કેજરીવાલ બોલ્યા- કેન્દ્ર સરકાર પોતાનું કામ કરે અને બીજાને પણ કરવા દે, પણ તે...

આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્રમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકાર પર રાજ્યો, ન્યાયાધીશો, ખેડૂતો અને વેપારીઓ સહિત બધા સાથે ઝઘડો કરવાનો આરોપ શનિવારે લગાવ્યો છે. અરવિંદ કેજરીવાલે ન્યાયાધીશોની વરણી સાથે સંબંધિત કોલેજિયમ પ્રણાલીના સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર વચ્ચે ઘર્ષણ પર સરકારને બીજાઓના કામમાં દખલઅંદાજી ન કરવાની સલાહ આપી છે. અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી કે, ‘કેન્દ્ર સરકાર બધા સાથે ઝઘડો કેમ કરે છે?’

તેમણે આગળ કહ્યું કે, ‘ન્યાયાધીશો સાથે, સુપ્રીમ કોર્ટ સાથે, રાજ્ય સરકારો સાથે, ખેડૂતો સાથે, વેપારી સાથે? સૌની સાથે ઝઘડો કરવાથી પ્રગતિ નહીં થાય. તમે પોતાનું કામ કરો, બીજાઓને કામ કરવા દો. બધાના કામમાં દખલઅંદાજી ન કરો.’ દિલ્હીમાં સત્તાધારી આમ આદમી પાર્ટીનું શાસન અને અધિકાર ક્ષેત્ર સંબંધિત અલગ અલગ મુદ્દાને લઇને કેન્દ્ર દ્વારા વરણી કરાયેલા ઉપરાજ્યપાલ સાથે ઘણી વખત ઘર્ષણ થઇ ચૂક્યું છે. અરવિંદ કેજરીવાલ સાથે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ ગયા મહિના શાળાના શિક્ષકોને ટ્રેનિંગ માટે ફિનલેન્ડ મોકલવાના સરકારના પ્રસ્તાવને મંજૂરી આપવામાં કથિત મોડું થવાને લઇને રાજ નિવાસ સુધી માર્ચ કાઢી હતી.

તેમણે કેન્દ્ર પર સરકારોને પાડવા અને ધારાસભ્યોની ખરીદી માટે એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)નો દુરુપયોગ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. EDએ દિલ્હીમાં કથિત આબકારી નીતિ કૌભાંડ મામલે હાલમાં જ આરોપ પત્ર દાખલ કર્યું હતું. અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં ઉપરાજ્યપાલને વધુ શક્તિઓ આપનારા રાષ્ટ્રીય રાજધાની વિસ્તાર દિલ્હી સરકાર સંશોધન અધિનિયમ (GNCTD)ને પણ સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં અત્યાર સુધી નિર્ણય સંભળાવ્યો નથી.

અરવિંદ કેજરીવાલે ગુરુવારે કેન્દ્ર દ્વારા વર્ષ 2021માં લાવવામાં આવેલા GNCTD સંશોધન અધિનિયમની નિંદા કરી હતી અને આશા વ્યક્ત કરી હતી કે કોર્ટ તેને અસંવૈધનિક જાહેર કરી દેશે. દિલ્હીમાં તથા કથિત દારૂ કૌભાંડમાં ભાજપે અરવિંદ કેજરીવાલ સરકાર વિરુદ્ધ હલ્લા-બોલ કર્યો હતો. આમ આદમી પાર્ટીની ઓફિસ સામે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓએ પ્રદર્શન કર્યું. અરવિંદ કેજરીવાલ પર ભાજપનો સીધો આરોપ છે કે, દારૂ કૌભાંડ અરવિંદ કેજરીવાલની જાણકારીમાં થયો છે. તેને લઇને શનિવારે ભાજપે જોરદાર પ્રહાર કર્યો.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.