મહિલાએ કરી પતિ-સાસુની હત્યા, આસામમાં મર્ડર, મેઘાલયમાં મળ્યા શવના ટુકડા

આસામમાં એક હત્યાની ઘટના સામે આવી છે. એક મહિલાએ પોતાના પતિ અને સાસુની નિર્દયતાપૂર્વક હત્યા કરી દીધી અને તેમના શવોના ટુકડાં કરીને પોલિથીનમાં ભરીને પાડોશી રાજ્ય મેઘાલયમાં ફેંકી દીધા. પોલીસે આ મામલાનો ખુલાસો કરતા જણાવ્યું કે, આરોપી મહિલાએ પોતાના બે મિત્રોની મદદથી આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ચેરાપૂંજીની પાસે ખાસી હિલ્સમાં રવિવારે મહિલાની સાસુના શવના કેટલાક ટુકડાં જપ્ત કર્યા હતા. આ હત્યાઓ ગત વર્ષે જુલાઈ અને ઓગસ્ટમાં કરવામાં આવી હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર, ગુવાહાટી પોલીસ કમિશનર દિગંત બારાહે જણાવ્યું કે, આરોપી મહિલાએ 26 જુલાઈએ પહેલા સાસુની હત્યા કરી, જ્યારે પતિની હત્યા 17 ઓગસ્ટે કરી હતી. મહિલા અને તેના બે નજીકના લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આરોપી મહિલા અને તેના એક સાથીની ગુવાહાટીમાંથી ધરપકડ કરવામાં આવી જ્યારે, ત્રીજા આરોપીની તિનસુકિયા જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી.

દિગંત કુમાર ચૌધરીએ કહ્યું કે, પત્નીએ 29 ઓગસ્ટે પોતાના પતિ અમરજ્યોતિ ડે (32) અને સાસુ શંકરી ડે (62)ના ગૂમ થયાની ફરિયાદ દાખલ કરાવી હતી અને પોલીસે તપાસ શરૂ કરી હતી. જોકે, નવેમ્બરમાં અમરજ્યોતિના પિતરાઇ ભાઈએ ગૂમ થયાની એક ફરિયાદ દાખલ કરાવી હતી, જેમા અમરજ્યોતિની પત્ની પર શંકા વ્યક્ત કરવામાં આવી હતી. કારણ કે, તેણે તેની સાસુના ખાતામાંથી પૈસા કાઢ્યા હતા. પછી અમે તપાસ શરૂ કરી તો મર્ડર અંગે જાણકારી મળી. તેમણે કહ્યું કે, બંને મામલા નૂનમતી પોલીસ સ્ટેશનમાં દાખલ છે અને મર્ડર ગુવાહાટીના ચાંદમારી અને નરેંગી વિસ્તારોમાં અલગ-અલગ ઘરોમાં થયા.

પોલીસ કમિશનરે કહ્યું કે, આરોપી મહિલાની ઓળખ બંદના કલિતા (32)ના રૂપમાં થઈ છે, જ્યારે તેના બે નજીકના સાથીઓની ઓળખ ધંતી ડેકા (32) અને અરૂપ ડેકા (27)ના રૂપમાં થઈ છે. તેમણે પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો કે બંદના અને અમરજ્યોતિના આશરે 12 વર્ષ પહેલા બંનેના પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન થયા હતા. જોકે, અમરજ્યોતિની માતાએ બાદમાં લગ્નનો સ્વીકાર કરી લીધો હતો અને આર્થિકરીતે તેમનું સમર્થન કરવાનું શરૂ કરી દીધુ પરંતુ, બાદમાં દંપતિ વચ્ચે અવારનવાર ઝઘડા થવા માંડ્યા.

બંદનાએ એક જિમમાં ફિટનેસ ટ્રેનર તરીકે નોકરી શરૂ કરી અને તેની સાસુએ તેનું સમર્થન કર્યું બાદમાં તે પાછળ હટી ગઈ. તેમના સંબંધોમાં ખટાશ આવી ગઈ. બંદનાએ દાવો કર્યો કે, તેનો પતિ નશો કરતો હતો અને તેની ઘણી મહિલા મિત્રો પણ હતી. સાસુ અને પતિથી છૂટકારો મેળવવા મહિલાએ કથિતરીતે પોતાના મિત્રોની મદદથી તેમની હત્યા કરી દીધી. 26 જુલાઈની બપોરે તકિયાથી ગળું દબાવીને મહિલાએ સાસુ શંકરી ડેની તેના ઘરમાં હત્યા કર્યા બાદ તેના શરીરના ત્રણ ટુકડાં કર્યા.

ત્યારબાદ ધંતી ડેકાની કારમાં મેઘાલય ગયા અને શવના ટુકડાં અલગ-અલગ જગ્યાઓ પર ફેંકી દીધા. ત્યારબાદ બંદનાએ 17 ઓગસ્ટે પોતાના બે નજીકના મિત્રો સાથે અમરજ્યોતિ પર નરેંગીમાં તેમના ફ્લેટ પર લોખંડના સળીયા વડે હુમલો કર્યો. તેના મોત બાદ શરીરના પાંચ ટુકડાં કર્યા અને તેને પણ ગાડીમાં લઈ જઈ મેઘાલયમાં ફેંકી દીધા.

પોલીસ તપાસમાં ત્રણેય આરોપીઓ પોલીસને એ જગ્યાએ લઈ ગયા જ્યાં તેમણે શવના ટુકડાં ફેંક્યા હતા. શંકરી ડેના શવના ટુકડાં મળી આવ્યા છે. પોલીસે જણાવ્યું કે, મહિલા વારંવાર નિવેદન બદલી રહી છે. હજુ સુધી હત્યાના કારણ અંગે ખુલાસો થઈ શક્યો નથી. પોલીસે બંદના અને ધંતીના મોબાઈલ, શરીરના અંગો લઈ જવા ઉપયોગમાં લેવાયેલી કાર, મૃતકોના ATM કાર્ડ, ફાટેલાં કપડાં વગેરે જપ્ત કરી લીધા છે.

About The Author

Top News

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

તેલંગાણાના નિર્મલ જિલ્લાના આ ચૂંટણીના સમાચાર સાબિત કરે છે કે, દરેક લોકોએ મત આપવો કેટલો મહત્વપૂર્ણ હોય છે. અહીં...
National 
પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.