બાબા કારુ ધામ મંદિરમાં છે 4 વર્ષ બાદ ખૂલી દાનપેટી, નીકળી સડેલી નોટ

બિહારના સહરસા જિલ્લામાં બાબા કારુ ધામ મંદિરની દાન પેટીને લગભગ 4 વર્ષ બાદ ખોલવામાં આવી છે. તેમાં લગભગ 50 લાખ રૂપિયાની નોટ હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જેની ગણતરી ચાલી રહી છે. આ દરમિયાન શરૂઆતી 2 દિવસ સધી ચાલેલી ગણતરીમાં લાખો રૂપિયા મૂલ્યની નોટ સળેલી નીકળી છે. આરોપ છે કે, પ્રશાસનિક અધિકારી SDOના ધ્યાન ન આપવાના કારણે આ સ્થિતિ બની છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, સહરસા જિલ્લામાં ઘણા વર્ષો બાદ ફરી એક વખત બાબા કારુ ધામની દાનપેટીઓ ખોલવામાં આવી છે.

દાનપેટીમાં લગભગ 50 લાખ રૂપિયાની નોટો હોવાની શક્યતા છે. તેની ગણતરી છેલ્લા 3 દિવસથી ચાલી રહી છે જે લગભગ આગામી વધુ 15 દિવસ સુધી ચાલી શકે છે. અત્યારે 2 દિવસ સુધી ચાલેલી આ ગણતરીમાં લાખો રૂપિયાની કિંમતની સળેલી નોટ નીકળી છે. આ કારણે મંદિરના પૂજારી, શ્રદ્ધાળુ સહિત સ્થાનિક લોકો ખૂબ દુઃખી છે. ઉલ્લેખનીય છે કે, મંદિર અને મંદિરની સંપત્તિને લઈને ‘ન્યાસ બોર્ડ’ રચાયેલું છે. તેના અધ્યક્ષ પ્રશાસનિક અધિકારી SDO છે, પરંતુ છેલ્લ 4 વર્ષથી તેના પર ધ્યાન ન આપવામાં આવ્યું. આ કારણે નોટોની સ્થિતિ ખરાબ થઈ ગઈ.

મંદિર પરિસરમાં કુલ 6 દાન પેટીઓ નોટોથી ભરેલી પડી છે. તેમાંથી માત્ર એક દાનપેટીને જ અત્યારે ખોલવામાં આવી છે. તેની ગણતરી છેલ્લા 3 દિવસથી ચાલી રહી છે, ત્યાં ઉપસ્થિત દંડાધિકારી રામનાથ પ્રસાદે જણાવ્યું કે, આગામી 15 દિવસ સુધી નોટોની ગણતરી ચાલુ રહેશે. તેમાં લગભગ 50 લાખ રૂપિયાથી વધુ રૂપિયા સુરક્ષિત કાઢવાની સંભાવના છે. તો મંદિરના મહંત બાબા ઉપેન્દ્ર ખિરહરનું કહેવું છે કે વર્ષ 2018 અને વર્ષ 2019 બાદ કોઈએ પણ એ તરફ ધ્યાન આપ્યું નથી.

તેમણે કહ્યું કે, તેના માટે ન્યાસ બોર્ડ બનાવવામાં આવ્યું છે. એ છતા દેખરેખ સારી રીતે થઈ રહી નથી. શ્રદ્ધાળુઓ દ્વારા ભગવાનને પાણી અને દૂધ ચડાવવા દરમિયાન તેનો કેટલોક હિસ્સો દાનપેટીમાં પડી જાય છે આ કારણે નોટોની આ સ્થિતિ થઈ છે. તો ન્યાસ બોર્ડના સચિવ બૈજાનાથ ખિરહરે કહ્યું કે, ઘણા વર્ષોથી દાનપેટીને ખોલવામાં આવી નહોતી. ઉલ્લેખનીય છે કે ન્યાસ બોર્ડના અધ્યક્ષ SDO હોય છે, એટલે તેમના દ્વારા જ નોટ જમા કરાવવા માટે બેંકમાં મોકલવાનું પ્રવધાન છે, પરંતુ એમ કરવામાં ન આવ્યું અને આ કારણે લાખો રૂપિયાની મૂલ્યની નોટ વેસ્ટ થઈ ગઈ.

સંત શિરોમણી કારુ બાબાનું આ મંદિર કોસી નદીના કિનારે વસેલું છે. આ મંદિરની પ્રસિદ્ધિ સીમા પેલે પાર નેપાળ સુધી છે. દર વર્ષે મોટી સંખ્યામાં બંને દેશના શ્રદ્ધાળુ મનોકામના પૂર્ણ કરવા માટે પૂજા-પાઠ કરે છે. અહી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. મંદિરમાં પ્રવેશ અગાઉ લોકો કોસીમાં સ્નાન કરે છે, પછી મંદિરમાં પ્રવેશ કરે છે. બાબા કારુ ધામ મંદિર પશુ દેવતના રૂપમાં પણ વિખ્યાત છે.

About The Author

Related Posts

Top News

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, ગુસ્સામાં કંઈ કહેતા પહેલા વિચારજો

સુરતના અલથાણથી વાલીઓ અને સગીર વયના બાળકો માટે એક ચેતવણીરૂપ મામલો સામે આવ્યો છે. માતાની વાતથી માઠું લાગી આવતા એક ...
Gujarat 
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, ગુસ્સામાં કંઈ કહેતા પહેલા વિચારજો

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    
Copyright (c) Khabarchhe All Rights Reserved.