સરકારી શાળાના મીડ ડે મીલમાં મરેલો સાપ નિકળ્યો, 100 બાળકો બીમાર

સરકારી મધ્યાહન યોજના જાણે મજાક બની ગઇ હોય એવું લાગે છે. અનેક વખત એવા સમાચાર સામે આવે છે કે શાળાના મીડ ડે મીલમાં કીડા નિકળ્યા, વંદા નિકળ્યા કે ગરોળી  નિકળી, બિહારની એક સરકારી શાળામાં તો લાપરવાહીના પરકાષ્ઠા જોવા મળી છે. બિહારના અરરિયાની એક સરકારી શાળાના મધ્યાહન ભોજન યોજનામાં મરેલો સાપ નિકળતા હડકંપ મચી ગયો છે.જયાં સુધીમાં જમવામાં મરેલા સાપની જાણકારી સામે આવી ત્યા સુધીમાં 100 બાળકોએ ભોજન કરી લીધું હતું. ભોજનમાં સાપ નિકળ્યો હોવાની માહિતી મળતા વિદ્યાર્થીઓના માતા-પિતાઓ લાઠી ડંડા લઇને શાળાએ પહોંચ્યા હતા અને ભારે હંગામો મચાવી દીધો હતો. આખરે પોલીસ બોલાવવામાં આવી હતી. બાળકોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

બિહારના અરરિયામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંની એક સરકારી શાળાના મધ્યાહન ભોજનમાં એક સાપ મળી આવ્યો છે. આ ખોરાક ખાવાને કારણે 100 જેટલા બાળકો બીમાર પડ્યા છે. આ ઘટના સામે આવ્યા બાદ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને લોકો તે વ્યક્ત પણ કરી રહ્યા છે.

આ મામલો અરરિયાના ફોર્બ્સગંજ બ્લોક વિસ્તારની અમૌના મિડલ સ્કૂલનો છે. અહીં એક NGO દ્વારા આપવામાં આવતા મધ્યાહન ભોજનમાં એક સાપ જોવા મળ્યો હતો. આ ખોરાક ખાધા પછી ડઝનબંધ શાળાના વિદ્યાર્થીઓ બીમાર પડ્યા. આ પછી, શાળાના બાળકોને ફોર્બ્સગંજ સબ-ડિવિઝનલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં તબીબોની ટીમે બાળકોની સારવાર કરી હતી અને હાલ બાળકો સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટનાની જાણકારી મળ્યા બાદ જિલ્લાના તમામ અધિકારીઓ હોસ્પિટલ પહોંચી ગયા હતા અને બાળકો અને પરિવાર સાથે વાતચીત કરી હતી. આ ઘટના વિશે અરરિયાના SDMએ કહ્યું હતું કે, બધા બાળકો સુરક્ષિત અને સ્વસ્થ છે. ખાવામાં સાપ નિકળવાને કારણે થોડી અફડાતફડી મચી ગઇ હતી, પરંતુ હવે કોઇ પરેશાની નથી. તપાસ માટે એક ટીમની રચના કરવામાં આવી છે અને સખત કાર્યવાહી કરવામાં આવશે.

આ ઘટનાથી વાલીઓમાં ભારે આક્રોશ છે અને શાળા સંચાલકો સામે પગલાં લેવાની વાત કરી છે. શાળામાં બાળકોને મધ્યાહન ભોજન આપવામાં આવે છે તે સારી વાત છે, પરંતુ કોઇ પણ લાપરવાહી બાળકોના જીવને જોખમ ઉભી કરી શકે એટલે લાપરવાહી કોઇ પણ સજોગોમાં ચલાવી લેવી ન જોઇએ

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.