- National
- બાબા રામદેવને સુપ્રીમ કોર્ટનો વધુ એક ઝટકો, 4.5 કરોડ રૂપિયા ચૂકવવા કહ્યું
બાબા રામદેવને સુપ્રીમ કોર્ટનો વધુ એક ઝટકો, 4.5 કરોડ રૂપિયા ચૂકવવા કહ્યું

બાબા રામદેવને મેરઠ રેન્જના કસ્ટમ કમિશનર તરફથી મોટો ઝટકો લાગ્યો છે. તેમને યોગ શિબિર માટે સર્વિસ ટેક્સ ભરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કસ્ટમ્સ અને સેન્ટ્રલ એક્સાઇઝ મેરઠ રેન્જના કમિશનરે પતંજલિ યોગપીઠ ટ્રસ્ટને 4.5 કરોડ રૂપિયા ચૂકવવા કહ્યું છે. આ રકમ ઓક્ટોબર 2006થી માર્ચ 2011 વચ્ચે આયોજિત યોગ શિબિરો પરના સર્વિસ ટેક્સના રૂપમાં છે.
યોગગુરુ બાબા રામદેવની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. કસ્ટમ્સ અને સેન્ટ્રલ એક્સાઇઝ મેરઠ રેન્જના કમિશનરના આદેશથી પતંજલિ યોગપીઠ ટ્રસ્ટની સમસ્યાઓમાં વધારો થયો છે. કમિશનર દ્વારા બહાર પડાયેલા આદેશ હેઠળ, ઓક્ટોબર 2006થી માર્ચ 2011 દરમિયાન આયોજિત આવા શિબિરો માટે દંડ અને વ્યાજ સહિત પતંજલિ યોગપીઠ ટ્રસ્ટ પાસેથી અંદાજે રૂ. 4.5 કરોડ વસૂલવામાં આવશે. ટ્રસ્ટ તરફથી એવી દલીલ કરવામાં આવી રહી હતી કે, તેમના સ્તરે રોગોની સારવાર માટેની સેવાઓ આપવામાં આવી રહી છે. આ સ્વાસ્થ્ય અને ફિટનેસ સેવાઓની શ્રેણીમાં આવે છે. તેથી, તેઓ કરવેરાના દાયરાની બહાર છે. જો કે કસ્ટમ કમિશનરે આપેલા આદેશથી સ્પષ્ટ થયું છે કે, તેમની દલીલ સ્વીકારવામાં આવી નથી.
સ્વામી રામદેવના યોગ શિબિરો હવે સર્વિસ ટેક્સના દાયરામાં આવી ગયા છે. બાબા રામદેવના યોગ શિબિરોનું આયોજન કરતી સંસ્થા પતંજલિ યોગપીઠ ટ્રસ્ટે હવે તેની ચૂકવણી કરવી પડશે. જસ્ટિસ અભય M ઓક અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની બેન્ચે સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલના નિર્ણયને યથાવત રાખ્યો છે. સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલે તેના નિર્ણયમાં પતંજલિ યોગપીઠ ટ્રસ્ટને રહેણાંક અને બિન-રહેણાંક યોગ શિબિરોના આયોજન માટે સર્વિસ ટેક્સ ચૂકવવાનું ફરજિયાત બનાવ્યું હતું.
પતંજલિ યોગપીઠ સ્વામી રામદેવના યોગ શિબિરો માટે પ્રવેશ ફી વસૂલ કરી રહી છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઓક અને જસ્ટિસ ભુઈયાની બેન્ચે સ્પષ્ટ કહ્યું કે, સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલે સાચું કહ્યું છે. પ્રવેશ ફી વસૂલ્યા પછી શિબિરોમાં યોગ એ સેવા છે. અમને ટ્રિબ્યુનલના આદેશમાં દખલ કરવાનું કોઈ કારણ દેખાતું નથી. તેથી, પતંજલિ યોગપીઠ ટ્રસ્ટની અપીલ ફગાવી દેવામાં આવે છે.
આ સાથે, સુપ્રીમ કોર્ટે કસ્ટમ, એક્સાઇઝ અને સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલની અલ્હાબાદ બેંચના 5 ઓક્ટોબર, 2023ના આદેશમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો. હકીકતમાં, પ્રવેશ ફી લાદવામાં આવી હોવાને કારણે, બાબા રામદેવના યોગ શિબિરોને આરોગ્ય અને ફિટનેસ સેવાઓના દાયરામાં રાખવામાં આવ્યા છે.
Related Posts
Top News
IPLની તૈયારીઓમાં વ્યસ્ત હાર્દિક પંડ્યાએ કેમ કહ્યું- અઢી મહિનામાં બધું બદલાઈ ગયું
સરકાર શું ફેરફારો કરી રહી છે, જેના લીધે મુસ્લિમો વક્ફ બિલ વિરુદ્ધ ધરણા પર ઉતર્યા?
ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર સુરતમાં થશે ચૈત્રી નવરાત્રીએ 10 દિ' ગરબા, 10 મોટા સ્ટાર્સની હાજરી
Opinion
31.jpg)