બિહારમાં 2 મંદિરોમાં લગાવી આગ, કિશનગંજમાં તણાવ, પ્રશાસને સંભાળ્યો મોરચો

બિહારના કિશનગંજથી મોટા સમાચાર મળી રાય છે. અસામાજિક તત્વોએ એક મોટી ઘટનાને અંજામ આપ્યો છે. જિલ્લામાં 2 મંદિરોમાં આગ લગાવી દેવામાં આવી છે. ઘટનાને લઈને ખૂબ તણાવ છે. વહેલી સવારથી જ પ્રશાસન અને પોલીસની ટીમ ઘટનાસ્થળ પર કેમ્પ કરી રહી છે. ઘટનાના વિરોધમાં ગુસ્સે ભરાયેલા લોકોએ હોબાળો શરૂ કરી દીધો છે. રિપોર્ટ્સ મુજબ, મસ્તાન ચોક પાસે સ્થિત 2 મંદિરોમાં આગ લગાવવામાં આવી છે. ઘટના સવારે લગભગ 3:00 વાગ્યાની બતાવવામાં આવી રહી છે.

સૂચના મળતા જ જિલ્લા પ્રશાસન અને પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. ઘટનાસ્થળ પર ભેગી થયેલી ભીડ આરોપીઓની ધરપકડની માગ કરી રહી છે. પ્રશાસન પાસે વહેલી તકે મંદિરને સારું કરાવવાની માગ કરવામાં આવી રહી છે. ઘટનાના વિરોધમાં બહાદુર ગંજ મુખ્ય માર્ગને લોકોએ જામ કરી દીધો હતો. આ ઘટના પર પ્રશાસન શાંત છે. અત્યાર સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. રવિવારે સવારે જ કિશનગંજના બહાદૂર રોડમાં મસ્તાન ચોક નજીક ધાર્મિક સ્થળને નુકસાન પહોંચાડવાની જાણકારી મળતા લોકો ગુસ્સે ભરાઈ ગયા.

ધાર્મિક સ્થળમાં આગ લાગવાની જાણકારી મળતા જ સેકડો લોકો ભેગા થઈ ગયા તેમજ વિરોધમાં લોકોએ કિશનગંજ રોડને જામ કરી દીધો. ઘટનાની જાણકારી પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયા અને દોષીઓ વિરુદ્ધ કાર્યવાહીની માગ કરવા લાગ્યા. પોલીસે પણ ઘટનસ્થળે પહોંચીને ઘટનાની તપાસ કરીને સખત કાર્યવાહીનો ભરોસો આપ્યો.

લોકોની માગ પર નિર્માણ માટે તાત્કાલિક ઈંટ અને અન્ય સામગ્રી પાડવામાં આવી. જેથી જામ હટાવી શકાયું. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ હજુ તણાવ યથાવત છે. ભારે સંખ્યામાં પોલીસ બળ અલગ પોઈન્ટ પર મેજિસ્ટ્રેટ સાથે તૈનાત કરવામાં આવ્યું છે. લોકો આરોપીઓની 24 કલાકમાં ધરપકડ અને પ્રશાસનની દેખરેખમાં સરકારી ખર્ચ પર મંદિરના નિર્માણ અને CCTV કેમેરા અને લાઇટ લગાવવાની માગ કરતા રહ્યા. ત્યારબાદ કોઈક રીતે લોકોને સમજાવીને 10 વાગ્યા સુધી કામ સમાપ્ત કરવામાં આવ્યું.

થોડા દિવસ અગાઉ ઉત્તર પ્રદેશમાં પણ એવી જ એક ઘટના સામે આવી હતી. બલિયા જિલ્લાના ચિતબડાગાંવ પોલીસ સ્ટેશન ક્ષેત્રના મિર્ચી ખુર્દ ગામમાં સંત રવિદાસ મંદિરમાં આગ લગાવવાની ઘટના સામે આવી હતી. પોલીસે આ કેસમાં 5 લોકો વિરુદ્ધ કેસ દાખલ કરી લીધો હતો. તેમાંથી 2ને કસ્ટડીમાં પણ લઈ લેવામાં આવ્યા હતા. ઉપ-જિલ્લાધિકારી સદર પ્રશાંત નાયકે જણાવ્યું હતું કે ચિતબડાગાંવ પોલીસ સ્ટેશન ક્ષેત્રના મિર્ચી ખુર્દ ગામમાં સંત રવિદાસની મૂર્તિ રાખી હતી. રાતના સમયે એ મુરી અને છપ્પરને સળગાવી દેવામાં આવી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યો છે.

About The Author

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.