બાલાસોર ટ્રેન એક્સિડન્ટ, રેલવેએ PC કરીને દુર્ઘટનાની માહિતી આપી, ટ્રેનની સ્પીડ...

ઓડિશાના બાલાસોરમાં થયેલી ભયાનક ટ્રેન દુર્ઘટનાને લઈને રેલવે બોર્ડે પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર ઘટનાનો ખુલાસો કર્યો છે. રેલવે બોર્ડના સભ્ય જયા વર્માએ કહ્યું કે માત્ર કોરોમંડલ એક્સપ્રેસ જ અકસ્માતનો ભોગ બની હતી. તેમણે કહ્યું કે અમે કેટલીક ગેરમાન્યતાઓ વિશે માહિતી આપવા માંગીએ છીએ, જેથી સ્થિતિ સ્પષ્ટ થાય. તેમણે કહ્યું કે સૌથી પહેલા રેસ્કયૂની કામગીરી પુરી કરવામાં આવી તે પછી રિસ્ટોરેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
ભારતીય રેલવે બોર્ડના સભ્ય જયા વર્માએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, બાલાસોર જિલ્લામાં બહાનાગા બજાર રેલ્વે સ્ટેશન છે. આ ઘટના 2 જૂને સાંજે 6.55 કલાકે બની હતી. કોરોમંડલ એક્સપ્રેસનો અકસ્માત થયો હતો. આ સ્ટેશન પર જે ટ્રેનો ઉભી હતી તે કોરોમંડલ ટ્રેનની લપેટમાં આવી ગઇ હતી.તે સમયે સ્ટેશનથી જુદી જુદી દિશામાં બે મેલ એક્સપ્રેસ ટ્રેનો પસાર થવાની હતી. સ્ટેશન પર બે મેઇન લાઈનો છે, જ્યાં ટ્રેન રોકાયા વગર જાય છે અને બાજુમાં જે 2 લૂપ લાઇનો છે ત્યાં અમે ટ્રેનને રોકીએ છીએ.
રેલ્વે બોર્ડના જણાવ્યા અનુસાર, લૂપ લાઇન પર 2 ટ્રેન ઉભી હતી, ટ્રેનોને ત્યાં રોકી દેવામાં આવી હતી જેથી બાકીની લાઇન પર નોન-સ્ટોપ ટ્રેન પસાર થઈ શકે. યશવંતપુર એક્સપ્રેસ બેંગ્લોરથી ચેન્નાઈ તરફથી આવી રહી હતી અને ટ્રેનનો અવાજ આવી રહ્યો હતો.આ ટ્રેન કોરોમંડલની થોડીક સેકન્ડ પહેલા આવી રહી હતી.
કોરોમંડલ એક્સપ્રેસ હાવડાની દિશામાંથી શાલીમાર રેલ્વે સ્ટેશનથી ચેન્નાઈ જવા માટે આવી રહી હતી, જેના માટે સિગ્નલ ગ્રીન હતું અને બધું સેટ હતું. ઓવરસ્પીડિંગનો કોઈ પ્રશ્ન જ ન હતો અને પાયલોટ સિગ્નલ ગ્રીન દેખાયું એટલે તેને સ્વાભાવિક રીતે ટ્રેન સીધી જવા દેવાની હતી.ગ્રીન સિગ્નલ મુજબ ડ્રાઇવરે તેની નિયત સ્પીડ પ્રમાણે રોકાયા વગર જ આગળ વધવું પડ્યું હતું તેથી તે 128 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈ રહ્યો હતો. યશવંત એક્સપ્રેસ પણ 126 કિમી પ્રતિ કલાકની ઝડપે આવી રહી હતી. એ ટ્રેન પણ ઓવરસ્પીડીંગ નહોતી. આ ટ્રેનના પાયલોટને પણ ગ્રીન સિગ્નલ દેખાયું એટલે એણે પણ ટ્રેન આગળ વધારી.
રેલ્વે બોર્ડના સભ્ય જયા વર્માએ કહ્યું કે,રેલ્વે મંત્રી છેલ્લા 36 કલાકથી સ્થળ પર છે અને તમામ કામગીરી પર નજર રાખી રહ્યા છે અને બચાવ કામગીરીમાં મદદ કરી રહ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ અત્યાર સુધી જે કારણો સામે આવ્યા છે તેમાં સિગ્નલિંગમાં સમસ્યા જોવા મળી છે અને રેલવે સુરક્ષા કમિશનરની દેખરેખ હેઠળ તપાસ ચાલી રહી છે. જ્યાં સુધી તેમની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી અમે વધુ કહી શકીએ નહીં.
રેલવે બોર્ડે કહ્યું કે અમે રેલવે સુરક્ષા કમિશનરના વિગતવાર અહેવાલની રાહ જોઈ રહ્યા છીએ. અકસ્માત માત્ર કોરોમંડલ એક્સપ્રેસનો જ થયો હતો, જેને બધાએ સમજવાની જરૂર છે. તે કહેવું ખોટું હશે કે વધુ ટ્રેનો ટકરાઈ. માત્ર કોરોમંડલ એક્સપ્રેસને અકસ્માત થયો છે. કયા કારણોસર આવું બન્યું છે, અમે તેની તપાસ કરી રહ્યા છીએ.
જયા વર્માએ કહ્યું કે કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન ખૂબ જ સુરક્ષિત છે અને સામાન્ય રીતે તે પલટી જતી નથી. આ કિસ્સામાં, એવું બન્યું છે કે આ સ્પીડમાં જ્યારે ટકરાવનો પુરો ઇમ્પેક્ટ ટ્રેન પર આવ્યો તો દુનિયામાં એવી કોઇ ટેક્નોલોજી નથી જે, આવા ઇમ્પેક્ટને રોકી શકે. લોખંડથી ભરેલી માલગાડીના ગુરુત્વાકર્ષણ કેન્દ્ર અને તેના વજનને કારણે તેની અસર પેસેન્જર ટ્રેન પર પડી. માલગાડી તેની જગ્યાએથી બિલકુલ હાલી નહોતી.
રેલવે બોર્ડના એક સભ્યએ જણાવ્યું કે ટક્કરને કારણે ટ્રેનના ડબ્બા અહીં-ત્યાં વેરવિખેર થઈ ગયા હતા. જેના કારણે ડાઉન લાઈનમાં પસાર થઈ રહેલી યશવંતપુર એક્સપ્રેસ સાથે કેટલાક ડબ્બા અથડાયા હતા. જેના કારણે યશવંતપુર એક્સપ્રેસના કેટલાક ડબ્બા પણ પાટા પરથી ઉતરીને બીજી તરફ ગયા હતા.
તેમણે કહ્યું કે સ્વયંભૂ પ્રતિક્રિયાને કારણે બીજી ટ્રેનમાં કેટલાક લોકોને ગંભીર ઈજાઓ પણ થઈ હતી.બીજી માલગાડી ઉભી હતી, જેને પણ તે છૂટાછવાયા કોચથી થોડી અસર થઈ હતી. આવી ઘટનામાં રેલ્વેનો એક પ્રોટોકોલ હોય છે, જેના હેઠળ સ્ટેશન માસ્ટર તરત જ જાણ કરે છે અને તરત જ બે જગ્યાએથી મેડિકલ રિલીફ ટ્રેનો તરત નિકળી ગઇ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp