બસ નમાઝ વાંચો, પછી જે કરવાનું હોય તે કરો, મુસ્લિમોને એ જ શીખવવામાં આવે છે:રામદેવ

બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે જોડાયેલો વિવાદ અત્યારે પણ થોભ્યો નથી. આ દરમિયાન યોગગુરુ બાબા રામદેવનું ઇસ્લામ અને મુસ્લિમો પર આપવામાં આવેલું નિવેદન અત્યારે ચર્ચામાં આવી ગયું છે. તેમાં બાબા રામદેવ નમાજ પર વાત કરી રહ્યા છે અને આગળ ઇસાઇ ધર્મ પર પણ પ્રહાર કરી રહ્યા છે. બાબા રામદેવે આ વાતો રાજસ્થાનના બાડમેરમાં એક ધર્મ સભા દરમિયાન કહી હતી. તેઓ પનોણિયોના તલા ગામમાં બ્રહ્મલીન તપસ્વી સંત ધર્મપુરી મહારાજના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠના કાર્યક્રમમાં પહોંચ્યા હતા.

બાબા રામદેવે કહ્યું કે, મુસ્લિમ ધર્મ મતલબ માત્ર નમાજ વાંચવનો છે. મુસ્લિમો માટે માત્ર નમાજ વાંચવા જરૂરી છે અને નમાજ વાંચ્યા બાદ કંઇ પણ કરો, બધુ યોગ્ય છે. પછી હિન્દુઓની છોકરી ઉઠાવો, પછી જિહાદના નામ પર આતંકવાદી બનીને જે મનમાં આવે તે કરો. બાબા રામદેવે ઇસાઇ ધર્મ પર બોલતા કહ્યું કે, દિવસમાં ચર્ચ જઇને મીણબત્તી સળગાવો, બધા પાપ ધોવાઇ જશે, પરંતુ હિન્દુ ધર્મમાં એમ થતું નથી. બાબા રામદેવ અહીં જ ન રોકાયા. ત્યારબાદ તેમણે કહ્યું કે, તેમના જન્નત (સ્વર્ગ)નો અર્થ છે કે ઘૂંટી ઉપર પાયજામો પહેરો, મૂછ કપાવી દો, ટોપી પહેરી લો.

તેમણે કહ્યું કે, આ હું કહી રહ્યો નથી, પરંતુ આ લોકો એમ કરી રહ્યા છે. પછી કહે છે કે જન્નતમાં પોતાની જગ્યા પાક્કી થઇ ગઇ છે. ત્યાં હૂર મળશે અને મદિરાનું પાન કરવા મળશે. એવું જન્નત તો જહાન્નુમથી બેકાર છે. પછી લોકો મૂછો કપાવી રહ્યા છે અને ટોપી પહેરી રહ્યા છે. આ ગાંડપણ છે. લોકો આ ચક્કરમાં પડ્યા છે કે આખી જમાતને ઇસ્લામમાં બદલવાનો છે. ત્યારબાદ રામદેવે સફાઇ આપતા કહ્યું કે, ‘હું કોઇની નિંદા કરી રહ્યો નથી, પરંતુ લોકો આ ચક્કરમાં પડ્યા છે. કોઇ ઇચ્છે છે કે આખી દુનિયા ઇસ્લામમાં બદલી દેશે. તો કોઇ કહે છે કે આખી દુનિયાને ઇસાઇમાં બદલી દઇશું, પરંતુ બદલવાનો કોઇ એજન્ડા તેમની પાસે નથી.

રામદેવે કહ્યું કે, સનાતન ધર્મમાં એવું નથી. સનાતન ધર્મ બાબતે કહેવામાં આવ્યું છે. બ્રહ્મ મુહૂર્તમાં જાગો, ઇશ્વરને યાદ કરો, યોગ, ધ્યાન અને સેવા કરો. આ જ સનાતન ધર્મ છે. ભગવાને માત્ર મનુષ્ય જાતિ બનાવી છે. બાકી જાતિઓ તો આપણે બધાએ બનાવી છે. હિન્દુ ધર્મને અનેકો જાતિઓમાં વહેચી દેવામાં આવી છે. એટલે પોતાના ધર્મ પ્રત્યે જાગ્રત રહો અને ધર્મ ગુરુઓના આહ્વાન પર હંમેશાં તત્પર રહો. ધર્મગુરુ જ્યાં કહે ત્યાં ઊભા થઇ જાઓ.

ઉલ્લેખનીય છે કે બાડમેર શહેરથી લગભગ 40 કિલોમીટર દૂર પનોણિયોના તલા ગામમાં બ્રહ્મલીન તપસ્વી ધર્મપુરી મહારાજના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને તેમના શિષ્ય જગરમપુરી મહારાજના ભંડારાનો 5 દિવસીય કાર્યક્રમ ચાલી રહ્યો છે. તેમાં હિસ્સો લેવા રામદેવ અને જૂના અખાડા મહામંડળેશ્વર અવધેશાનન્દ મહારાજ ગુરુવારે પહોંચ્યા. અહીં મહંત પ્રતાપપુરી, મહંત જગરામપુરી સહિત આસપાસના સાધુ સંતો અને અનુયાયીઓએ તેમનું જોરદાર સ્વગત કર્યું.

About The Author

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.