પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો પછી ખેડૂતોએ પોલીસની ગાડીઓને લગાવી આગ

બિહારના બક્સરમાં પોલીસે ખેડૂતોના ભારે વિરોધનો સામનો કરવો પડ્યો. ખેડૂતોએ ભારે પ્રદર્શન કર્યું અને બસોમાં આગ લગાવી દીધી. પોલીસની ગાડીઓ પણ આગને હવાલે કરી દીધી. ચૌસામાં એસજેવીએનના પાવર પ્લાન્ટ માટે જમીન અધિગ્રહિત કરવામાં આવી રહી છે. ખેડૂત વળતરને લઈને ઘણા સમયથી પ્રદર્શન કરી રહ્યા છે. દરમિયાન પોલીસે અડધી રાત્રે ખેડૂતોના ઘરોમાં ઘૂસીને લાઠીચાર્જ કર્યો. ખેડૂતોને માર મારવામાં આવ્યો, ત્યારબાદ આજે ખેડૂતો ગુસ્સે થઈ ગયા હતા. પોલીસે ખેડૂતોને ખસેડી દીધા છે પરંતુ, માહોલ તણાવપૂર્ણ છે. ખેડૂતો બાદ પોલીસની બર્બરતાનો વીડિયો પણ છે, જેને લઈને તેઓ ઘણા સવાલ પણ પૂછી રહ્યા છે.

બક્સર જિલ્લામાં પોલીસનો અમાનવીય ચેહરો જોવા મળ્યો છે. અહીં રાત્રે 12 વાગ્યે ઘરમાં સૂઈ રહેલા ખેડૂતો પર પોલીસે બર્બરતાપૂર્વક લાઠી વરસાવી. તેનો વીડિયો ખેડૂતોના પરિવારજનોએ શેર કરીને પૂછ્યો કે, અપરાધીઓની સામે ઘૂંટણીયે પડનારી પોલીસે આખરે અમને આટલો બર્બરતાપૂર્વક શા માટે માર માર્યો? પોલીસની કાર્યવાહીએ ખેડૂતો ઉગ્ર થઈ ગયા અને તેમણે પોલીસની ગાડીઓમાં આગ લગાવી દીધી. ચૌસામાં એસજેવીએન દ્વારા પાવર પ્લાન્ટ માટે ખેડૂતોના ભૂમિ અધિગ્રહણ 2010-11 પહેલા જ કરવામાં આવ્યું હતું. ખેડૂતોએ 2010-11ના સર્કલ રેટ અનુસાર વળતર મળ્યું. કંપનીએ 2022માં જમીન અધિગ્રહણ કરવાની કાર્યવાહી શરૂ કરી તો ખેડૂતો હવે વર્તમાન દર પ્રમાણે અધિગ્રહણ કરનારી જમીનના વળતરની માંગ રહી છે.

ખેડૂતોનો આરોપ છે કે, કંપની જુના દર પર જ વળતર આપીને જબરદસ્તી જમીન અધિગ્રહણ કરી રહી છે. તેના વિરોધમાં છેલ્લાં 2 મહિનાથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. તેના પર પોલીસે રાત્રે ઘરમાં ઘૂસીને મહિલાઓ-પુરુષોની સાથે જ બાળકો પર બર્બરતાપૂર્વક લાઠીચાર્જ કર્યો. તેના કારણે ખેડૂતો નારાજ થઈ ગયા અને પોલીસે સાથે તેમની હિંસક ઝડપ થઈ ગઈ, જેમા ઘણી ગાડીઓને આગના હવાલે કરી દેવામાં આવી. ચૌસામાં થર્મલ પાવર પ્લાન્ટ લગાવતા પહેલા જિલ્લાના ખેડૂતોને કંપનીએ વાયદો કર્યો હતો કે તે પોતાના સીએસઆર ફંડથી અહીં સ્કૂલ, હોટેલ અને રોજગારના અવસર પૂરા પાડશે, ચારેબાજુએ ખુશી હશે, નોકરીમાં સ્થાનિક લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે. પરંતુ, જેવી ખેડૂતોએ એગ્રીમેન્ટ પર સાઈન કરી દીધી, ત્યારબાદ કંપની પોતાના વાયદાઓ પરથી પલટી ગઈ.

ખેડૂતોના ઘરમાં ઘૂસીને 12 વાગ્યે લાઠી વરસાવનારા મુફસ્સિલ પોલીસ સ્ટેશનના પોલીસ અમિત કુમારનું કહેવુ છે કે, એસજેવીએન પાવર પ્લાન્ટ દ્વારા જે-જે ખેડૂતો પર FIR દાખલ કરાવી હતી, તેમને પોલીસ રાત્રે પકડવા ગઈ હતી, પહેલા એ લોકોએ હુમલો કર્યો, ત્યારબાદ પોલીસે લાઠીઓ વરસાવી. જિલ્લાના મોટા પોલીસ અધિકારીથી લઈને પોલીસ અધિકારી સુધી ખેડૂતો પર હુમલો કરવાનો આરોપ લગાવીને માર મારવાની વાત કરી રહ્યા છે પરંતુ, એક CCTV ફુટેજે પોલીસના ચેહરાને બધાની સામે લાવી દીધો છે. તેમા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, પોલીસ ખેડૂતના ઘરની બહાર પહેલાથી ઊભી છે અને દરવાજા બંધ છે. પોલીસને એ વાતનો ખ્યાલ પણ નહોતો કે ગ્રામીણ વિસ્તારના ખેડૂતોએ પણ પોતાને ત્યાં CCTV લગાવ્યા હશે. બક્સરની ઘટના પર BJPએ દુઃખ વ્યક્ત કર્યું છે. BJP પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે, આ ખૂબ જ અત્યંત દુઃખદ છે કે બિહારની જનતા BJPને વોટ આપીને વિકાસ જોવા માંગે છે, તેઓ જંગલરાજ જોઈ રહ્યા છે, લાઠીચાર્જ આ વખતે ખેડૂતો પર થયો. અગાઉ વિદ્યાર્થીઓ પર થયો હતો, લાઠીચાર્જ માફિયાઓ પર નહીં પરંતુ વિદ્યાર્થીઓ અને ખેડૂતો પર થઈ રહ્યો છે અને આ બિહારમાં જંગલરાજનું પ્રમાણ છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.