PM મોદીએ સાંસદોને આપ્યું 1 મહિનામાં પૂરૂં કરવાનું લેસન, જાણો શું છે તે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના અવસર પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદોને નવો ટાસ્ક આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદોને પોત પોતાના વિસ્તારમાં જવા કહ્યું છે. રિપોર્ટ્સ મુજબ 15 મેથી 15 જૂન સુધીમાં બધા સાંસદોને પોત પોતાના ક્ષેત્રોમાં રહેવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદને સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના કાર્યક્રમ બનાવીને આખા ક્ષેત્રમાં પ્રચાર કરવાના નિર્દેશ આપ્યા છે. આ કાર્યક્રમ હેઠળ સાંસદોને એક મહિનાનો કાર્યક્રમ બનાવીને PMOને શેર કરવાનો છે.

એ સિવાય ભાજપ 6 એપ્રિલથી 14 એપ્રિલ સુધી સામાજિક ન્યાય પખવાડિયું મનાવશે. આ વાતની નિર્ણય ભાજપની સંસદીય દળની બેઠકમાં થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભાજપના સ્થાપના દિવસથી લઈને બાબા સાહેબ આંબેડકરની જયંતી સુધી સાંસદ પોત પોતાના ક્ષેત્રોમાં પ્રચાર કરે. બધા સાંસદ 15 મેથી 15 જૂન સુધી સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર સરકારના બધા મહત્ત્વપૂર્ણ કામકાજને જનતા સુધી લઈને જશે. ગેર-રાજનૈતિક ગતિવિધિઓ સાથે સમાજમાં ખૂબ પ્રભાવ રહે છે.

ગુજરાતમાં ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ કેમ્પેનથી સેક્સ રેશિયોમાં સુધાર આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ધરતી માતા અને પર્યાવરણને સુધારવા માટે આગામી સમયમાં બધા સાંસદ કેમ્પેન ચલાવે. નવી-નવી ટેક્નોલોજી બજારમાં આવી રહી છે. તેના માટે એક્સપર્ટ ટીમને પોતાની સાથે જોડો. તેમણે સાંસદોને સંસ્કૃત સંસ્કૃતિ મહોત્સવ ચલાવવાનું આહ્વાન કર્યું છે. એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, એપ્રિલમાં મન કી બાતના 100માં એપિસોડમાં બધા સાંસદ પોતાની સહભાગિતા નક્કી કરે.

તેમણે આગળ કહ્યું કે, જેમ જેમ જીતના માર્ગે ભાજપ આગળ વધી રહી છે, તેમ તેમ વિપક્ષી પાર્ટીઓનો પ્રહાર પણ વધશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમ પણ કહ્યું કે, મેં કહ્યું હતું કે, રાજનૈતિક હુમલા વધુ તેજ થશે એ હવે દેખાઈ રહ્યું છે.  ભાજપની સંસદીય દાળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જો તમે સામાજિક મુદ્દાઓ પર કામ કરશો તો પાર્ટીને તેનો ફાયદો થશે. ભાજપની રણનીતિ એ વાતથી પણ સમજી શકાય છે કે જે મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીને સજા થઈ છે, તેને પણ OBC અપમાન સાથે જોડીને રજૂ કરવાની તૈયારી છે. ભાજપ સતત કહી રહી છે કે મોદી સરનેમ પર આપત્તિજનક ટિપ્પણી કરીને રાહુલ ગાંધીએ OBC સમાજનું અપમાન કર્યું છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.