ભાજપના પૂર્વ ધારાસભ્ય જવાહર પ્રસાદની ધરપકડ, જાણો આખો મામલો

બિહારના સાસારામમાં રામનવમીના દિવસે થયેલી હિંસાના મામલામાં રોહતાસ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ મામલામાં રોહતાસ પોલીસે BJPના પૂર્વ MLA જવાહર પ્રસાદની ધરપકડ કરી છે. શુક્રવારે રાત્રે પોલીસ જવાહર પ્રસાદના ઘરે પહોંચી અને ત્યારબાદ તેની ધરપકડ કરી. જવાહર પ્રસાદ પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.

આ સંદર્ભમાં એક નિવેદન બહાર પાડીને પોલીસે કહ્યું કે, '28 એપ્રિલ સુધી પોલીસે 63 લોકોની ધરપકડ કરી છે અને 31 માર્ચે સાસારામ શહેરમાં થયેલા સાંપ્રદાયિક અશાંતિના સંબંધમાં બે આરોપીઓએ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું છે. 28 એપ્રિલની રાત્રે કોર્ટમાંથી મળેલા બિનજામીનપાત્ર વોરંટનો અમલ કરતી વખતે આ કેસના પ્રાથમિક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં જવાહર પ્રસાદ, અસીમ નંદીનો સમાવેશ થાય છે. બંનેની ધરપકડ કર્યા બાદ તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

સાસારામ રમખાણોમાં BJPના પૂર્વ ધારાસભ્યની ધરપકડ પર બોલતા CM નીતિશ કુમારે કહ્યું કે, જો કોઈ દોષિત હશે તો તેની તપાસ થશે અને કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, બિહારમાં બે જગ્યાએ થયેલા રમખાણો પર અમે ચાંપતી નજર રાખી રહ્યા છીએ. જે લોકો દોષિત હશે, તેઓ કોઈપણ પક્ષના હોય તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

બિહાર પોલીસ દ્વારા એવી પણ માહિતી આપવામાં આવી છે કે, શનિવારે આ સંબંધમાં 12 આરોપીઓ વિરુદ્ધ જાહેરાત પણ આપવામાં આવશે. જ્યારે બાકીના 38 આરોપીઓ કે, જેમના બિનજામીનપાત્ર વોરંટ કોર્ટ દ્વારા બહાર પાડવામાં આવ્યા છે, તેમની ધરપકડ માટે સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે.

અહીં તમને જણાવી દઈએ કે, બિહારના નાલંદા અને સાસારામમાં રામ નવમી બાદ હિંસા ફાટી નીકળી હતી. નગર પોલીસ સ્ટેશન વિસ્તારના સહજલાલ પીર વિસ્તારમાં બંને પક્ષો વચ્ચે તણાવ બાદ પથ્થરમારો અને બોમ્બ ધડાકાની ઘટના સામે આવ્યા બાદ તણાવ ફેલાયો હતો.

સાસારામ અને બિહાર શરીફમાં રામ નવમીના દિવસે હિંસા ફાટી નીકળી હતી. આ પછી સાસારામમાં બોમ્બ વિસ્ફોટ અને અનેક રાઉન્ડ ફાયરિંગની ઘટનાઓ પણ બની હતી. બિહારશરીફ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે સાસારામમાં છ લોકો ઘાયલ થયા હતા. વીડિયો ફૂટેજના આધારે કાર્યવાહી કરીને નાલંદા પોલીસે 263 લોકોની ધરપકડ કરી હતી. બગડેલી પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વહીવટીતંત્રે ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવાની સાથે સાથે કલમ 144 લગાવવી પડી હતી.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.