વૃજભૂષણ શરણ સિંહ સામે આપેલા નિવેદન પર બાબા રામદેવનું યુ-ટર્ન, જાણો શું કહ્યું

યૌન ઉત્પીડનના આરોપ ઝીલી રહેલા કુશ્તી મહાસંઘના અધ્યક્ષ વૃજભૂષણ શરણ સિંહને લઈને આપવામાં આવેલા પોતાના નિવેદન પર સફાઇ આપી છે. બાબા રામદેવના નિવેદનને રાજપૂત સમાજનું અપમાન બતાવવામાં આવી રહ્યું હતું, ત્યારબાદ કરણી સેનાએ તેમની વિરુદ્ધ મોરચો ખોલી દીધો હતો. તો હવે તેમણે તેને લઈને સફાઇ રજૂ કરવામાં આવી. બાબા રામદેવ 3 દિવસીય શિબિરમાં ભીલવાડા પહોંચ્યા છે.

આ દરમિયાન તેમણે મીડિયા સામે દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કરી રહેલી મહિલા પહેલવાનોનું સમર્થન કરતા કુશ્તી મહાસંઘના અધ્યક્ષ વૃજભૂષણની ધરપક કરવાની માગ કરી હતી. આ નિવેદન બાદ ભીલવાડામાં કરણી સૈનિકોમાં નારાજગી હતી. વિવાદ વધતો જોઈને બાબા રામદેવે કરણી સેનાના પ્રતિનિધિઓઑ સાથે મુલાકાત કરી અને પોતાના નિવેદનથી યુ-ટર્ન લઈ લીધું છે. તેમણે કહ્યું કે, તેઓ રાજપૂત સમાજના શૌર્ય અને વીરતાની કદર કરે છે, મેં રાજપૂત સમાજનું કોઇ અપમાન કર્યું નથી.

વૃજભૂષણ પર પર આપવામાં આવેલા નિવેદનને લઈને તેઓ બચતા નજરે પડ્યા. તેમણે કહ્યું કે, અમે સારું કરી લઈશું અને ઉકેલી લઈશું. ભીલવાડામાં બાબા રામદેવે કહ્યું હતું કે, ‘એ ખૂબ જ શરમજનક વાત છે કે દેશના પહેલવાન જંતર-મંતર પર ધરણાં પર બેઠા છે અને કુશ્તી સંઘના અધ્યક્ષ વૃજભૂષણ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવી રહ્યા છે. એવા વ્યક્તિની તાત્કાલિક ધરપકડ કરીને જેલના સળિયા પાછળ મોકલી દેવા જોઈએ.

તેઓ મોટા ભાગે મા, બહેન અને દીકરીઓ બાબતે ફાલતુની વાતો કરે છે. તે અત્યંત નિંદનીયા અને દુષ્ટ કાર્ય છે. કરણી સેનાના રાષ્ટ્રીય કાર્યસમિતિના સભ્ય વિશ્વબંધુ સિંહ રાઠોડે વીડિયો જાહેર કરીને બાબા રામદેવના નિવેદનોનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, બાબા રામદેવ તો ન્યાયાધીશ બની ગયા છે. તમે કેવી રીતે કહી શકો છો કે વૃજભૂષણ સિંહની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ નાખી દો. જ્યારે તેમનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે અને તેઓ પોતાની વાત કહેવા સંઘર્ષ કરી રહ્યા છે. વિશ્વબંધુ રાઠોડ દ્વારા વૃજભૂષણ પર આપેલા નિવેદનને લઈને બાબા રામદેવ પાસે સ્પષ્ટીકરણ માગવામાં આવ્યું હતું, નહિતર ભિલવાડામાં કાર્યક્રમ ન થવા દેવાની ધમકી આપી હતી.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.