અયોધ્યાના રામમંદિરમાં દાનનો ધોધ, બેંકે રૂપિયા ગણવા 2 અધિકારી મૂકવા પડ્યા

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય જોર શોરથી ચાલી રહ્યું છે. રામ મંદિર નિર્માણ માટે રામભક્ત દિલ ખોલીને દાન આપી રહ્યા છે. તેના પુરાવા છે મંદિર નિર્માણ માટે આપવામાં આવતા રોકડ ફંડમાં પણ ભારે વધારો થયો છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના એક અધિકારીએ કહ્યું કે, જાન્યુઆરીની તુલનામાં હવે રોકડ ફંડમાં 3 ગણો વધારો થયો છે. રામ જન્મભૂમિ આવી રહેલા શ્રદ્ધાળુ ખૂબ રોકડ દાન કરી રહ્યા છે. એક વખત દાનપાત્રમાંથી કાઢનારી ધનરાશિની ગણતરી કરવામાં 15 દિવસ લાગે છે.

માત્ર 15 દિવસમાં જ દાનની રકમ 1 કરોડ રૂપિયા થઈ ગઈ છે. રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટના ઓફિસ ઇન્ચાર્જ પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું કે, દાનની ગણતરી જમા કરનારા બેંક અધિકારીઓએ રામ મંદિર ટ્રસ્ટને સૂચિત કર્યું કે, જાન્યુઆરી 2023થી દાન 3 ગણી વધી ગઈ છે. ટ્રસ્ટના બેંક ખાતામાં અકાઉન્ટિંગ અને કેશ ડિપોઝિટ કરવા માટે ભારતીય સ્ટેટ બેંકે વિશેષ રૂપે 2 અધિકારીઓની નિમણૂક કરી છે. એક રિપોર્ટ મુજબ, રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે, રામ મંદિરમાં આવનાર દાન ઝડપથી વધી રહી છે અને આવનાર સમયમાં તિરૂપતિ બાલાજીની જેમ વ્યવસ્થા જ રોકડની ગણતરી કરવાની વ્યવસ્થા કરવી પડશે.

બાલાજી મંદિરમાં સેકડો કર્મચારી રોજ દાન રૂપે આવનારી રકમની ગણતરી કરે છે. મંદિરના ગર્ભગૃહના પિલર 14 ફૂટ સુધી બનીને તૈયાર છે. પરકોટેનું મંદિર પણ ઝડપથી બનાવવામાં આવી રહ્યું છે. મંદિર નિર્માણનું પહેલું ચરણ 2023 સુધી પૂરું થશે. મંદિરનું બીજું ચરણ ડિસેમ્બર 2024માં, જ્યારે 2025 સુધી મંદિર પૂરી રીતે આકાર લઈ ચૂક્યું હશે, સામાન્ય ભક્તો માટે જાન્યુઆરી 2024માં મંદિરમાં દર્શન-પૂજન શરૂ થવાની આશા છે.

અત્યાર સુધી મંદિર નિર્માણમાં લગભગ 800 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ થઈ ચૂક્યો છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, મંદિરમાં કુલ 1800 કરોડ રૂપિયાનો ખર્ચ આવી શકે છે. મંદિર પરિક્રમા પથ તૈયાર કરવામાં આવી રહ્યો છે. નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ આ પથ પર ભક્ત પરિક્રમા કરશે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.