અયોધ્યાના રામ દરબારનો 'નવો નકશો' જાહેર, ભક્તો માટે મળશે આ સુવિધાઓ

અયોધ્યામાં રામ મંદિર બનવાની સાથે સાથે રામ જન્મભૂમિ સંકુલને પણ સજાવવાનું કામ ચાલી રહ્યું છે. સંકુલમાં આવનારા શ્રદ્ધાળુઓની સુવિધા માટે ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. આ દરમિયાન અયોધ્યા મંદિરનો નવો નકશો સામે આવ્યો છે.

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામમંદિર નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. બની રહેલા આ ભવ્ય મંદિરના નિર્માણની તસવીરો એક પછી એક સામે આવી રહી છે. આજે અમે તમને અયોધ્યાના વિશિષ્ટ નકશા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે જે ગતિથી તૈયારીઓ ચાલી રહી છે, તે ઝડપ બતાવી આપે છે કે, રામ ભક્તો ટૂંક સમયમાં અયોધ્યામાં તેમના આરાધ્ય દેવ ભગવાન રામના દર્શન કરી શકશે. સાથે જ આ મંદિરના નિર્માણમાં કોઈ પણ કસર છોડવામાં આવી રહી નથી. મીડિયા સૂત્રોને મળેલો અયોધ્યાનો વિશિષ્ટ નકશો દર્શાવે છે કે, આ આખું સંકુલ તીર્થયાત્રીઓ અને શ્રદ્ધાળુઓ માટે દરેક સુવિધાથી સજ્જ કરવામાં આવશે.

અહીં તમને જણાવી દઈએ કે, અયોધ્યાના રામ મંદિર પરિસરમાં સીતા કુપ, શેષવતાર મંદિર, સપ્ત ઋષિઓનું મંદિર, જટાયુ મૂર્તિ, કુબેર ટેકરી, અંગદ ટેકરી, નળ ટેકરી, ફુલવારી વિસ્તાર, પ્રાચીન શિવ મંદિર, ગાર્ડન કોરિડોર અને ઔષધિઓનો બગીચો હશે. સાથે જ અહીં આવતા શ્રદ્ધાળુઓ/ મુસાફરોની વાત કરીએ તો તેમના માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.

રામ મંદિરમાં ભક્તો માટે વિશેષ સુવિધાઓ પણ હશે. અહીં મંદિરમાં પ્રવેશદ્વારથી લઈને યાત્રી સુવિધા કેન્દ્ર, વહીવટી ભવન, મલ્ટીપર્પઝ હોલ, પાવર સ્ટેશન, મ્યુઝિયમ, VIP ગેસ્ટ હાઉસ, VIP એન્ટ્રી વે, VIP પાર્કિંગની સુવિધા, વોટર બોડી વિસ્તાર પણ હશે. આ ઉપરાંત અહીં ભક્તો માટે વિશેષ ધાર્મિક સભામંડપ પણ બનાવવામાં આવશે.

અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા માટે ચાલી રહેલી તૈયારીઓ સંકેત આપી રહી છે કે, રામ ભક્તોને આ ભેટ ટૂંક સમયમાં અને ભવ્ય રીતે મળવાની છે. તમે જાણી લો કે, મંદિરમાં 22 જાન્યુઆરી, 2024ના રોજ અભિષેક થશે. ભગવાન રામલલા ગર્ભગૃહમાં બિરાજમાન થશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચશે. આ પ્રસંગે PM નરેન્દ્ર મોદી પણ અયોધ્યામાં હાજર રહેશે. રામ ભક્તોની રાહ જોવાનો સમય ટૂંક સમયમાં જ સમાપ્ત થવા જઈ રહ્યો છે. જાન્યુઆરીમાં ભગવાન રામલલા મંદિરમાં બિરાજ્યા પછી રામ ભક્તો તેમના દર્શન કરી શકશે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.