કાશ્મીરમાં સેનાની એમ્બ્યુલન્સ ખીણમાં પડી, 2 જવાનોના નિધન, 2 ઈજાગ્રસ્ત

હજુ તો દશેક દિવસ પહેલા જ જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં સેનાના વાહનો પર આતંકી હુમલો થયો હતો, જેમાં સેનાના 5 જવાનોએ જીવ ગુમાવવો પડ્યો હતો હવે રાજૌરીમાં સેનાની એમ્બ્યુલન્સમાં ઉંડી ખીણમાં પડી જવાને કારણે સેનાના 2 જવાનોના મોત થયા છે. 2 જવાન ઘાયલ છે જેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યા છે.

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સેનાની એમ્બ્યુલન્સ રસ્તા પરથી લપસીને સીધી 200 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં બે જવાનોના મોત થયા છે અને 2 જવાન ઘાયલ થવા હોવાનું જાણવા મળ્યું છે.માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહો અને ઘાયલોને બહાર કાઢ્યા હતા. બંને ઘાયલોને આર્મી હોસ્પિટલ રાજૌરીમાં રીફર કરવામાં આવ્યા છે. હાલ તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે. મોતને ભેટનાર સેનાનો એક જવાન રાજૌરીનો જ હતો ત્યારે બીજો જવાન બિહારનો હોવાનું જાણવા મળી રહ્યું છે.

જાણવા મળેલી વિગત મુજબ આ ઘટના લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પાસેના કેરી સેકટરમાં બની છે. આ વિસ્તારમાંથી સેનાની એમ્બ્યુલન્સ જઇ રહી હતી ત્યારે ચાલકે અચાનક કાબુ ગુમાવી દેતા એમ્બ્યુલન્સ ખીણમાં પડી ગઇ હતી. આ અકસ્માતમાં મોતને ભેટનારા જવાનોની ઓળખ થઇ છે, જેમાં બિહારના સુધીર કુમાર અને રાજૌરીના પરમવીર શર્મા સામેલ છે.

ગયા વર્ષે નવેમ્બરમાં પણ કુપવાડાના માછિલ વિસ્તારમાં ત્રણ જવાન હિમસ્ખલનની ઝપેટમાં આવ્યા હતા. 2 જવાનોને બરફ નીચેથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે આ ઘટના બની ત્યારે 56 રાષ્ટ્રીય રાઈફલ્સના પાંચ જવાન નિયમિત પેટ્રોલિંગ પર હતા. દુર્ઘટનાની માહિતી મળતા જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ જવાનોને બહાર કાઢવામાં આવ્યા ત્યાં સુધીમાં 3ના મોત થઈ ચૂક્યા હતા.

ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં સિક્કિમના જેમામાં સેનાની એક ટ્રક ખાડીમાં પડી હતી. જેમાં 16 જવાનો શહીદ થયા હતા. સેનાએ જણાવ્યું કે વાહન એક તીવ્ર વળાંક પર લપસી ગયું અને સીધું ખાડીમાં પડી ગયું. સેના પાસે આ વાહન સાથે વધુ બે વાન હતી. ત્રણેય વાહનો સવારે ચાતણથી થંગુ જવા નીકળ્યા હતા. આર્મી રેસ્ક્યુ ટીમે 4 ઘાયલ સૈનિકોને એરલિફ્ટ કરીને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

સેનાના જવાનોના આ રીતે આકસ્મિક મોત એ ખરેખર ચિંતાનો વિષય છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.