મંત્રી તેજ પ્રતાપ યાદવે અટલ પાર્કનું નામ બદલીને આવું કરી દીધું, ભાજપ ગરમ

બિહાર સરકારમાં પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી તેજ પ્રતાપ યાદવે પટનાના અટલ બિહારી વાજપેયી પાર્કનું નામ બદલી દીધું છે. હવે આ પાર્કને કોકોનટ પાર્કના નામથી ઓળખવામાં આવશે. કંકડબાગમાં સ્થિત આ પાર્કનું નામ પહેલા કોકોનટ પાર્ક જ હતું. વર્ષ 2018માં તેનું નામ અટલ બિહારી વાજપેયીના નામ પર કરવામાં આવ્યું હતું. હવે તેજ પ્રતાપે તેનું બામ બદલીને કોકોનટ પાર્ક કરવાની જાહેરાત કરી છે. પાર્કનું નામ બદલવાને લઈને હવે ભારતીય જનતા પાર્ટી (BJP)એ નીતિશ સરકાર પર પ્રહાર કર્યો છે.

ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા અરવિંદ કુમાર સિંહે કહ્યું કે, ‘વર્ષ 2018માં આ પાર્કનું નામ કોકોનટ પાર્કથી બદલીને અટલ બિહારી પાર્ક કરી દેવામાં આવ્યું હતું, પરંતુ તેજ પ્રતાપ યાદવે ફરી એક વખત તેનું નામ કોકોનટ પાર્ક કરી દીધું છે. એક તરફ તો નીતિશ કુમાર અટલજીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરે છે અને બીજી તરફ તેજ પ્રતાપ યાદવે પાર્કનું નામ બદલી દીધું છે. તે બેરંગી સરકાર છે. ભાજપ તેનો વિરોધ કરે છે અને માગ કરે છે કે આ પાર્કનું નામ ન બદલવામાં આવે.

જો કે, અટલ બિહારી વાજપેયી પાર્કનું નામ બદલીને ભલે કોકોનટ પાર્ક કરી દેવામાં આવ્યું છે, પરંતુ પાર્કમાં અટક બિહારી બાજપેઈનું બોર્ડ અત્યારે પણ પાર્ક બહાર લાગેલું છે અને વાજપેયીજીની મૂર્તિ પણ પાર્કની અંદર લાગેલી છે અને આ બંને સાથે કોઈ પણ છેડછાડ કરવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે, હાલના દિવસોમાં તેજ પ્રતાપ યાદવે ઘણા પાર્કોનું ઉદ્વઘાટન કર્યું છે. ધ્યાન આપવા જેવી વાત એ છે કે રાજધાનીમાં એક પણ પાર્ક બનાવવામાં આવ્યો નથી, પરંતુ તમામ જૂના પાર્કોને રંગકામ કરાવીને જ તેનું ઉદ્વઘાટન કરવામાં આવી રહ્યું છે. જેના કારણે સ્થાનિક લોકોમાં પણ નારાજગી છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે, તેજ પ્રતાપ યાદવ માત્ર શીલાપટ્ટ લગાવી રહ્યા છે. પાર્કોનું ઉદ્વઘાટન કરી રહ્યા છે. વાહવાહી હાંસલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ બધા પાર્ક પહેલાથી જ ઉપસ્થિત છે. માત્ર રંગકામ કરીને છોડ રોપીને તેજ પ્રતાપ યાદવ પાર્કોનું બસ ઉદ્વઘાટન કરી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.