મહારાષ્ટ્રની પેટાચૂંટણીમાં કોંગ્રેસની મોટી જીત, ત્રણ દાયકા પછી BJPના ગઢમાં ગાબડુ

ત્રિપુરા સહિત ત્રણ રાજ્યોની ચૂંટણીમાં પરાજય પામેલી કોંગ્રેસને મહારાષ્ટ્રમાંથી સારા સમાચાર મળ્યા છે. પુણેની કસ્બા પેઠ બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર રવિન્દ્ર ધાંગેકરનો વિજય થયો છે. તેમણે BJPના હેમંત રસાનેને હરાવ્યા છે. આ બેઠક પર BJPના ધારાસભ્ય મુક્તા તિલકના અવસાનના કારણે પેટાચૂંટણી યોજાઈ હતી. આ બેઠકની જીત સાથે કોંગ્રેસે ત્રણ દાયકા પછી BJPના ગઢમાં ગાબડું પાડ્યું છે. અહીં BJPના ધારાસભ્ય જ વિજેતા થતા આવ્યા હતા. આ સિવાય તે સ્થાનિક સંસ્થાઓમાં પણ મજબૂત રહી છે. મહાવિકાસ અઘાડીના સંયુક્ત ઉમેદવાર રવીન્દ્ર ધાંગેકરને 72,000 મત મળ્યા, જ્યારે BJPના હેમંતને માત્ર 61,000 મત મળ્યા.

આ રીતે કોંગ્રેસના ઉમેદવાર 11000 મતોથી જીત્યા. બીજી તરફ પુણે જિલ્લાની જ ચિંચવાડ સીટ પર BJPને સફળતા મળતી જોવા મળી રહી છે. અહીં BJPના અશ્વિની જગતાપને 18મા રાઉન્ડની મતગણતરી સુધી 64,000 વોટ મળ્યા છે, જ્યારે NCPના ઉમેદવાર નાના કેટને અત્યાર સુધી માત્ર 49,000 વોટ મળ્યા છે. કસ્બા પેઠ બેઠક પર કોંગ્રેસની જીત ખુબ મહત્વ ધરાવે છે. અહીં 1975થી અત્યાર સુધી કોંગ્રેસ માત્ર બે વખત જ જીતી શકી છે. ધાનગેકરે જીત બાદ કહ્યું કે, આ તે લોકોની જીત છે જેમણે મને મત આપ્યો છે. લડાઈ મસલ પાવર, પૈસા અને સામાન્ય નાગરિકોના વોટ વચ્ચે હતી.

BJPના ઉમેદવાર હેમંત રાસણેએ પોતાની હાર સ્વીકારી લીધી છે. તેમનો સીધો મુકાબલો BJP અને કોંગ્રેસ વચ્ચે હતો. એક ઉમેદવાર તરીકે, હું વિચાર કરીશ કે, ક્યાં ભૂલ થઈ છે. જે પણ ભૂલો થઈ હશે, તેને સુધારી લેવામાં આવશે. BJPની હારને લઈને ઘણી વાતો કહેવામાં આવી રહી છે. મુક્તા તિલકના અવસાન બાદ એવું પણ કહેવાય છે કે, તિલક પરિવારના કોઈ સભ્યને ટિકિટ ન આપવાને કારણે બ્રાહ્મણ સમુદાય નારાજ છે. આ ઉપરાંત આ વિસ્તારમાં વિકાસના કામોનો અભાવ પણ તેનું કારણ હોવાનું માનવામાં આવે છે.

કસ્બા અને ચિંચવડ વિધાનસભા બેઠકો પુણે જિલ્લામાં આવે છે, જ્યાં BJP પરંપરાગત રીતે મજબૂત છે અને કોંગ્રેસને પણ સારો લોક આવકાર છે. આ બંને બેઠકો પર અગાઉ BJPના ધારાસભ્યો હતા અને પેટાચૂંટણી માટે અહીં 26 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. કસ્બા પેઠમાં BJP ધારાસભ્ય મુક્તા તિલક અને ચિંચવડમાં લક્ષ્મણ જગતાપના મૃત્યુને કારણે પેટાચૂંટણી કરાવવામાં આવી હતી.

મહારાષ્ટ્રમાં BJP અને CM એકનાથ શિંદેની સરકાર બન્યા બાદ આ પ્રથમ મહત્વપૂર્ણ ચૂંટણી છે. આવી સ્થિતિમાં BJP કે અન્ય કોઈની જીત મહત્વની રહેશે. અહીં તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે એકનાથ શિંદેએ શિવસેના સામે બળવો કર્યો હતો અને BJP સાથે મળીને સરકાર બનાવી હતી. આ પેટાચૂંટણીઓમાં પણ કોંગ્રેસ, NCP અને ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના શિવસેના જૂથે સાથે મળીને ચૂંટણી લડી હતી.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.