ફિલ્મ ‘દ્રશ્યમ’ જોઇ મહિલાએ પતિનું કર્યું મર્ડર, 6 મહિના સુધી પોલીસને ફરાવી

મધ્ય પ્રદેશના અશોક નગરમાં એક યુવકના ગુમ થવાની ફરિયાદના મામલામાં પોલીસને મોટી સફળતા હાંસલ થઇ. ગુમ થનાર યુવકની 6 મહિના પહેલા તેની જ પત્નીએ પ્રેમી સાથે મળીને હત્યા કરી હતી. હત્યા પછી પુરાવા છુપાડવા માટે આરોપી પત્ની અને તેના પ્રેમીએ દ્રશ્યમ ફિલ્મ વારે વારે જોઇ. પછી પતિની સારવારનું બહાનું બનાવી તેને પોતાની સાથે લઇ ગઇ. રસ્તામાં પોતાના પ્રેમી સાથે મળીને વિદિશાના શમશાબાદમાં પત્થરથી કચડીને પતિની હત્યા કરી દીધી.

અશોક નગરના 35 વર્ષીય સૌરભ જૈનના ગુમ થવા અને હત્યાની શંકા વ્યક્ત કરતા પરિવારે FIR દાખલ કરાવી હતી. પરિવારે 13 જુલાઈના રોજ ફરિયાદ દાખલ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે સૌથી પહેલા મૃતકની પત્ની અને તેની સાથે રહેનારા દીપેશ ભાર્ગવને કસ્ટડીમાં લીધા અને પૂછપરછ શરૂ કરી.

તપાસમાં સામે આવ્યું કે સૌરભના લગ્ન 8 વર્ષ પહેલા ઋચા જૈન સાથે થયા હતા. તેની વચ્ચે ઋચા અને દીપેશ ભાર્ગવ વચ્ચે અફેર શરૂ થયો. બંનેએ મળીને સૌરભની હત્યાનો પ્લાન બનાવ્યો. ત્યાર પછી 23 ફેબ્રુઆરી 2023ના રોજ આરોપી પત્ની ઋચા સૌરભને સારવારના બહાને લઇ ગઇ. વિદિશાના સિરોંજમાં 35 હજારમાં ગાડી ભાડે કરી. બંનેએ સૌરભની પથ્થરથી કચડી હત્યા કરી નાખી. શમશાબાદ પોલીસે અજ્ઞાત આરોપી સામે હત્યાનો કેસ દાખલ કરી લીધો. 6 મહિના પછી મૃતકના ભાઈની ફરિયાદ પર સૌરભની પત્ની અને પ્રેમીને પોલીસે પકડી લીધા.

પતિની હત્યા કર્યા પછી આરોપીઓ સૌરભના ATMથી સતત પૈસા કાઢી તેને ઉડાવી રહ્યા હતા. આરોપી ઋચા તેના દીકરાની ટીસી કાઢવા સ્કૂલે પહોંચી તો તેણે પિતાનું મોત થયાની જાણ કરી. ત્યાર પછી સૌરભના ભાઈએ પોલીસમાં ફરિયાદ કરી.

ચોંકાવનારી વાત એ હતી કે, મહિલા તેના પ્રેમીને ભાઈ બતાવી રહી હતી. મહિલાનો દીકરો દીપેશને મામા કહી બોલાવતો હતો.

આરોપી પત્ની અને પ્રેમીએ સૌરભની હત્યા પછી તેના સાક્ષ્ય છુપાવવા દ્રશ્યમ ફિલ્મ વારે વારે જોઇ. પોલીસે જ્યારે પૂછપરછ કરી તો બંને આરોપીઓએ અલગ અલગ વાત કહી. પહેલા તો સૌરવના શવના ટુકડા કરી તેને બાળી દેવાની વાત કહી. પોલીસે હાડકાને લઇ સવાલ કર્યા તો તેને તળાવમાં ફેંકી દેવાની વાત કહી. પણ પોલીસને આ જગ્યાઓ પર કોઈ પુરાવા મળ્યા નહીં. તેની વચ્ચે વિદિશાથી એક શવ મળવાની વાત સામે આવી. જે સૌરભની મળી આવી. પોલીસના સવાલોના જવાબ તેમની પાસે ન હોવા પર બંને આરોપીઓએ હત્યાની વાત કબૂલ કરી લીધી.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.