દંગાખોરોએ સળગાવી દીધી મહિલા જજની કાર, 3 વર્ષની દીકરી સાથે બસ સ્ટેન્ડમાં..

PC: deccanherald.com

હરિયાણાના નૂહમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ની વ્રજમંડળ જળાભિષેક યાત્રા પર હુમલા દરમિયાન ભીડે નૂહના એક એડિશનલ ચીફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ (ACJM)ની ગાડી પર હુમલો કરીને તેમાં આગ લગાવી દીધી હતી. જો કે, આ હુમલામાં જજ અને તેમની 3 વર્ષીય દીકરી બાલ-બાલ બચી ગયા. એક FIRથી આ વાતનો ખુલાસો થયો છે. નૂહ શહેર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે ACJM અંજલિ જૈનની ગાડી પર સોમવારે હુમલાવરોએ પથ્થરમારો અને ગોળીબારી કરી, જેના કારણે તેમણે અને તેમની દીકરી પોતાનો જીવ બચાવીને ભાગવું પડ્યું.

જજ, તેમની દીકરી અને કર્મચારીઓને નૂહના જૂના બસ ટેશનના એક વર્કશોપમાં શરણ લેવું પડ્યું, ત્યારબાદ કેટલાક વકીલોએ બચાવ્યા. નૂહ ACJMના કોર્ટમાં પ્રોસેસર સર્વર (કાયદાકીય કાર્યવાહીમાં ઉપક્ષિત પક્ષોને કાયદાકીય દસ્તાવેજ આપનાર વ્યક્તિ)ના રૂપમાં કામ કરનારા ટેકચંદની ફરિયાદ પર અજાણ્યા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. FIR મુજબ, સોમવારે બપોરે લગભગ 1:00 વાગ્યે ACJM, તેમની 3 વર્ષીય દીકરી અને ગનમેન સિયારામ પોતાની ફોક્સકોનવેગન કારથી દવા ખરીદવા માટે નલહર સ્થિત SKM મેડિકલ કોલેજ ગયા હતા.

બપોરે 2:00 વાગ્યે જ્યારે તેઓ મેડિકલ કોલેજથી પાછા ફરી રહ્યા હતા, તો દિલ્હી અલવર રોડ પર જૂના બસ સ્ટેશન પાસે લગભગ 100-150 દંગાકારીઓએ તેમના પર હુમલો કરી દીધો. તેઓ પથ્થરમારો કરી રહ્યા હતા. કેટલાક પથ્થર કારના પાછલા કાચમાં લાગ્યા અને દંગાકારીઓએ વિસ્તારમાં ગોળીઓ ચલાવી. આ ચારેય કાર રોડ પર છોડીને જીવ બચાવવા માટે ભાગ્યા. અમે જૂના બસ સ્ટેશનના એક વર્કશોપમાં છુપાઈ ગયા અને ત્યારબાદ કેટલાક વકીલોએ અમને બચાવ્યા.

આગામી દિવસે જ્યારે હું કાર જોવા ગયો તો મને ખબર પડી કે દંગાકારીએ તેને સળગાવી દીધી હતી. કોંગ્રેસ નેતા ડૉ. શમા મોહમ્મદે કહ્યું કે, જો એક જજ સાથે એવું થઈ શકે છે તો ભાજપ શાસિત હરિયાણામાં સામાન્ય માણસ કેટલો સુરક્ષિત? હરિયાણામાં કાયદા વ્યવસ્થા પૂરી રીતે ધ્વસ્ત! વધુ એક ભાજપ રાજ્ય ધૂ ધૂ સળગી રહ્યું છે. પોલીસે IPCની કલમ 148 (દંગા), 149 (ગેરકાયદેસર સભા), 435 (નુકસાન પહોંચાડવાના ઇરાદાથી આગ લગાવવી), 307 (હત્યાનો પ્રયાસ) અન શસ્ત્ર અધિનિયમ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

નૂહમાં હિન્દુ સંગઠનોએ દર વર્ષની જેમ આ વખત પણ 31 વૃજમંડળ યાત્રા કાઢવાની જાહેરાત કરી હતી. પ્રશાસન પાસે તેની મંજૂરી પણ લેવામાં આવી હતી. સોમવારે વૃજમંડળ યાત્રા દરમિયાન તેના પર પથ્થરમારો થઈ ગયો હતો. જોત જોતમાં તે બે સમુદાયોમાં હિંસામાં બદલાઈ ગઈ. સેકડો કારોને આગ લગાવી દેવાં આવી. સાઇબર પોલીસ સ્ટેશન પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ફાયરિંગ પણ થઈ. એ સિવાય એક મંદિરમાં સેકડો લોકોને બંધક બનાવવામાં આવ્યા. પોલીસની દખલઅંદાજી બાદ લોકોને ત્યાંથી કાઢવામાં આવ્યા. પોલીસ પર પણ હુમલો થયો.

નૂહ બાદ સોહનામાં પણ પથ્થરમારો અને ફાયરિંગ થઈ. વાહનોને આગના હવાલે કરી દેવામાં આવ્યા. ત્યારબાદ હિંસાની આગ ફરીદાબાદ-ગુરુગ્રામ સુધી પહોંચી ગઈ. આ હિંસામાં 6 લોકોના મોત થયા છે. પોલીસ અત્યાર સુધી 116 લોકોની ધરપકડ કરી ચૂકી છે. મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે જણાવ્યું કે, 16 અર્ધસૈનિક બળ અને 30 હરિયાણા પોલીસ કંપનીઓ નૂહમાં તૈનાત છે. હિંસાને લઈને 44 FIR નોંધવામાં આવી છે. નૂહમાં લગભગ 120 વાહનોમાં તોડફોડ થઈ. તેમાંથી 50 વાહનોમાં આગ લગાવવામાં આવી, જેમાં 8 પોલીસના વાહન હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp