બિહારમાં 2 મંદિરોમાં લગાવી આગ, કિશનગંજમાં તણાવ, પ્રશાસને સંભાળ્યો મોરચો

બિહારના કિશનગંજથી મોટા સમાચાર મળી રાય છે. અસામાજિક તત્વોએ એક મોટી ઘટનાને અંજામ આપ્યો છે. જિલ્લામાં 2 મંદિરોમાં આગ લગાવી દેવામાં આવી છે. ઘટનાને લઈને ખૂબ તણાવ છે. વહેલી સવારથી જ પ્રશાસન અને પોલીસની ટીમ ઘટનાસ્થળ પર કેમ્પ કરી રહી છે. ઘટનાના વિરોધમાં ગુસ્સે ભરાયેલા લોકોએ હોબાળો શરૂ કરી દીધો છે. રિપોર્ટ્સ મુજબ, મસ્તાન ચોક પાસે સ્થિત 2 મંદિરોમાં આગ લગાવવામાં આવી છે. ઘટના સવારે લગભગ 3:00 વાગ્યાની બતાવવામાં આવી રહી છે.

સૂચના મળતા જ જિલ્લા પ્રશાસન અને પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. ઘટનાસ્થળ પર ભેગી થયેલી ભીડ આરોપીઓની ધરપકડની માગ કરી રહી છે. પ્રશાસન પાસે વહેલી તકે મંદિરને સારું કરાવવાની માગ કરવામાં આવી રહી છે. ઘટનાના વિરોધમાં બહાદુર ગંજ મુખ્ય માર્ગને લોકોએ જામ કરી દીધો હતો. આ ઘટના પર પ્રશાસન શાંત છે. અત્યાર સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. રવિવારે સવારે જ કિશનગંજના બહાદૂર રોડમાં મસ્તાન ચોક નજીક ધાર્મિક સ્થળને નુકસાન પહોંચાડવાની જાણકારી મળતા લોકો ગુસ્સે ભરાઈ ગયા.

ધાર્મિક સ્થળમાં આગ લાગવાની જાણકારી મળતા જ સેકડો લોકો ભેગા થઈ ગયા તેમજ વિરોધમાં લોકોએ કિશનગંજ રોડને જામ કરી દીધો. ઘટનાની જાણકારી પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયા અને દોષીઓ વિરુદ્ધ કાર્યવાહીની માગ કરવા લાગ્યા. પોલીસે પણ ઘટનસ્થળે પહોંચીને ઘટનાની તપાસ કરીને સખત કાર્યવાહીનો ભરોસો આપ્યો.

લોકોની માગ પર નિર્માણ માટે તાત્કાલિક ઈંટ અને અન્ય સામગ્રી પાડવામાં આવી. જેથી જામ હટાવી શકાયું. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ હજુ તણાવ યથાવત છે. ભારે સંખ્યામાં પોલીસ બળ અલગ પોઈન્ટ પર મેજિસ્ટ્રેટ સાથે તૈનાત કરવામાં આવ્યું છે. લોકો આરોપીઓની 24 કલાકમાં ધરપકડ અને પ્રશાસનની દેખરેખમાં સરકારી ખર્ચ પર મંદિરના નિર્માણ અને CCTV કેમેરા અને લાઇટ લગાવવાની માગ કરતા રહ્યા. ત્યારબાદ કોઈક રીતે લોકોને સમજાવીને 10 વાગ્યા સુધી કામ સમાપ્ત કરવામાં આવ્યું.

થોડા દિવસ અગાઉ ઉત્તર પ્રદેશમાં પણ એવી જ એક ઘટના સામે આવી હતી. બલિયા જિલ્લાના ચિતબડાગાંવ પોલીસ સ્ટેશન ક્ષેત્રના મિર્ચી ખુર્દ ગામમાં સંત રવિદાસ મંદિરમાં આગ લગાવવાની ઘટના સામે આવી હતી. પોલીસે આ કેસમાં 5 લોકો વિરુદ્ધ કેસ દાખલ કરી લીધો હતો. તેમાંથી 2ને કસ્ટડીમાં પણ લઈ લેવામાં આવ્યા હતા. ઉપ-જિલ્લાધિકારી સદર પ્રશાંત નાયકે જણાવ્યું હતું કે ચિતબડાગાંવ પોલીસ સ્ટેશન ક્ષેત્રના મિર્ચી ખુર્દ ગામમાં સંત રવિદાસની મૂર્તિ રાખી હતી. રાતના સમયે એ મુરી અને છપ્પરને સળગાવી દેવામાં આવી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યો છે.

About The Author

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.