ફરી એરવાર મથુરા વિવાદ છેડાયો, દેવકી નંદન અને બાગેશ્વર બાબાએ આંદોલનની જાહેરાત કરી

ફરી એકવાર મથુરા વિવાદનો મધપુડો છંછેડાયો છે અને બે બાબાઓએ કથાના મંચ પરથી આંદોલન કરવાની જાહેરાત કરી છે. કથાકાર અને આધ્યાત્મિક ગુરુ દેવકી નંદન ઠાકુરની કથા ભોપાલમાં કથા ચાલી રહી છે અને સમાપનના દિવસે દેવકી નંદને જાહેરાત કરી કે કૃષ્ણ જન્મ જમીન મૂક્તિ માટે એક આંદોલન કરવામાં આવશે. કથા સમાપનના દિવસે મંચ પર હાજર રહેલા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ પણ દેવકી નંદનની વાતને સમર્થન આપ્યું અને સાથે સાથે આંદોલનમાં જોડાવવા લોકોને આહવાન પણ કર્યું.

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં દેવકી નંદન ઠાકુરની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને કથાના સમાપનના દિવસે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, પ્રદેશ અધ્યક્ષ બી ડી શર્મા અને RSSના નેતાઓ મંચ પર હાજર રહ્યા હતા. આ દરમિયાન દેવકી નંદને મંચ પરથી મથુરામાં કૃષ્ણ જન્મ ભૂમિની મૂક્તિ માટે આંદોલનનની જાહેરાત કરી. તેમણે કહ્યું કે જો 100 કરોડ હિંદુઓ એક સાથે ભેગા થઇ જાય તો અત્યારે જે રીતે રામ મંદિર બની રહ્યું છે એ રીતે કાશી પણ બનશે અને મથુરા પણ મૂક્ત થશે.

દેવકીનંદન ઠાકુર પછી બાબા બાગેશ્વર સ્ટેજ પર આવ્યા અને કથામાં હાજર હજારો ભક્તોને કહ્યું, મારા મોટા ભાઈ દેવકીનંદને સંકેત આપ્યો છે અને કહ્યું છે કે અયોધ્યા માત્ર એક ઝાંખી હતી, મથુરા-કાશી હજુ બાકી છે. ભાઇએ આજે સંકલ્પ કર્યો છે કે તેઓ ટુંક સમયમાં મથુરામાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મસ્થળ માટે જાગૃતિ યાત્રા કાઢશે. હું એ જ પ્રાથર્ના કરુ છુ કે જેટલા પણ ભારત વર્ષના ઠાકુરના અનુયાયી છે, તેમને મારે કહેવું છે કે, આ કામ માત્ર દેવકી નંદનનું જ નથી, આ આખી દુનિયામાં વસેલા કૃષ્ણ ઉપાસકોનું પણ છે. હું દેશ વિદેશમાં વસતા ભક્તોને અપીલ કરુ છુ કે દેવકી નંદનની જાગૃતિ યાત્રાને સાથ આપજો.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ આગળ કહ્યુ કે, હું પોતે તો તન મન અને ધનથી તેમની સાથે જોડાયેલા જ છું. પરંતુ જે સાથ નહીં આપશે તેની ઠાઠડી બંધાશે. તેમણે કહ્યુ કે, જે રામ ભગવાનના છે, જે કૃષ્ણ ભગવાનના છે, એ લોકો દેવકી નંદનની સાથે રહેશે, જેમનામાં બનાવટ હશે તે દેવકી નંદનની સાથે નહીં હોય. જેમનામાં પહેલે જ વારસાગત મુશ્કેલી હોય તો અમે તો તેમને બદલી શકીએ નહી, હું તો એમ કહુ છુ કે જેના લોહીમાં બનાવટ છે તેમની ઠાઠડી બંધાશે.

બાગેશ્વર બાબાએ આગળ કહ્યુ કે કોઇ મોંઢુ ચલાવશે તો ઠાઠડી કોણ બાંધશે, જે વિરોધ કરશે તો ઠાઠડી કોણ બાંધશે, જે સંતોનો વિરોધ કરશે તો ઠાઠડી કોણ બાંધશે, જે વારંવાર નીચા જોવાપણાનું કામ કરે છે તો ઠાઠડી કોણ બાંધશે.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ કથામાં ઉપસ્થિત શ્રોતોઓને કહ્યું કે, આજે એક વચન આપો કે હિંદુ રાષ્ટ્રની સાથે સાથે એક માળા મથુરામાં ભગવાન કૃષ્ણના મંદિર બનાવવા માટે પણ કરશો.

રાજસ્થાનના ઉદયપુરમાં દેવકીનંદનની હાજરીમાં બાબા બાગેશ્વરે કુંભલગઢના કિલ્લામાં ભગવા ધ્વજને લઈને આપેલા નિવેદનને કારણે બંને વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. જે બાદ પહેલીવાર એવું બન્યું કે દેવકીનંદન ઠાકુર અને બાબા બાગેશ્વર મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક જ મંચ પર હાજર રહ્યા.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.