બસ નમાઝ વાંચો, પછી જે કરવાનું હોય તે કરો, મુસ્લિમોને એ જ શીખવવામાં આવે છે:રામદેવ

PC: indiatvnews.com

બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે જોડાયેલો વિવાદ અત્યારે પણ થોભ્યો નથી. આ દરમિયાન યોગગુરુ બાબા રામદેવનું ઇસ્લામ અને મુસ્લિમો પર આપવામાં આવેલું નિવેદન અત્યારે ચર્ચામાં આવી ગયું છે. તેમાં બાબા રામદેવ નમાજ પર વાત કરી રહ્યા છે અને આગળ ઇસાઇ ધર્મ પર પણ પ્રહાર કરી રહ્યા છે. બાબા રામદેવે આ વાતો રાજસ્થાનના બાડમેરમાં એક ધર્મ સભા દરમિયાન કહી હતી. તેઓ પનોણિયોના તલા ગામમાં બ્રહ્મલીન તપસ્વી સંત ધર્મપુરી મહારાજના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠના કાર્યક્રમમાં પહોંચ્યા હતા.

બાબા રામદેવે કહ્યું કે, મુસ્લિમ ધર્મ મતલબ માત્ર નમાજ વાંચવનો છે. મુસ્લિમો માટે માત્ર નમાજ વાંચવા જરૂરી છે અને નમાજ વાંચ્યા બાદ કંઇ પણ કરો, બધુ યોગ્ય છે. પછી હિન્દુઓની છોકરી ઉઠાવો, પછી જિહાદના નામ પર આતંકવાદી બનીને જે મનમાં આવે તે કરો. બાબા રામદેવે ઇસાઇ ધર્મ પર બોલતા કહ્યું કે, દિવસમાં ચર્ચ જઇને મીણબત્તી સળગાવો, બધા પાપ ધોવાઇ જશે, પરંતુ હિન્દુ ધર્મમાં એમ થતું નથી. બાબા રામદેવ અહીં જ ન રોકાયા. ત્યારબાદ તેમણે કહ્યું કે, તેમના જન્નત (સ્વર્ગ)નો અર્થ છે કે ઘૂંટી ઉપર પાયજામો પહેરો, મૂછ કપાવી દો, ટોપી પહેરી લો.

તેમણે કહ્યું કે, આ હું કહી રહ્યો નથી, પરંતુ આ લોકો એમ કરી રહ્યા છે. પછી કહે છે કે જન્નતમાં પોતાની જગ્યા પાક્કી થઇ ગઇ છે. ત્યાં હૂર મળશે અને મદિરાનું પાન કરવા મળશે. એવું જન્નત તો જહાન્નુમથી બેકાર છે. પછી લોકો મૂછો કપાવી રહ્યા છે અને ટોપી પહેરી રહ્યા છે. આ ગાંડપણ છે. લોકો આ ચક્કરમાં પડ્યા છે કે આખી જમાતને ઇસ્લામમાં બદલવાનો છે. ત્યારબાદ રામદેવે સફાઇ આપતા કહ્યું કે, ‘હું કોઇની નિંદા કરી રહ્યો નથી, પરંતુ લોકો આ ચક્કરમાં પડ્યા છે. કોઇ ઇચ્છે છે કે આખી દુનિયા ઇસ્લામમાં બદલી દેશે. તો કોઇ કહે છે કે આખી દુનિયાને ઇસાઇમાં બદલી દઇશું, પરંતુ બદલવાનો કોઇ એજન્ડા તેમની પાસે નથી.

રામદેવે કહ્યું કે, સનાતન ધર્મમાં એવું નથી. સનાતન ધર્મ બાબતે કહેવામાં આવ્યું છે. બ્રહ્મ મુહૂર્તમાં જાગો, ઇશ્વરને યાદ કરો, યોગ, ધ્યાન અને સેવા કરો. આ જ સનાતન ધર્મ છે. ભગવાને માત્ર મનુષ્ય જાતિ બનાવી છે. બાકી જાતિઓ તો આપણે બધાએ બનાવી છે. હિન્દુ ધર્મને અનેકો જાતિઓમાં વહેચી દેવામાં આવી છે. એટલે પોતાના ધર્મ પ્રત્યે જાગ્રત રહો અને ધર્મ ગુરુઓના આહ્વાન પર હંમેશાં તત્પર રહો. ધર્મગુરુ જ્યાં કહે ત્યાં ઊભા થઇ જાઓ.

ઉલ્લેખનીય છે કે બાડમેર શહેરથી લગભગ 40 કિલોમીટર દૂર પનોણિયોના તલા ગામમાં બ્રહ્મલીન તપસ્વી ધર્મપુરી મહારાજના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને તેમના શિષ્ય જગરમપુરી મહારાજના ભંડારાનો 5 દિવસીય કાર્યક્રમ ચાલી રહ્યો છે. તેમાં હિસ્સો લેવા રામદેવ અને જૂના અખાડા મહામંડળેશ્વર અવધેશાનન્દ મહારાજ ગુરુવારે પહોંચ્યા. અહીં મહંત પ્રતાપપુરી, મહંત જગરામપુરી સહિત આસપાસના સાધુ સંતો અને અનુયાયીઓએ તેમનું જોરદાર સ્વગત કર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp