કેજરીવાલનો મોટો આરોપ-સિસોદિયાને બંદૂકની અણીએ પૂછ્યું-બોલ જેલ જશે કે BJPમાં?

દિલ્હી વિધાનસભામાં બુધવારે આમ આદમી પાર્ટી (AAP)ની સરકારે વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ દરમિયાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર મનીષ સિસોદિયાની ધરપકડને લઈને પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને CBIનો દુરુપયોગ કરીને ધારાસભ્યો અને સાંસદોને ખરીદી રહી છે. CBI અને EDએ મનીષ સિસોદિયાના માથે બંદૂક રાખીને તેના પર ભારતીય જનતા પાર્ટી (BJP)માં સામેલ થવાનો દબાવ બનાવવામાં આવ્યો.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ભાજપ વિધાનસભામાં તેમની વિરુદ્ધ આવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની હતી, એટલે તેઓ જાણીજોઇને વિધાનસભાની પટલ પર વિશ્વાસ પ્રસ્તાવ લઈને આવ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૌથી મોટા ભ્રષ્ટાચારી કહ્યા. દિલ્હી વિધાનસભામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ED અને CBIએ દેશના બધા ભ્રષ્ટ લોકોને એક પાર્ટીમાં લાવી દીધા છે. ED અને CBIએ છાપેમારી કરી અને તેમના માથા પર બંદૂક રાખી દીધી.

તેમને પૂછવામાં આવ્યું કે, જેલ જવા માગો છો કે ભાજપમાં. અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો કે, કેન્દ્ર સરકાર તપાસ એજન્સીઓનો ઉપયોગ કરીને ભાજપમાં નેતાઓની જોઇનિંગ કરાવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, જે દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે, ભારત ‘ભ્રષ્ટાચાર મુક્ત ભારત’ બની જશે. જે દિવસે તેમની સરકાર બહાર થઈ જશે, ભાજપના લોકોને સળિયાઓ પાછળ નાખી દેશે, દેશ ભ્રષ્ટાચાર મુક્ત થશે.

અરવિંદ કેજરીવાલે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું મેં આમ આદમી પાર્ટીના ધારાસભ્યો સાથે વાત કરી તો ખબર પડી કે તેમને ધમકી મળી રહી છે. તેમને કહેવામાં આવી રહ્યું છે કે ભાજપમાં આવી જાઓ, નહીં તો સિસોદિયાની જેમ જેલમાં નાખી દેવામાં આવશે. મેં બધા આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને કહી દીધું છે કે તમે બધા લોકો અમારી પાર્ટીના હીરા છો. ભલે તમે જેલ જતા રહો, પરંતુ ડરતા નહીં. હું તમારા પરિવારનો ખ્યાલ રાખીશ. અરવિંદ કેજરીવાલે પોતાના સંબોધનમાં દેશના લોકતંત્ર સમાપ્ત થવાની વાત કહી છે.

તેમણે કહ્યું કે, એક મોટો વેપારી કાલે મને મળ્યો હતો. તેણે કહ્યું કે, તે ભારત છોડીને જઈ રહ્યો છે કેમ કે ડરનો માહોલ છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીનું બજેટ રજૂ કરવાથી લઈને મનિષ સિસોદિયાની આબકારી નીતિ કૌભાંડમાં ધરપકડ પર કેન્દ્ર અને રાજ્યમાં ઘર્ષણની સ્થિતિ છે, તેને લઈને મોટા ભાગે રોડથી લઈને વિધાનસભા સદન સુધીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટકરાવ થતો દેખાઈ રહ્યો છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.