‘શિવશક્તિ’ અને ‘તિરંગા’ પહેલા ચંદ્રની એક જગ્યા ‘જવાહર પોઇન્ટ’ પણ છે, જાણો વિગત

ચંદ્રયાન-3ના વિક્રમ લેંડરે ચંદ્ર પર જે જગ્યાએ પગલું પાડ્યું છે તે પોઇન્ટને ‘શિવશક્તિ’નામ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પોઇન્ટને ‘તિરંગા’ નામ આપ્યું છે જ્યાં ચંદ્રયાન-2 ક્રેશ થયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેંગલુરમાં  ISRO ટેલીમેટ્રી ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક મિશન કંટ્રોલ કોમ્પલેક્સમાં વૈજ્ઞાનિકોને સંબોધન કરતી વખતે ચંદ્ર પરના બંને નામ શિવ શક્તિ અને તિરંગા પોઇન્ટની જાહેરાત કરી હતી. સાથે જ દર વર્ષે 23 ઓગસ્ટને નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવવાની પણ PM મોદીએ જાહેરાત કરી છે.

આ એક વૈજ્ઞાનિક પરંપરા છે કે જ્યાં લેન્ડર ઉતરે છે તેનું નામ તેના નામકરણ કરવામાં આવે છે.પરંતુ ચંદ્ર પર શિવ શક્તિ પોઈન્ટ અને તિરંગા પોઈન્ટ પહેલા એક પોઇન્ટ છે જેનું નામ જવાહર પોઈન્ટ છે.

ચંદ્રયાન-3ની લેન્ડિંગ પછી ‘જવાહર પોઇન્ટ’ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. ભાજપના અનેક નેતાઓ ચંદ્રયાન-1 મિશનના લેન્ડિંગ સાઇટના નામ પર આપત્તિ બતાવી રહ્યા છે.

જવાહર પોઇન્ટની અત્યારે ચર્ચા ચાલી રહી છે તો આ પોઇન્ટ વિશે તમને જાણકારી આપીશું.

તો વાત એમ હતી કે તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ વર્ષ 2003માં ચંદ્રયાન કાર્યક્રમની જાહેરાત કરી હતી. 15 ઓગસ્ટ 2003, એ તારીખ છે જ્યારે ભારતે ચંદ્રયાન કાર્યક્રમની જાહેરાત કરી હતી.

નવેમ્બર 2003ના દિવસે ભારત સરકારે પહેલા વખત ભારતીય મૂન મિશન માટે ISROના ચંદ્રયાન-1ને મંજૂરી આપી હતી. એના 5 વર્ષ પછી ભારતના પૂર્વ પ્રધાનમંત્રીના કાર્યકાળમાં ભારતે 22 ઓક્ટોબર 2008ના દિવસે શ્રીહરિકોટાના સતીશ ધવન અવકાશ કેન્દ્રથી ચંદ્રયાન-1 મિશનને લોંચ કરવામાં આવ્યું હતું.

ચંદ્રયાન-1ને PSLV-C11થી લોંચ કરવામાં આવ્યું હતું.ચંદ્રયાન-1 મિશનમાં ઓર્બિટર અને મૂન ઈમ્પેક્ટ પ્રોબ (MIP)નો સમાવેશ થતો હતો. આ મિશન પર લગભગ 386 કરોડ (88.73 મિલિયન ડોલર) ખર્ચવામાં આવ્યા હતા. આ મિશનમાં ચંદ્રની સપાટીનું બે વર્ષ સુધી સર્વે કરવાનું હતું અને ત્યાં હાજર રાસાયણિક રચનાનો નકશો બનાવવાનો હતો.

ચંદ્રયાન-1 22 ઓક્ટોબર 2008ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. તે 8 નવેમ્બરે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું હતું. પછી સ્ટેપવાઇઝ 12 નવેમ્બરે ચંદ્રથી લગભગ 100 કિલોમીટર દૂર પહોંચ્યું, પરંતુ 14 નવેમ્બર 2008ના રોજ ચંદ્રયાન-1 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

ચંદ્રયાન-1નું ક્રેશ લેન્ડિંગ ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં Shackleton ક્રેટર પાસે થયું હતું. કારણ કે તે દિવસે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની જન્મજયંતિ હતી, તેથી પોઇન્ટનું નામ 'જવાહર પોઇન્ટ' રાખવામાં આવ્યું હતું.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.