અતીક-અશરફના વકીલે કર્યો બંધ કવરનો ઉલ્લેખ, બોલ્યો-પોલીસ અધિકારી 15 દિવસમાં...

માફિયા ડૉન અતીક અને તેના ભાઈ અશરફની હત્યા બાદ ઉત્તર પ્રદેશના કાયદા વ્યવસ્થા પર સવાલ ઉઠી રહ્યો છે. હવે અતીકના ભાઈ અશરફના વકીલે દાવો કર્યો છે કે તેના ક્લાયન્ટને એક પોલીસ અધિકારીએ પહેલા જ કહી દીધું હતું કે 15 દિવસમાં તેની હત્યા કરી દેવામાં આવશે. એક ન્યૂઝ એજન્સીને આપેલા નિવેદનમાં અશરફના વકીલે એવો પણ દાવો કર્યો કે બંને માફિયા ભાઇઓની હત્યા એક રાજકીય ષડયંત્ર હેઠળ કરવામાં આવી છે.

વકીલ વિજય મિશ્રાએ જણાવ્યું કે, અશરફને જ્યારે પ્રયાગરાજથી જિલ્લા જેલ બરેલી લઈ જવામાં આવી રહ્યો હતો તો એ પહેલા તેને પોલીસ લાઇન લઈ જવામાં આવ્યો હતો. ત્યાં એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, આ વખત બચ્યો છે, પરંતુ 15 દિવસમાં તને જેલથી કાઢીને કામ તમામ કરી દવામાં આવશે. વકીલ વિજય મિશ્રાએ આગળ કહ્યું કે, આ બાબતની એ જાણકારી તેણે મીડિયાને પણ આપી હતી અને તેના દ્વારા અમને પણ પ્રાપ્ત થઈ હતી.

આ બાબતની જાણકારી લેવા માટે હું તેની સાથે મુલાકાત કરવા જિલ્લા જેલ બરેલી પણ ગયો હતો, તો ત્યાં તેણે મને કહ્યું હતું કે, કોઈ અધિકારીએ છે તેને ધમકી આપી હતી કે 15 દિવસમાં તને બરેલી જેલમાંથી કાઢીને હત્યા કરી દઇશું. તારું કામ તમામ કરાવી દઇશું તો મેં તેને એ અધિકારીનું નામ પૂછ્યું તો તેણે કહ્યું કે, તું મારો એડવોકેટ છે, હું તને નહીં કહું, નહીં તો તું પરેશાનીમાં પડી શકે છે.

તેણે આગળ કહ્યું કે, વાતચીત દરમિયાન અતીક અને અશરફના વકીલ વિજય મિશ્રાએ કોઈ બંધ કવરનો ઉલ્લેખ પણ કર્યો. તેણે કહ્યું કે, તેણે મને એ જણાવ્યું હતું કે જ્યારે એવી કોઈ ઘટના મારી સાથે બનશે કે હત્યા થશે તો બંધ કવર સુપ્રીમ કોર્ટ, હાઇ કોર્ટ અને માનનીય મુખ્યમંત્રીજી પાસે પહોંચી જશે. આ દરમિયાન વકીલ વિજય મિશ્રાએ કહ્યું કે, આ એક રાજનૈતિક ષડયંત્ર છે અને ખૂબ મોટા ષડયંત્ર સાથે આ હત્યા કરાવવામાં આવી છે. શૂટ આઉટમાં જે શૂટર્સ સામેલ છે, તેમની સાથે તેની કોઈ પણ પ્રકારની કોઈ દુશ્મની નહોતી.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો
Copyright (c) Khabarchhe All Rights Reserved.