- National
- ગુજરાતમાં CM કેજરીવાલની મોટી જાહેરાત, આ સીટ પર જાહેર કરી દીધા લોકસભાના ઉમેદવાર
ગુજરાતમાં CM કેજરીવાલની મોટી જાહેરાત, આ સીટ પર જાહેર કરી દીધા લોકસભાના ઉમેદવાર
.jpg)
ભરૂચમાં આજે CM અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરી છે. લોકસભા ચૂંટણી માટે ભરૂચની સીટ પર ઉમેદવારના નામની જાહેરાત કરતા CM અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, દોસ્તો, આજે હું એલાન કરવા માગું છું, આમ આદમી પાર્ટી તરફથી આવનારી લોકસભાની ચૂંટણીમાં ભરૂચ સીટથી ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, જ્યાં ભરૂચમાં તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં ભાજપની ઊંધી ગણતરી ચાલુ થઈ ગઈ છે. ભાજપ આદિવાસી સમાજની વિરુદ્ધ છે. છેલ્લા 30 વર્ષોમાં ભાજપે આદિવાસી સમાજને કંઈ ન આપ્યું નથી.
? Gujarat में CM @ArvindKejriwal का बड़ा ऐलान! ?@Chaitar_Vasava होंगे भरूच लोक सभा से AAP के Candidate#ReleaseChaitarVasava pic.twitter.com/hJyx8aD0Ho
— AAP (@AamAadmiParty) January 7, 2024
ભરૂચમાં સભાને સંબોધિત કરતા CM કેજરીવાલે કહ્યું હતું કે, આજે અમે બધુ કામ છોડીને તમને લોકોને મળવા આવ્યા છીએ. કાલે અમે જેલમાં ચૈતર વસાવાને મળવા જઈશું. તમારા દીકરાની ધરપકડ કરી લેવામાં આવી છે. આદિવાસી સમાજના નેતાની ધરપકડ કરી લેવામાં આવી છે. ચૈતર વસાવા મારા નાના ભાઈ જેવા છે. આમ આદમી પાર્ટી અમારો એક પરિવાર છે. પરંતુ સૌથી મોટી દુખીની વાત એ છે કે, ચૈતર વસાવાની પત્નીની પણ આ લોકોએ ધરપકડ કરી લીધી ચે. શકુંતલાબેન ચૈતર વસાવાના પત્ની છે, પરંતુ આપણા સમાજના વહુ છે. આ લોકોએ આપણા સમાજની વહુની ધરપકડ કરી લીધી છે. આ આખા આદિવાસી સમાજ માટે અપમાનની વાત છે. હું તમને લોકોને પૂછવા માગું છું કે, શું આ અપમાનનો બદલો લેશો કે નહીં?
CM કેજરીવાલે કહ્યું કે, જૂના જમાનામાં ડાકૂઓ હતા, એ ડાકૂઓનો ઈમાન ધર્મ હતો. કોઈ ગામમાં ધાડ મારવા જાય તો તેઓ ગામની દીકરીઓને નહોતા છેડતા. ભાજપ વાળા ડાકૂઓથી ખરાબ છે. તેમણે આપણી વહુની ધરપકડ કરીને આદિવાસી સમાજનું અપમાન કર્યું છે.
ભરૂચમાં સભાને સંબોધિત કરતા પહેલા તેમણે ટ્વીટ પણ કરી હતી કે, આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા એક ખૂબ જ લોકપ્રિય આદિવાસી નેતા છે. તેમને અને તેમની પત્નીને ભાજપની ગુજરાત સરકારે એક ખોટા કેસમાં કેટલાય દિવસોથી જેલમાં નાખ્યા છે. આજે હું અને ભગવંત માન ગુજરાત જઈ રહ્યા છીએ. તેમના વિસ્તારમાં લોકોથી મળીશું અને કાલે અમે તેમને જેલમાં મળવા જઈશું.
Related Posts
Top News
સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય
પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ
હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!
Opinion
