રામ મંદિર માટે કારીગરે 400 Kgનું તાળું બનાવ્યું, જીવનભરની કમાણી ખર્ચી નાખી!

ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક વૃદ્ધ કારીગરે 400 કિલોનું તાળું બનાવ્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ હાથ વડે બનાવેલ દુનિયાનું સૌથી મોટું તાળું છે. ખાસ વાત એ છે કે, તે અયોધ્યામાં બની રહેલા રામ મંદિર માટે બનાવવામાં આવ્યું છે.

મીડિયા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કારીગરનું નામ સત્ય પ્રકાશ શર્મા છે. તેઓ હાથથી તાળાઓ બનાવવા માટે પ્રખ્યાત છે. એવું માનવામાં આવે છે કે, જાન્યુઆરી 2024થી રામ મંદિર ભક્તો માટે ખુલશે.

સત્ય પ્રકાશ શર્મા 'રામ ભક્ત' છે. આ તાળું બનાવવા માટે તેણે મહિનાઓ સુધી મહેનત કરી હતી. સત્ય પ્રકાશ શર્માના વડવાઓ પણ તાળાઓ બનાવતા આવ્યા છે. શર્મા અલીગઢમાં રહીને તાળાઓ બનાવે છે. અલીગઢને તાલા નગરી કહેવામાં આવે છે. સત્ય પ્રકાશ શર્માએ કહ્યું, 'આ તાળું 10 ફૂટ લાંબુ છે. તેની પહોળાઈ 4.5 ફૂટ અને જાડાઈ 9.5 ઈંચ છે. તેની ચાવી 4 ફૂટ લાંબી છે. મેં તેને રામ મંદિરને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે.'

તેમણે કહ્યું કે, તેઓ આ વર્ષના અંત સુધીમાં રામ મંદિરના સત્તાવાળાઓને આ તાળું સોંપી દેશે. આ તાળું 2023ની શરૂઆતમાં અલીગઢમાં યોજાનાર વાર્ષિક પ્રદર્શનમાં પણ બતાવવામાં આવ્યું હતું. ત્યાર પછી સત્ય પ્રકાશ શર્માએ તેમાં કેટલાક નાના મોટા ફેરફારો કર્યા છે. તેણે કહ્યું કે, તે તેને એકદમ પરફેક્ટ બનાવવા માંગે છે. તેઓ ઈચ્છતા નથી કે, તેમાં કોઈ ભૂલ રહે.

સત્ય પ્રકાશ શર્મા તેને 'લેબર ઓફ લવ' કહે છે. મતલબ, એવું મુશ્કેલ કાર્ય કે, જે કરવાથી આનંદ મળે. તેણે કહ્યું કે, આ તાળું બનાવવામાં તેની પત્ની રૂકમણીએ પણ મદદ કરી હતી. તેમણે આગળ કહ્યું, 'પહેલા અમે 6 ફૂટ લાંબુ અને 3 ફૂટ પહોળું તાળું બનાવ્યું. પછી કેટલાક લોકોએ અમને તેનાથી મોટું તાળું બનાવવાની સલાહ આપી. ત્યાર પછી અમે આ 400 કિલોનું તાળું તૈયાર કર્યું.'

શર્માએ જણાવ્યું કે, તેને બનાવવામાં તેને 2 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ સપનું પૂરું કરવા માટે તેણે જીવનભરની કમાણી ખુશીથી ખર્ચી નાખી. તેણે કહ્યું, 'હું વર્ષોથી તાળા બનાવવાનો ધંધો કરું છું. મેં રામ મંદિર માટે એક વિશાળ તાળું બનાવવાનું વિચાર્યું. અમારું શહેર તાળા બનાવવા માટે પ્રખ્યાત છે પરંતુ આ પહેલાં કોઈએ આવું કંઈ કર્યું ન હતું.'

રિપોર્ટ અનુસાર, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓએ કહ્યું કે, તેઓ મોટી સંખ્યામાં લોકો પાસેથી દાન મેળવી રહ્યાં છે. તેઓએ જોવું પડશે કે, આ તાળું ક્યાં વાપરી શકાશે. 2024માં, 21, 22 અને 23 જાન્યુઆરીએ, રામ મંદિર ટ્રસ્ટ તેના અભિષેક સમારોહનું આયોજન કરવા જઈ રહ્યું છે. 4 ઓગસ્ટે ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે જણાવ્યું હતું કે, આ માટે PM નરેન્દ્ર મોદીને આમંત્રણ મોકલવામાં આવશે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.