બાળકની તોતડાપણાની સારવાર કરવાની જગ્યાએ ડૉક્ટરે કરી નાખ્યા ખતના, તપાસના આદેશ

ઉત્તર પ્રદેશના બરેલીથી એક હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે, જેમાં એક ખાનગી હૉસ્પિટલમાં તોતળાપણાની સારવાર પહોંચેલા અઢી વર્ષના બાળકનું ડૉક્ટરે ખતના (સુન્નત) કરી દીધું. આ ઘટનાને સરકારે ગંભીરતાથી લીધી છે અને ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે તપાસના આદેશ આપી દીધા છે અને કાર્યવાહી માટે કહ્યું છે. નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે કહ્યું કે, બરેલી જિલ્લાની એમ. ખાન હૉસ્પિટલમાં બાળકની જીભના ઓપરેશનની જગ્યાએ ખતના કરવા સંબંધિત પ્રકરણને ગંભીરતાથી ધ્યાનમાં લેતા મેં અપર મુખ્ય ચિકિત્સા અધિકારી સાથે સ્વાસ્થ્ય વિભાગની એક ટીમ મોકલીને તપાસ કરાવવાના નિર્દેશ આપ્યા છે.

બ્રજેશ પાઠકે કહ્યું કે, ‘ફરિયાદ સાચી સાબિત થવા પર દોષી ડૉક્ટર વિરુદ્ધ કેસ નોંધીને એ હૉસ્પિટલનું રજીસ્ટ્રેશન તત્કાલીન પ્રભાવથી સસ્પેન્ડ કરવા સહિતની કાર્યવાહીનો આખો રિપોર્ટ 24 કલાકની અંદર ઉપલબ્ધ કરાવવાના આદેશ બરેલીના મુખ્ય ચિકિત્સા અધિકારીને આપવામાં આવ્યા છે. બરેલીના જિલ્લા અધિકારી શિવાકાંત દ્વિવેદીએ કહ્યું કે, ‘મુખ્ય ચિકિત્સા અધિકારી દ્વારા બનાવવામાં આવેલી 3 સભ્યોની ઇનવેસ્ટિગેશન ટીમનો રિપોર્ટ આવ્યા બાદ જ હૉસ્પિટલ મેનેજમેન્ટ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

તેમણે કહ્યું કે, ઘટનાના દિવસે જ 3 સભ્યોની ઇન્વેસ્ટિગેશન ટીમની બનાવી દેવામાં આવી હતી. મુખ્ય ચિકિત્સા અધિકારી ડૉક્ટર બલવીર સિંહે જણાવ્યું કે, એક પરિવાર દ્વારા પોતાના બાળકના તોતળાપણાની સારવાર કરાવવા માટે તેને એમ. ખાન હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. બાળકના પરિવારનો આરોપ છે કે, ડૉક્ટરોએ તેની સારવાર કરવાની જગ્યાએ ખતના કરી દીધું. આ ઘટનામાં શહેરના હિન્દુ સંગઠનોના સભ્યોએ સખત પ્રતિક્રિયા આપતા વિરોધ પ્રદર્શન કર્યું અને હૉસ્પિટલ વિરુદ્ધ નારેબાજી પણ કરી હતી. એક રિપોર્ટ મુજબ હવે એ હૉસ્પિટલનું લાઇસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે.

શું હોય છે ખતના?

ખતના કે સુન્નત યહૂદીઓ અને મુસ્લિમોમાં એક ધાર્મિક સંસ્કાર હોય છે. તેમાં છોકરાનો જન્મ થયાના થોડા સમય બાદ તેના લિંગ આગળની ચામડી કાઢી દેવામાં આવે છે. આમ તો તેનો સંબંધ કોઈ ખાસ ધર્મ, જાતીય ગ્રુપ કે જનજાતિ સાથે હોય શકે છે, પરંતુ કેટલીક વખત માતા-પિતા પોતાના બાળકોનું ખતના, સાફ-સફાઇ કે સ્વાસ્થયના કારણોથી પણ કરાવે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ખતના કરેલા પુરુષોમાં સંક્રમણનું જોખમ ઓછું હોય છે કેમ કે લિંગની આગળની વિના ચામડી કિટાણુઓને ફેલાવા માટે ભેજનું વાતાવરણ મળતું નથી, પરંતુ ઘણા લોકોનું માનવું છે કે તે એક હિંસક કૃત્ય છે અને શરીર માટે નુકસાનકારક છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.