વરરાજાએ ચાંદલામાં મળ્યા 11 લાખ પરત કર્યા, એક રૂપિયો અને નારિયેલમાં કર્યા લગ્ન

રાજસ્થાનના નાગોર જિલ્લાના હુડિલ ગામમાં થયેલા લગ્નમાં અનોખી ઘટના જોવા મળી. ચાંદલામાં આપવામાં આવેલા 11 લાખ 51 હજાર રૂપિયા વરરાજાએ પરત કરી દીધા તો કન્યાના પિતાની આંખોમાં આંસુ છલકાઈ પડ્યા. વરરાજાએ શગૂનના રૂપમાં માત્ર 1 રૂપિયો અને નારિયેળ લીધું. આ નજારો જોઈને બધા ચકિત રહી ગયા. આ લગ્ન ગામ જ નથી, આસપાસના ક્ષેત્રોમાં પણ ચર્ચાનો વિષય બન્યા છે. જૈતારણ તાલુકાથી સાંગાવાસ તંવરોની ઢાણીના રહેવાસી અમર સિંહ તંવરના લગ્ન 22 ફેબ્રુઆરીના રોજ નાગોર જિલ્લાના હુડિલ ગામની રહેવાસી પ્રેમ સિંહ શેખાવતાની દીકરી બબીતા કંવર સાથે થયા હતા.

અહીં અમર સિંહ તંવરે કહ્યું કે, તેને કરિયાવર જોઈતું નથી. રાજપૂત સમાજના લોકો સહિત બધાએ આ પહેલના વખાણ કર્યા. તંવરોની ઢાણી સાંગાવાસથી અમર સિંહ તંવરની જાન હુડિલ જિલ્લા નાગોર ગામે ગઈ હતી. ત્યાં ચાંદલાની રીત માટે 11 લાખ 51 હજાર રૂપિયા ભેટ આપવામાં આવ્યા હતો, પરંતુ તંવર રાજપૂત સમાજને સંદેશ આપવા માટે ચાંદલાની રીતને પાછી કરી દેવામાં આવી. તેમના પરિવારમાં ભંવર સિંહ તંવર આર્મી અધિકારીના પુત્ર અમર સિંહ તંવર આર્મીમાં જવાન તરીકે ફરજ બજાવે છે.

અમર સિંહ વર્તમાનમાં ઉત્તરાખંડના દેહરાદૂન ક્ષેત્રમાં જવાન પદ પર કાર્ય કરે છે, તેમનો પરિવાર 3 પેઢીઓથી સૈનિકના રૂપમાં કાર્ય કરતા દેશ સેવા કરી રહ્યો છે. ચાંદલાને પરત કરનારા અમર સિંહના પિતા ભંવર સિંહ આર્મીમાં સૂબેદાર મેજ હતા અને દાદા બહાદૂર સિંહે પણ ભારત-પાકિસ્તાન યુદ્ધ 1971 અને ભારત-ચીન યુદ્ધ 1965માં દેશની સેવા કરી હતી. તંવર રાજપૂત સમાજ તરફથી સમસ્ત રાજપૂત સમાજને અપીલ કરવામાં આવી કે, સમાજ ચાંદલાની પ્રથાને બંધ કરે, જેથી કોઈ ગરીબ પરિવાર છોકરી ભાર ન બને.

તેમણે જણાવ્યું કે, જ્યારે હુડિલ નાગોરમાં પ્રેમ સિંહ શેખાવતની પુત્રી બબીતા કંવરના લગ્નના અવસર પર ચાંદલાની રીતને પરત મોકલી તો છોકરીના પિતાની આંખમાં આંસુ છલકાઈ પડ્યા. તો સમાજના લોકોએ તાળીઓ વગાડીને સ્વાગત કર્યું. રવીન્દ્ર તંવરે જણાવ્યું કે, અમર સિંહ 3 બહેનોનો એકમાત્ર ભાઈ છે. તેઓ સેનામાં જવાન તરીકે અત્યારે દેહરાદૂનમાં કાર્યરત છે. તેમના પિતા ભંવર સિંહ આર્મીમાં સૂબેદાર મેજર હતા. તેમના સ્વર્ગીય દાદા બહાદુર સિંહ તંવર પણ સેનામાં હતા.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.