ગુજરાતમાં CM કેજરીવાલની મોટી જાહેરાત, આ સીટ પર જાહેર કરી દીધા લોકસભાના ઉમેદવાર

On

ભરૂચમાં આજે CM અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરી છે. લોકસભા ચૂંટણી માટે ભરૂચની સીટ પર ઉમેદવારના નામની જાહેરાત કરતા CM અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, દોસ્તો, આજે હું એલાન કરવા માગું છું, આમ આદમી પાર્ટી તરફથી આવનારી લોકસભાની ચૂંટણીમાં ભરૂચ સીટથી ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, જ્યાં ભરૂચમાં તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં ભાજપની ઊંધી ગણતરી ચાલુ થઈ ગઈ છે. ભાજપ આદિવાસી સમાજની વિરુદ્ધ છે. છેલ્લા 30 વર્ષોમાં ભાજપે આદિવાસી સમાજને કંઈ ન આપ્યું નથી.

ભરૂચમાં સભાને સંબોધિત કરતા CM કેજરીવાલે કહ્યું હતું કે, આજે અમે બધુ કામ છોડીને તમને લોકોને મળવા આવ્યા છીએ. કાલે અમે જેલમાં ચૈતર વસાવાને મળવા જઈશું. તમારા દીકરાની ધરપકડ કરી લેવામાં આવી છે. આદિવાસી સમાજના નેતાની ધરપકડ કરી લેવામાં આવી છે. ચૈતર વસાવા મારા નાના ભાઈ જેવા છે. આમ આદમી પાર્ટી અમારો એક પરિવાર છે. પરંતુ સૌથી મોટી દુખીની વાત એ છે કે, ચૈતર વસાવાની પત્નીની પણ આ લોકોએ ધરપકડ કરી લીધી ચે. શકુંતલાબેન ચૈતર વસાવાના પત્ની છે, પરંતુ આપણા સમાજના વહુ છે. આ લોકોએ આપણા સમાજની વહુની ધરપકડ કરી લીધી છે. આ આખા આદિવાસી સમાજ માટે અપમાનની વાત છે. હું તમને લોકોને પૂછવા માગું છું કે, શું આ અપમાનનો બદલો લેશો કે નહીં?

CM કેજરીવાલે કહ્યું કે, જૂના જમાનામાં ડાકૂઓ હતા, એ ડાકૂઓનો ઈમાન ધર્મ હતો. કોઈ ગામમાં ધાડ મારવા જાય તો તેઓ ગામની દીકરીઓને નહોતા છેડતા. ભાજપ વાળા ડાકૂઓથી ખરાબ છે. તેમણે આપણી વહુની ધરપકડ કરીને આદિવાસી સમાજનું અપમાન કર્યું છે.

ભરૂચમાં સભાને સંબોધિત કરતા પહેલા તેમણે ટ્વીટ પણ કરી હતી કે, આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા એક ખૂબ જ લોકપ્રિય આદિવાસી નેતા છે. તેમને અને તેમની પત્નીને ભાજપની ગુજરાત સરકારે એક ખોટા કેસમાં કેટલાય દિવસોથી જેલમાં નાખ્યા છે. આજે હું અને ભગવંત માન ગુજરાત જઈ રહ્યા છીએ. તેમના વિસ્તારમાં લોકોથી મળીશું અને કાલે અમે તેમને જેલમાં મળવા જઈશું.

Related Posts

Top News

ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઇબ્રાહિમ અલી ખાને પણ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. આ સ્ટાર કિડે 'નાદાનિયાં' થી...
Entertainment 
ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

ધૂળેટી અને જુમ્મેની નમાજ એક જ દિવસે થવાના કારણે નમાજના સમય અંગેની જે મૂંઝવણ હતી તે દૂર થઈ ગઈ છે....
National 
સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

બિહાર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) ના 1.50 લાખથી વધુ લાભાર્થીઓને તેમના વ્યક્તિગત બેંક ખાતાઓમાં જરૂરી રકમ જમા કરાવવા છતાં...
National 
પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

ગયા વર્ષે, દિવાળીના અવસર પર, કેન્દ્ર સરકારે 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના વૃદ્ધોને મફત તબીબી સારવારની સુવિધા...
Business 
હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati