમિ ખાતે અત્યંત સાદગી સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીએ મુખાગ્નિ આપી હતી. માતાના નિધન બાદ પણ પ્રધાનમંત્રીએ તેમના પૂર્વ આયોજિત કાર્યક્રમો રદ કર્યા નથી.

તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ શુક્રવારે આયોજિત પોતાના તમામ કાર્યક્રમો પહેલાની જેમ જ નિર્ધારિત સમય પર કરવાનો નિર્ણય લીધો હતો. આ અંગે માહિતી આપતાં પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) એ આજે એટલે કે શુક્રવારે PM મોદીના સત્તાવાર કાર્યક્રમોની યાદી જાહેર કરી હતી. PMO દ્વારા કરાયેલા એક ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે PM મોદી શુક્રવારે પશ્ચિમ બંગાળમાં નિર્ધારિત કાર્યક્રમોમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજરી આપશે.

માતા હીરાબેનના નિધનની માહિતી આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટમાં તેમણે લખ્યું છે કે, 'એક ગૌરવપૂર્ણ શતાબ્દીનો ભગવાનના ચરણોમાં વિરામ. માતામાં, મેં હંમેશા તે ત્રિમુર્તિ અનુભવી છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે.

પોતાના બીજા ટ્વીટમાં પ્રધાનમંત્રી મોદીએ લખ્યું કે, 'હું જ્યારે તેમને તેમના 100માં જન્મદિવસ પર મળ્યો હતો, ત્યારે તેમણે એક વાત કહી હતી, જે હંમેશા યાદ રહે છે કે કામ કરો બુદ્ધિથી અને જીવન જીવો શુધ્ધીથી.

તો માતા હીરાબેનના નિધનથી દુઃખી લોકોને અપીલ કરતા નરેન્દ્ર મોદીના પરિવારે કહ્યું છે કે આ મુશ્કેલ સમયમાં તમારી પ્રાર્થનાઓ માટે અમે તમારા આભારી છીએ. મોદી પરિવાર વતી આપ સૌને અમારી નમ્ર વિનંતી છે કે તેમની (હીરા બા) આત્માને તમારી યાદોમાં સ્થાન આપો અને તમારા બધા પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો અને યોજનાઓ ચાલુ રાખો. આ જ માતા હીરાબેન માટે સાચી શ્રદ્ધાંજલિ હશે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.