15 દિવસમાં હાજર થાવ... કોરોના સમયે મુક્ત કરાયેલા કેદીઓને સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

સુપ્રીમ કોર્ટે શુક્રવારે કોવિડ-19 રોગચાળા દરમિયાન મુક્ત કરાયેલા તમામ દોષિતો અને અન્ડરટ્રાયલ્સને 15 દિવસની અંદર આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે તમામ દોષિતો અને અંડરટ્રાયલ કેદીઓને પોતાની જાતે આત્મસમર્પણ કરવાનો નિર્દેશ આપ્યો છે. તેના નિર્દેશમાં, કોર્ટે કહ્યું છે કે, કોવિડ રોગચાળા દરમિયાન મુક્ત કરાયેલા અન્ડરટ્રાયલ કેદીઓ શરણાગતિ પછી સક્ષમ અદાલતો સમક્ષ નિયમિત જામીન માટે અરજી કરી શકે છે.

જસ્ટિસ MR શાહ અને જસ્ટિસ CT રવિકુમારની સર્વોચ્ચ અદાલતની બેન્ચે જણાવ્યું હતું કે કોવિડ-19 રોગચાળા દરમિયાન ઇમરજન્સી જામીન પર મુક્ત થયેલા અન્ડરટ્રાયલ કેદીઓ તેમના શરણાગતિ પછી સક્ષમ અદાલતો સમક્ષ નિયમિત જામીન માટે અરજી કરી શકે છે. બેન્ચે જણાવ્યું હતું કે, મુક્ત થયેલા તમામ દોષિતો તેમની શરણાગતિ પછી તેમની સજાને સ્થગિત કરવા માટે સક્ષમ અદાલતોનો સંપર્ક કરી શકે છે.

કોવિડ-19 રોગચાળા દરમિયાન જેલોની ભીડ ઘટાડવાના પ્રયાસમાં ઘણા દોષિતો અને અન્ડરટ્રાયલ્સને મુક્ત કરવામાં આવ્યા હતા. આમાંના મોટાભાગના બિન-ગંભીર ગુનાઓ માટે નોંધાયેલા હતા. વિવિધ રાજ્યોમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર રચાયેલી ઉચ્ચ સત્તાવાળી સમિતિની ભલામણો પર આ પગલું લેવામાં આવ્યું હતું. ઘણા રાજ્યોમાં, જેલમાંથી મુક્ત કરવામાં આવેલા કેદીઓ ફરાર થઈ ગયા અને પાછા ન આવવાની ઘટનાઓ સામે આવ્યા પછી, પોલીસે નોટિસ પણ મોકલવી પડી હતી. ઘણા કેદીઓના ગુમ થઇ ગયા હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યારે દેશમાં કોવિડ રોગચાળો ચરમસીમાએ હતો, ત્યારે ઘણા દોષિતો અને અન્ડરટ્રાયલ જેલમાં બંધ હતા, મોટાભાગે બિન-ગંભીર ગુનાઓ માટે નોંધાયેલા હતા.

વિવિધ રાજ્યોમાં રોગચાળા દરમિયાન સર્વોચ્ચ અદાલતના નિર્દેશો અનુસાર રચાયેલી ઉચ્ચ-સત્તાવાળી સમિતિની ભલામણો પર તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.

આવું કરવાનો એકમાત્ર હેતુ કોરોના ચેપને ફેલાતો અટકાવવાનો હતો. જેના કારણે કેદીઓને જામીન આપવામાં આવ્યા હતા. જો કે હવે સુપ્રીમ કોર્ટે તેને સરેન્ડર કરવાનો નિર્દેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે કોવિડ દરમિયાન મુક્ત થયેલા એક દોષી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે.

વાસ્તવમાં, એક દોષિતે કોર્ટમાં અરજી કરી હતી કે, કોવિડ વાયરસના સમયમાં HPCની સૂચના અનુસાર પેરોલની મંજૂરી આપવામાં આવી હતી, મેં તેની માંગ કરી ન હતી. તેથી, તે પેરોલનો સમયગાળો મારી સજાના વાસ્તવિક કુલ સમયગાળામાં પણ સામેલ થવો જોઈએ.

પરંતુ સુપ્રીમ કોર્ટે દોષિતની અરજીને ફગાવી દેતા કહ્યું કે, કેદીઓની ભીડને રોકવા માટે COVID-19 રોગચાળાના સમયગાળા દરમિયાન દોષિતોને આપવામાં આવેલી પેરોલની અવધિ કેદી દ્વારા વાસ્તવિક કેદની અવધિમાં ગણી શકાય નહીં.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.