સરકારી શાળાના મીડ ડે મીલમાં મરેલો સાપ નિકળ્યો, 100 બાળકો બીમાર

સરકારી મધ્યાહન યોજના જાણે મજાક બની ગઇ હોય એવું લાગે છે. અનેક વખત એવા સમાચાર સામે આવે છે કે શાળાના મીડ ડે મીલમાં કીડા નિકળ્યા, વંદા નિકળ્યા કે ગરોળી  નિકળી, બિહારની એક સરકારી શાળામાં તો લાપરવાહીના પરકાષ્ઠા જોવા મળી છે. બિહારના અરરિયાની એક સરકારી શાળાના મધ્યાહન ભોજન યોજનામાં મરેલો સાપ નિકળતા હડકંપ મચી ગયો છે.જયાં સુધીમાં જમવામાં મરેલા સાપની જાણકારી સામે આવી ત્યા સુધીમાં 100 બાળકોએ ભોજન કરી લીધું હતું. ભોજનમાં સાપ નિકળ્યો હોવાની માહિતી મળતા વિદ્યાર્થીઓના માતા-પિતાઓ લાઠી ડંડા લઇને શાળાએ પહોંચ્યા હતા અને ભારે હંગામો મચાવી દીધો હતો. આખરે પોલીસ બોલાવવામાં આવી હતી. બાળકોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

બિહારના અરરિયામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંની એક સરકારી શાળાના મધ્યાહન ભોજનમાં એક સાપ મળી આવ્યો છે. આ ખોરાક ખાવાને કારણે 100 જેટલા બાળકો બીમાર પડ્યા છે. આ ઘટના સામે આવ્યા બાદ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને લોકો તે વ્યક્ત પણ કરી રહ્યા છે.

આ મામલો અરરિયાના ફોર્બ્સગંજ બ્લોક વિસ્તારની અમૌના મિડલ સ્કૂલનો છે. અહીં એક NGO દ્વારા આપવામાં આવતા મધ્યાહન ભોજનમાં એક સાપ જોવા મળ્યો હતો. આ ખોરાક ખાધા પછી ડઝનબંધ શાળાના વિદ્યાર્થીઓ બીમાર પડ્યા. આ પછી, શાળાના બાળકોને ફોર્બ્સગંજ સબ-ડિવિઝનલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં તબીબોની ટીમે બાળકોની સારવાર કરી હતી અને હાલ બાળકો સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટનાની જાણકારી મળ્યા બાદ જિલ્લાના તમામ અધિકારીઓ હોસ્પિટલ પહોંચી ગયા હતા અને બાળકો અને પરિવાર સાથે વાતચીત કરી હતી. આ ઘટના વિશે અરરિયાના SDMએ કહ્યું હતું કે, બધા બાળકો સુરક્ષિત અને સ્વસ્થ છે. ખાવામાં સાપ નિકળવાને કારણે થોડી અફડાતફડી મચી ગઇ હતી, પરંતુ હવે કોઇ પરેશાની નથી. તપાસ માટે એક ટીમની રચના કરવામાં આવી છે અને સખત કાર્યવાહી કરવામાં આવશે.

આ ઘટનાથી વાલીઓમાં ભારે આક્રોશ છે અને શાળા સંચાલકો સામે પગલાં લેવાની વાત કરી છે. શાળામાં બાળકોને મધ્યાહન ભોજન આપવામાં આવે છે તે સારી વાત છે, પરંતુ કોઇ પણ લાપરવાહી બાળકોના જીવને જોખમ ઉભી કરી શકે એટલે લાપરવાહી કોઇ પણ સજોગોમાં ચલાવી લેવી ન જોઇએ

About The Author

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.