જે પુરુષોને થયો હતો કોરોના તેમના માટે આવ્યા ખરાબ સમાચાર!

ચીનમાં કોરોનાના ઝડપથી વધી રહેલા કેસ વચ્ચે ભારતમાં પણ તેના ફેલાવાની આશંકા છે. આ દરમિયાન, પટના, દિલ્હી અને આંધ્રના મંગલાગરીના સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના અભ્યાસમાં, એવું સૂચવવામાં આવ્યું છે કે, કોવિડ-19 પુરુષોમાં શુક્રાણુઓની ગુણવત્તાને અસર કરે છે. આ અભ્યાસ વીર્ય પૃથ્થકરણ અને સ્પર્મ કાઉન્ટ ટેસ્ટ પર આધારિત હતો. આ અભ્યાસ ઓક્ટોબર 2020 થી એપ્રિલ 2021 દરમિયાન પટના AIIMSમાં કોરોનાની સારવાર લઈ રહેલા 19 થી 43 વર્ષની વય જૂથના લગભગ 30 પુરુષો પર કરવામાં આવ્યો હતો.

પ્રથમ ટેસ્ટ કોરોના સંક્રમણ પછી તરત જ કરવામાં આવ્યો હતો અને બીજો ટેસ્ટ ચેપના બે થી ત્રણ મહિના પછી કરવામાં આવ્યો હતો, જેમાં તમામ દર્દીઓના વીર્ય એકત્ર કરવામાં આવ્યું હતું. પ્રથમ નમૂનામાં, આ તમામ દર્દીઓના વીર્યની ગુણવત્તા ખૂબ જ નબળી હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે બીજા નમૂનાનું પરિણામ એનાથી પણ વધુ ખરાબ હતું.

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, 10 અઠવાડિયા પછી પણ 30 થી 40 ટકા પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા ઓછી હતી. જ્યારે, 40 ટકા પુરુષોમાંથી 10 ટકા પુરુષોમાં 10 અઠવાડિયા પછી પણ આ સમસ્યા જોવા મળી હતી. પટનાની AIIMS હોસ્પિટલમાં દાખલ કરાયેલા 33 ટકા દર્દીઓમાં, પ્રથમ સેમ્પલિંગ દરમિયાન, વીર્યનું પ્રમાણ સામાન્ય કરતા ઓછું જોવા મળ્યું હતું.

વીર્ય વિશ્લેષણમાં શુક્રાણુના ત્રણ મુખ્ય પરિબળો માપવામાં આવે છે, એટલે કે શુક્રાણુઓની સંખ્યા, શુક્રાણુનો આકાર અને શુક્રાણુની ગતિશીલતા.

ક્યુરિયસ જર્નલ ઑફ મેડિકલ સાયન્સમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં જણાવાયું છે કે, પ્રથમ વીર્યના નમૂના લેવામાં 30માંથી 40 ટકા (12) પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા ઓછી હોવાનું જણાયું હતું. જ્યારે બે થી અઢી મહિના પછી પણ ટેસ્ટમાં એ જાણવા મળ્યું કે 3 (10 ટકા) પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા ઓછી હતી. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, 30 માંથી 10 (33 ટકા) પુરૂષોના પ્રથમ વીર્ય નમૂનામાં વીર્યનું પ્રમાણ 1.5ml કરતા ઓછું હતું, જે સામાન્ય રીતે 1.5 થી 5ml હોવું જોઈએ.

આ સાથે, પ્રથમ વીર્ય સેમ્પલિંગમાં બહાર આવ્યું કે, અભ્યાસમાં ભાગ લેનારા 30 પુરુષોમાંથી 26ના વીર્યની જાડાઈ, 29માં વીર્યની સંખ્યા અને 22 પુરુષોના શુક્રાણુઓની હિલચાલ પર અસર જોવા મળી હતી. બીજા ટેસ્ટમાં સ્થિતિ સુધરી હતી, જોકે બીજા વીર્ય સેમ્પલિંગ દરમિયાન આ પરિમાણમાં સુધારો થયો હતો, પરંતુ સંશોધકોનું કહેવું છે કે, તે હજુ પણ સામાન્ય કરતાં ઘણું ઓછું છે.

આ અભ્યાસના વડા ડૉ. સતીશ P. દીપાંકરે સૂચવ્યું કે, સહાયિત પ્રજનન તકનીક (ART) ક્લિનિક્સ અને શુક્રાણુ બેંકોએ કોવિડ-19થી પીડિત પુરુષોના વીર્યનું મૂલ્યાંકન કરવું જોઈએ. જ્યાં સુધી વીર્યની ગુણવત્તા સામાન્ય ન થાય ત્યાં સુધી આ સંશોધન ચાલુ રાખવું જોઈએ.

સીડ્સ ઓફ ઈનોસન્સ IVF સેન્ટરના સ્થાપક ડો. ગૌરી અગ્રવાલે જણાવ્યું હતું કે, કોવિડ 19ને કારણે પુરુષોની પ્રજનન ક્ષમતામાં ઘટાડો થવા અંગે સમગ્ર વિશ્વમાં અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ સાથે આ તમામ અભ્યાસનો એક ડેટાબેઝ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ડૉ. અગ્રવાલે કહ્યું કે, તેઓ IVF પહેલાં પુરુષોના વીર્યની ગુણવત્તા તપાસવાની ભલામણ કરે છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.