શું મહિલા પહેલવાનોનું દુષ્કર્મ સામેનું આંદોલન પડી ભાંગવાને આરે?, જાણો શું થયું

કુશ્તી સંઘના અધ્યક્ષ અને ભાજપના સાંસદ વૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ સતત પ્રદર્શન કરી રહેલા પહેલવાન બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક રેલવેમાં પોતાની જોબ પર પરત ફરી ગયા છે. જો કે, સાક્ષી મલિકે પહેલવાનોના આંદોલનથી પાછળ હટવાની ના પાડી દીધી છે. સાક્ષી માલિકનું કહેવું છે કે, સત્યાગ્રહ સાથે સાથે રેલવેમાં પોતાની જવાબદારી નિભાવી રહી છું.

એવા સમાચારો વહેતા થયા હતા કે સાક્ષી મલિક પહેલવાનોના આંદોલનથી પાછળ હટી ગઈ છે. જો કે, સાક્ષી મલિકે આ સમાચારોને ખોટા ગણાવ્યા છે. તેણે કહ્યું કે, ન્યાયની લડાઈમાં અમારમાંથી ન કોઈ પાછળ હટ્યું છે અને ન હટશે. ન્યાય મળવા સુધી અમારી લડાઈ ચાલુ રહેશે. આ અગાઉ સાક્ષી માલિકના પતિ સત્યવ્રત કદિયાને પણ આંદોલનથી પાછળ હટાવાના સમાચારોને ખોટા ગણાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયાના નેતૃત્વમાં તમામ પહેલવાનોએ કુશ્તી સંઘના અધ્યક્ષ અને ભાજપ સાંસદ વૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ આંદોલન છેડી રાખ્યું છે.

આ પહેલવાન 23 એપ્રિલથી જંતર-મંતર પર ધરણાં પ્રદર્શન કરી રહ્યા હતા. પહેલવાનોએ વૃજભૂષણ શરણ સિંહ પર યૌન ઉત્પીડનના આરોપ લગાવ્યા હતા. આ અગાઉ જાન્યુઆરીમાં પણ પહેલવાનોએ વૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ ધરણાં પ્રદર્શન કર્યા હતા. જો કે, ત્યારે રમત-ગમત મંત્રાલયના દખલઅંદાજી બાદ પહેલવાન પાછા જતા રહ્યા હતા. 7 મહિલા પહેલવાનોએ વૃજભૂષણ વિરુદ્ધ 21 એપ્રિલના રોજ કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં વૃજભૂષણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદોના આધાર પર 28 એપ્રિલના રોજ દિલ્હી પોલીસે વૃજભૂષણ વિરુદ્ધ યૌન ઉત્પીડનના 2 કેસ નોંધ્યા છે. પહેલી FIR  સગીર દ્વારા લગાવવામાં આવેલા આરોપોના આધાર પર છે.

તેમાં POCSO એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, તો બીજી FIR અન્ય પહેલવાનો દ્વારા લગાવવામાં આવેલા યૌન ઉત્પીડનના આરોપો સાથે સંબંધિત છે. આ કેસોમાં પોલીસની તપાસ ચાલી રહી છે. આ અગાઉ શનિવારે જ પહેલવાનોએ ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. રેસલર સાક્ષી મલિકના પતિ સત્યવ્રત કાદિયાને આ બેઠકની પુષ્ટિ કરી હતી. તેઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત હતા. જો કે, તેમણે કહ્યું હતું કે બેઠકમાં પહેલવાનોએ વૃજભૂષણની ધરપકડની માગ ઉઠાવી હતી, પરંતુ આ બેઠકમાં કોઈ પરિણામ ન આવ્યું.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.