સરકારની મોટી જાહેરાતના સંકેત, ભારત પાસે હશે પોતાનું મેડ ઇન ઈન્ડિયા ChatGPT

જનરેટિવ AI હાલના દિવસોમાં ચર્ચામાં છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ (AI)ની મદદથી કમાલ દેખાડનારું ચેટબોટ ChatGPT ઝડપથી લોકપ્રિય થયું છે. હવે ભારત સરકારે સંકેત આપ્યા છે કે, દેશમાં પોતાનું ChatGPT વર્ઝન તૈયાર કરવામાં આવશે. ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રી અશ્વિની વૈષ્ણવે એક મોટી જાહેરાત સાથે જોડાયેલા સંકેત આપતા પોતાના વિચાર જણાવ્યા કે ભારત પાસે પોતાનું AI ચેટબોટ હોય શકે છે અને જલદી જ લોન્ચ કરી શકાય છે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ ગ્લોબલ ફોરમ એન્યૂઅલ સમિટનો હિસ્સો બન્યા હતા, જેમાં તેમણે મોટી જાહેરાત સાથે જોડાયેલા સંકેત આપ્યા હતા. તેમણે પોતાના ભાષણ દરમિયાન કહ્યું કે, બસ થોડા અઠવાડિયા થોભો, એક મોટી જાહેરાત થશે. ઉલ્લેખનીય છે કે, ગ્લોબલ ચેટબોટ માર્કેટ વર્ષ 2030 સુધી 3.99 અબજ ડોલર સુધી હોય શકે છે, જેમાં OpenAI ગૂગલ અને સ્નેપચેટ જેવા નામ પહેલા જ સામેલ થઈ ચૂક્યા છે. અન્ય ઘણી કંપનીઓ પણ જનરેટિવ AIમાં રોકાણ કરી રહી છે અને પોત પોતાના વર્ઝન લોન્ચ કરવાની છે.

અશ્વિની વૈષ્ણવે ભારતમાં વધી રહેલી સ્ટાર-અપ કમ્યુનિટી બાબતે પણ ચર્ચા કરી અને કહ્યું કે, સિલિકોન વેલી બેંક કોલેપ્સની અસર કોઈ ભારતીય સ્ટાર્ટ-અપ પર પડી નથી કેમ કે સરકારે તેની મદદ માટે જરૂરી વ્યવસ્થા કરી રાખી હતી. તેમણે ટેક્નોલોજી ક્ષેત્રમાં ભારતની હાલની સ્થિતિના વખાણ કર્યા અને કહ્યું કે ઘણા ગ્લોબલ પાર્ટનર્સ હવે ભારતીય સ્ટાર્ટ-અપ્સ સાથે મળીને કામ કરવા માગે છે. સરકાર પણ સ્ટાર-અપ કમ્યુનિટીને પ્રોત્સાહન આપવાની દિશામાં કામ કરશે.

દેશમાં બનેલો AI ચેટબોટ યુઝર્સને જે જાણકારી આઉટસોર્સ કરીને આપશે, તે ભરોસાપાત્ર અને આંતરિક સોર્સિસથી એકત્ર કરવામાં આવી હશે. જનરેટિવ AI યુઝર્સ તરફથી પૂછવામાં આવેલા સવાલ અથવા તો કમાન્ડના હિસાબે જવાબ આપતા નિબંધ લખવાથી લઈને કોડિંગ કરવા જેવા કામ કરી શકે છે. ભારત પોતાનું AI ચેટબોટ જાણકારીઓ એકત્ર કરવાનું સરળ અને ફ્રી વિકલ્પ હોય શકે છે અને તેની સાથે જોડાયેલી વધુ જાણકારીઓ આગામી અઠવાડિયે સામે આવી શકે છે.

શું છે ChatGPT?

અંગ્રેજી ભાષામાં ChatGPTનું ફૂલ ફ્રોમ ચેટ જનરેટિવ પ્રિટ્રેન્ડ ટ્રાન્સફોર્મર થાય છે. તેનું નિર્માણ ઓપન આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ દ્વારા કરવામાં આવ્યું છે જે એક પ્રકારનું ચેટબોટ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સના કારણે જ આ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજેન્સ પર કામ કરશે. રિપોર્ટ્સ મુજબ, તમે તેના દ્વારા સરળ શબ્દોના ફોર્મેટમાં વાત કરી શકો છો અને પોતાના કોઈ પણ પ્રકારના સવાલનો જવાબ મેળવી શકો છો. તેને જો આપણે એક પ્રકારનું સર્ચ એન્જિન કહીએ તો કોઈ અતિશયોક્તિ નહીં હોય.

About The Author

Top News

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'
Copyright (c) Khabarchhe All Rights Reserved.