અર્નબ ગોસ્વામી બિનશરતી માફી માગશે, હાઇકોર્ટમાં માફી માટે એફિડેવિટ કરશે

ધ એનર્જિ એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન આર.કે. પચૌરીએ દિલ્હી હાઈકોર્ટમાં દાવો કર્યો હતો કે મીડિયા હાઉસે જાણી જોઇને કોર્ટના અગાઉના આદેશોને તિરસ્કારપૂર્વક અવગણ્યા હતા. જેમાં તેમની વિરુદ્ધ જાતીય સતામણીના આરોપો સંબંધિત દાવાઓ અંગેના પ્રકાશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. .

ન્યૂઝ ચેનલ રિપબ્લિક ટીવીના એડિટર-ઈન-ચીફ અર્નબ ગોસ્વામીએ દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું છે કે 2016માં ધ એનર્જિ એન્ડ રિસોર્સિસ ઈન્સ્ટિટ્યૂટ ના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ આરકે પચૌરી દ્વારા અમુક મીડિયા ચેનલો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા તિરસ્કારના કેસમાં એફિડેવિટ દ્વારા બિનશરતી માફી માંગશે.

LiveLawના અહેવાલ મુજબ, ગોસ્વામી તે સમયે ટાઇમ્સ નાઉના એડિટર-ઇન-ચીફ હતા. તેમના સિવાય બેનેટ એન્ડ કોલમેન, ધ ઈકોનોમિક ટાઈમ્સ, રાઘવ ઓહરી અને પ્રણય રોય વિરુદ્ધ પણ અરજી દાખલ કરવામાં આવી હતી.

ગોસ્વામી તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ માલવિકા ત્રિવેદીએ 17 એપ્રિલે જસ્ટિસ મનમીત પ્રિતમ સિંહ અરોરાની સિંગલ જજની બેન્ચને જણાવ્યું હતું કે, અર્નબ એક સપ્તાહના સમયગાળામાં બિનશરતી માફી માંગતી એફિડેવિટ ફાઇલ કરશે.

ધ ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ, ઈકોનોમિક ટાઈમ્સ અને રાઘવ ઓહરીના વકીલે પણ કોર્ટને જાણ કરી હતી કે તેમણે બિનશરતી માફી માંગતી એફિડેવિટ દાખલ કરી દીધી છે. દરમિયાન, પૂર્વ એનડીટીવી પ્રમોટર પ્રણય રોયના વકીલે કહ્યું કે તેઓ માફી માંગવા અંગે સૂચનો લેશે.

આરકે પચૌરીનું વર્ષ 2020માં અવસાન થયું હતું. તેમણે હાઈકોર્ટમાં દાવો કર્યો હતો કે મીડિયા હાઉસે 'ઇરાદાપૂર્વક અને તિરસ્કારપૂર્વક' કોર્ટના અગાઉના આદેશોનો અવગણના કરી હતી, જે તેમને જાતીય સતામણીના આરોપો સંબંધિત તેમની સામેના દાવાઓ પ્રકાશિત કરવાથી રોકવામાં આવ્યા હતા.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે પચૌરી વિરુદ્ધ અયોગ્ય અને ગેરકાયદેસર મીડિયા ટ્રાયલ ચલાવવામાં આવી રહી હતી અને અહેવાલ બદનક્ષીપૂર્ણ અને પક્ષપાતી હતો.

મે 2022 માં, દિલ્હીની એક અદાલતે કહ્યું હતું કે પચૌરી પર ભૂતપૂર્વ સહાયક દ્વારા તેમની સામે નોંધાયેલા કથિત જાતીય સતામણીના કેસમાં કલંક  ન લગાવી શકાય, કારણ કે ફરિયાદ પક્ષ તેમના મૃત્યુ પહેલાં તેનો કેસ સાબિત કરી શક્યાનથી.

એડિશનલ સેશન્સ જજ મોહિન્દર વિરાટે પચૌરીના પુત્ર દ્વારા દાખલ કરાયેલી અરજી પર આદેશ પસાર કર્યો હતો, જેમાં પચૌરી સામે કેસ ચલાવવાના આદેશ સામે રિવિઝન પિટિશન ચાલુ રાખવાની પરવાનગી માંગવામાં આવી હતી. પચૌરી દ્વારા રિવિઝન પિટિશન દાખલ કરવામાં આવી હતી.

પચૌરીના પુત્ર વતી દલીલ કરતી વખતે વકીલ આશીષ દિક્ષિતે કહ્યું હતું કે ફરિયાદમાં લગાવવામાં આવેલા આરોપોને કારણે તેમના દિવંગત પિતાની પ્રતિષ્ઠા પર કલંક લાગ્યું છે અને તેને કારણે પરિવારને ભરપાઇ ન થઇ શકે તેવું નુકશાન થયું છે.

આરકે પચૌરી 2007 માં ભૂતપૂર્વ US વાઇસ પ્રેસિડેન્ટ અલ ગોર સાથે નોબેલ શાંતિ પુરસ્કાર વહેંચવાના સમયે ક્લાયમેટ ચેન્જ પરની આંતર સરકારી પેનલના અધ્યક્ષ પણ હતા. 13 ફેબ્રુઆરી, 2020 ના રોજ હૃદય રોગ પછી તેમનું અવસાન થયું. તેઓ 79 વર્ષના હતા.

LiveLawના કહેવા મુજબ હવે આ કેસની સુનાવણી 29 એપ્રિલે થશે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.