ઓરિસ્સા અકસ્માતમાં ટ્રેન ડ્રાઇવરની ભૂલ હતી? આખરે સામે આવી તેણે આપ્યો જવાબ

ઓરિસ્સામાં બાલાસોરમાં શુક્રવારે સાંજે થયેલા ખૂબ જ ભીષણ રેલ અકસ્માતમાં ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયેલા કોરોમંડળ એક્સપ્રેસના ડ્રાઇવરે જણાવ્યું છે કે તેણે ન તો કોઈ સિગ્નલ જમ્પ કર્યું હતું અને ન તો ટ્રેન ઓવર સ્પીડમાં હતી. ગ્રીન સિગ્નલ મળ્યા બાદ જ ટ્રેન આગળ વધી હતી. ઓપરેશન એન્ડ બિઝનેસ ડેવલપમેન્ટ રેલવે બોર્ડના સભ્ય જયા વર્મા સિંહાએ રવિવારે આ જાણકારી આપી હતી. તેમણે ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, સુરક્ષા રેલવેની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

જયા વર્મા સિંહે કહ્યું કે, ‘અમે એ સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે પુરાવાઓ સાથે છેડછાડ ન થાય અને કોઈ પણ સાક્ષી પ્રભાવિત ન થાય. એ ખોટી જાણકારી છે કે, રેલવે પોતાની સેફ્ટી પર ધ્યાન આપી રહ્યું નથી. એવી વાતો કહેવામાં આવી છે કે રેલવે માત્ર વંદેભારત પર ફોકસ કરી રહ્યું છે કે બસ કોઈ ખાસ સ્ટેશન પર સુવિધા વધારવામાં લાગ્યું છે. એક એકદમ ખોટી જાણકારી છે, જેને હું કરેક્ટ કરવા માગીશ. રેલવે એક ખૂબ મોટી સંસ્થા છે જ્યાં આપણે બધી વાતો પર એક સમય પર ધ્યાન આપવામાં સક્ષમ છીએ. જયા સિંહાએ કહ્યું કે, દેશમાં લગભગ 18 હજાર ટ્રેન રોજ દોડે છે. તેમાંથી કેટલી ક્ષતિગ્રસ્ત થાય છે, તેને લઈને પારખવી જોઈએ.

આપણે એક ઘટનાને લઈને અગ્રેસીવ ન થઈએ. જ્યાં આ અકસ્માત થયો છે, ત્યાં ટ્રેનની સ્પીડ લિમિટ 130 કિલોમીટર પ્રતિ કલાક છે. દરેક ટ્રેનમાં સ્પીડોમીટર હોય છે અને એ જોઈ શકાય છે કે, કયા સમયે કઈ ટ્રેન કઈ ગતિથી ચાલી રહી છે. ટ્રેન અકસ્માત રોકવા માટે બનાવેલ કવચને લઈને જયા વર્માએ કહ્યું કે, જો ભારતમાં કોઈ ટેક્નિક છે, તેના પર આપણે બધાને ગર્વ હોવો જોઈએ. આગામી સમયમાં અન્ય દેશ પણ તેનો લાભ મેળવશે. અત્યારે માત્ર અમેરિકા અને યૂરોપમાં એવી ટેક્નિક છે, SER સંબંધિત વિભાગો દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં અપ સિગ્નલિંગ સિસ્ટમની એક મોટી ખામી નીકળીને સામે આવી છે. 

પ્રાથમિક તપાસ પરિણામો મુજબ, મુખ્ય UP લાઇનનું સિગ્નલ ગ્રીન થવાનું હતું અને ત્યાંથી કોરોમંડળ એક્સપ્રેસે સીધું પસાર થવાનું હતું, પરંતુ એમ ન થયું. RRI (રુટ, રિલે ઇન્ટરલોકિંગ સિસ્ટમ)ની પૂરી રીતે નિષ્ફળતાના કારણે 128 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી આવી રહેલી કોરોમંડળ એક્સપ્રેસે પોઈન્ટ નંબર 17A પાસે ડાબે વાળી લીધી અને ત્યાં ઊભી માલગાડીને પાછળથી એટલી જોરદાર ટક્કર મારી દીધી કે કોરોમંડળ એક્સપ્રેસના 15 ડબ્બા ટ્રેક પરથી ઉતરી ગયા. 7 પૂરી રીતે પલટી ગયા, 4 રેલલાઇનથી ઉછળીને બીજા ડબ્બાઓ પર ચડી ગયા.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.