મદરેસાને લઈને આસામના મુખ્યમંત્રી હેમંત સરમાએ જણાવ્યો પ્લાન

આસામના CM હિમંતા બિસ્વા સરમાએ મદરેસાઓને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, તેઓ રાજ્યમાં મદરેસાઓની સંખ્યા ઘટાડવા માગે છે. તેમણે કહ્યું કે રાજ્યમાં રજીસ્ટ્રેશન સિસ્ટમ લાગુ કરવામાં આવશે. એક પત્રકાર પરિષદને સંબોધતા CM સરમાએ કહ્યું કે, પ્રથમ તબક્કામાં અમે રાજ્યમાં મદરેસાઓની સંખ્યા ઘટાડવા માંગીએ છીએ. અમે રાજ્યમાં સામાન્ય શિક્ષણની પદ્ધતિ રાખવા માંગીએ છીએ અને મદરેસાઓનું રજીસ્ટ્રેશન કરાવવા માંગીએ છીએ.

CMએ કહ્યું કે, તેઓ લઘુમતી સમુદાય સાથે મળીને કામ કરી રહ્યા છે અને તેઓ પણ આ કામમાં મદદ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા CMએ આસામના DGP ભાસ્કર જ્યોતિ મહંત સાથે પણ મદરેસામાં સુધારા અંગે ચર્ચા કરી હતી. આ પછી, ગુવાહાટીમાં પ્રેસ કોન્ફરન્સમાં DGPએ કહ્યું હતું કે, આસામમાં મદરેસા યોગ્ય રીતે ચાલી રહ્યા છે. મદરેસા ચલાવતા 68 લોકો તેમને મળ્યા હતા.

આસામના CM સરમાએ થોડા દિવસો પહેલા કહ્યું હતું કે, મદરેસામાં ભણાવવા માટે આવતા રાજ્ય બહારના શિક્ષકોએ સમયાંતરે પોલીસ સ્ટેશન જવું પડશે અને તેમની હાજરી માર્ક કરવી પડશે. આ પછી AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ નિશાન સાધતા કહ્યું હતું કે, ભારતના લોકોને ગમે ત્યાં રહેવા અને કામ કરવાનો અધિકાર છે. CM સરમા પર પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે, 'આસામ એ કંઈ બીજો દેશ નથી, જ્યાં જવા માટે ભારતીયોએ તમારી પાસેથી પરવાનગી લેવી પડે.'

તેમણે કહ્યું હતું કે, RSS દ્વારા ચલાવવામાં આવતી શાળાઓનું અને તેના શિક્ષકો શું કરવામાં આવશે? શું થશે જો, અન્ય રાજ્યો આસામની જેમ આ પ્રકારના નિયંત્રણો લગાવવાનું શરૂ કરે તો? અહીં તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે આસામમાં અનેક મદરેસાઓ તોડી પાડવામાં આવ્યા હતા. એવો દાવો કરવામાં આવ્યો હતો કે, અહીં દેશ વિરોધી ગતિવિધિઓ ચાલી રહી છે અને મદરેસાઓ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યા છે. બોંગાઈગાંવમાં મદરેસાને તોડી પાડ્યા બાદ પણ રાજકારણ ખુબ ગરમાયું હતું.

આસામ વિધાનસભાની ચૂંટણી હજુ દૂર છે, પરંતુ BJP મુસ્લિમ વસ્તી સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. જમ્મુ અને કાશ્મીર પછી આસામ બીજા નંબરની સૌથી મોટી મુસ્લિમ વસ્તી ધરાવતું રાજ્ય છે. મુસ્લિમોની વસ્તી વિશે વાત કરીએ તો, તેઓ આસામની 31.2 મિલિયન વસ્તીના 34% છે, જેમાંથી 4% સ્થાનિક આસામી મુસ્લિમો છે અને બાકીના મોટાભાગે બંગાળી ભાષી મુસ્લિમો છે. બંગાળી ભાષી મુસ્લિમોને ઘણીવાર 'મિયા' મુસલમાન કહેવામાં આવે છે. આસામમાં BJP તેના સહયોગી દળો સાથે મળીને 14 લોકસભા બેઠકોમાંથી 12 બેઠકો જીતવાનું લક્ષ્ય ધરાવે છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.