CBI સમન્સ બાદ બોલ્યા CM- જો કેજરીવાલ ભ્રષ્ટ તો દુનિયામાં કોઈ ઈમાનદાર નહીં

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આબકારી નીતિ કેસમાં CBI અને EDની કાર્યવાહીને લઈને કેન્દ્રની ભારતીય જનતા પાર્ટી (BJP) સરકાર પર પ્રહાર કર્યો છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, મનિષ સિસોદિયા વિરુદ્ધ CBI અને EDને અત્યાર સુધી એક પુરાવા મળ્યા નથી. એ છતા ખોટું બોલીને મનિષ સિસોદિયાને ફસાવવામાં આવ્યા છે. આ દરમિયાન CBIના સમન્સ બાદ દિલ્હીના મુખ્યમંત્રીએ પોતે જ પોતાનો બચાવ કરતા કહ્યું કે, જો કેજરીવાલ ભ્રષ્ટ તો દુનિયામાં કોઈ ઈમાનદાર નહીં.

અરવિંદ કેજરીવાલે CBI દ્વારા સમન્સ પાઠવવા પર કહ્યું કે, દિલ્હી વિધાનસભામાં જે દિવસે ભ્રષ્ટાચાર વિરુદ્ધ બોલ્યો હતો, એ જ દિવસે હું જાણી ગયો હતો કે આગામી નંબર મારો હશે. છેલ્લા 75 વર્ષોમાં કોઈ પણ પાર્ટીને AAPની જેમ નિશાનો બનાવવામાં આવી નથી. અમે લોકોમાં સારા શિક્ષણની આશા વ્યક્ત કરી છે, તેઓ આ આશાને સમાપ્ત કરવા માગે છે. કાલે CBIએ મને બોલાવ્યો છે અને હું નિશ્ચિત રૂપે જઈશ. જો અરવિંદ કેજરીવાલ ભ્રષ્ટ છે તો આ દુનિયામાં કોઈ પણ ઈમાનદાર નથી.

જો ભારતીય જનતા પાર્ટી (BJP)એ મારી ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે તો જાહેર રીતે CBI તેમના નિર્દેશોનું પાલન કરશે. અરવિંદ કેજરીવાલે દાવો કર્યો કે, CBI, EDએ આબકારી નીતિ કેસમાં કોર્ટમાં ખોટી એફિડેવિટ દાખલ કરી, તેઓ મનિષ સિસોદિયા અને મારી વિરુદ્વ જુબાની આપવા માટે લોકો પર અત્યાચાર કરી રહી છે. ED, CBIએ 100 કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ લગાવ્યો, તેમણે 400 કરતા વધુ છાપેમારી કરી, પરંતુ આ રકમ ન મળી.

દિલ્હી આબકારી નીતિ ઉત્કૃષ્ટ હતી, તે ભ્રષ્ટાચાર સમાપ્ત કરી દે છે. ભાજપ માટે ભ્રષ્ટાચાર કોઈ મુદ્દો નથી અને તેનું ઉદ્દેશ્ય ભ્રષ્ટાચારની તપાસ કરાવાવનું છે જ નહીં. તેના નેતા પોતે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે. એ વાત ભાજપના નેતા સત્યપાલ મલિકે જ એક ઇન્ટરવ્યૂમાં કહી છે. ખોટું બોલીને મનિષ સિસોદિયાને ફસાવવામાં આવ્યા છે. તેમના પર આરોપ છે કે તેમણે પોતાના 14 ફોન તોડી દીધા. પછી ED કહી રહી છે કે તેમાંથી 4 ફોન તેની પાસે છે અને CBI કહી રહી છે કે 1 ફોન તેની પાસે છે. જો તેમણે ફોન તોડ્યા તો તેમની પાસે ફોન કેવી રીતે આવ્યા. આ લોકોએ ખોટું બોલીને કેસ બનાવ્યા અને કહ્યું કે દારૂ કૌભાંડ થયો છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.