સંજય રાઉતે કહ્યું કે, ઠાકરે સેનાને 19 લોકસભા સીટ મળવી જોઇએ, કોંગ્રેસ નારાજ

સંજય રાઉતના એક નિવેદનને કારણે મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાઇ ગયું છે. હજુ તો લોકસભાની ચૂંટણી 2024માં છે તે પહેલા મહાગઠબંધનમાં ઠાકરે સેનાને 19 સીટ મળવી જોઇએ એવી માંગણી રાઉતે કરી દેતા હોબાળો મચી ગયો છે.

શિવસેના ( ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે)ના નેતા સંજય રાઉતે એવું નિવેદન આપી દીધું છે જેને કારણે કોંગ્રેસ નારાજ થઇ ગઇ છે. સંજય રાઉતે કહ્યુ કે ઠાકરે સેનાને લોકસભામાં 19 સીટ મળવી જોઇએ.ત્રણેય દળોએ કેટલીક સીટો પર સમાધાન કરવું પડશે.તો બીજી તરફ મહારાષ્ટ્ર કોર કમિટીની બેઠકમાં આજે નિર્ણય લેવામાં આવ્યો હતો કે જે બેઠકો પર જે પાર્ટીની તાકાત હશે, એ બેઠક પરથી એ પાર્ટીને ચુંટણી લડવાનો મોકો મળવો જોઇએ. મહારાષ્ટ્રમાં શિવસેના (ઉદ્ધવ), એનસીપી અને કોંગ્રેસે મહાગઠબંધન કરીને મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકાર બનાવેલી. હજુ પણ આ ત્રણેય પાર્ટીઓનું ગઠબંધન ચાલી રહ્યું છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં કોંગ્રેસે 26 બેઠકો પરથી ચૂંટણી લડી હતી, પરંતુ માત્ર 1 જ બેઠક જીતી હતી.

કોંગ્રેસે કહ્યું કે, આ વખતે સીટોની વ્હેંચણી નવી ફોર્મ્યુલા હેઠળ નક્કી થવી જોઇએ. જેમની જ્યાં તાકાત હોય તેમને ત્યાં સીટ મળવી જોઇએ. 2019 લોકસભાના પરિણામોને આધારે સીટોની વ્હેંચણી ન થવી જોઇએ. છેલ્લાં 5 વર્ષમાં માહોલ બદલાયો છે અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સ્થિતિ વધારે સારી બની છે.

સંજય રાઉતના નિવેદન પર મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા અશોક ચવ્હાણે કહ્યું કે, સમાધાનનો કોઇ સવાલ જ નથી. મેટિરને આધારે સીટોની વ્હેંચણી થશે. આગામી લોકસભા ચૂંટણીમાં કેટલી લોકસભા સીટો પરથી ચૂંટણી લડવી જોઇએ એ વિશે આજની બેઠકમાં ચર્ચા થઇ હતી. ચવ્હાણે કહ્યું જે વિસ્તારમાં જે પાર્ટીની તાકાત વધારે હશે તે બેઠકો પર તે પાર્ટીના ઉમેદવારોને તક આપવામાં આવશે, જેને કારણે જીત મેળવવી સરળ બનશે.

અશોક ચવ્હાણે કહ્યું કે, દર વખતે ચૂંટણીની સ્થિતિ બદલાતી હોય છે, આ વખતે પણ સ્થિતિ અલગ છે અને પહેલાંથી ઘણી સારી છે. તેમણે કહ્યુ કે, સંજય રાઉતનું  નિવેદન એ તેમનું વ્યકિતગત નિવેદન છે. જ્યારે અમે બધા સાથે બેસીશું ત્યારે એ વિશે ચર્ચા કરીશું.

ચવ્હાણે કહ્યું કે ઠાકરે સેનાને 19 સીટ પર લડવાની દરખાસ્ત સંજય રાઉતનું વ્યકિતગત નિવેદન હોય શકે છે, એ જરૂરી નથી કે આ મહા વિકાસ અઘાડીનો પણ મત હોય.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.