કાળમૂખી કારની ટક્કરથી બાઇક સવાર પતિ-પત્ની, પુત્રનું મોત

બરવાનીમાં એક ઝડપી કારે બાઇકને ટક્કર મારી હતી. જેમાં બાઇક સવાર પતિ, પત્ની અને પુત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તેમના અંતિમ સંસ્કાર માટે આખું ગામ ઉમટી પડ્યું હતું. એકસાથે ત્રણ નનામીઓ નીકળી હતી. આદિવાસી પરંપરા મુજબ મુખાગ્નિ પહેલા લાયસન્સવાળી બંદૂકોથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ધનુષમાંથી તીર પણ છોડ્યા હતા. આ પછી તેમનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત શુક્રવારે રાત્રે લગભગ 9.30 વાગ્યે થયો હતો. કન્નડગાંવનો રહેવાસી સુદામ (28), પત્ની મનીષા (23) અને પુત્ર ભરત (6) સાથે બાઇક પર નિવાલીથી ઘરે પરત ફરી રહ્યો હતો. દરમિયાન સેંધવા-ખેતિયા સ્ટેટ હાઈવે પર મોગરી ખેડા પાસે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ કારચાલક કાર મુકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે કાર કબજે કરી છે. ત્રણેયના મૃતદેહને ખાનગી વાહનો અને એમ્બ્યુલન્સની મદદથી સેંધવા સિવિલ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. ગ્રામ્ય પોલીસ સ્ટેશને રૂટ નક્કી કર્યો છે.

મૃતકના પરિજનોએ જણાવ્યું કે, સુદામ તેની પત્ની મનીષા અને પુત્ર ભરત સાથે શુક્રવારે સાંજે 5 વાગ્યાની આસપાસ નિવાલી હોસ્પિટલ ગયો હતો. તાવના કારણે પત્ની અને બાળકને ડોક્ટરને બતાવ્યા અને 8 વાગ્યે નિવાલીથી ઘરે જવા નીકળ્યા. ઘટનાસ્થળથી માત્ર 500 મીટર દૂર જ કન્નડગાંવ જવા માટે એક વળાંક હતો, તે પહેલાં જ તેને એક કારે ટક્કર મારી હતી.

ગ્રામજનો પાસેથી મળતી માહિતી મુજબ સુદામે બે લગ્ન કર્યા હતા. પહેલી પત્નીએ તેને છોડીને કશેક ચાલી ગઈ હતી, ત્યારબાદ તેણે મનીષા સાથે બીજા લગ્ન કર્યા. સુદામ ખેતીકામ કરતો હતો. તેમના પિતા કન્નડગાંવના ભૂતપૂર્વ સરપંચ રહી ચૂક્યા છે, તેમનું મૃત્યુ કોરોના સમયગાળા દરમિયાન થયું હતું.

અકસ્માત અંગે V.D. શર્માએ ટ્વિટ કરીને લખ્યું કે, બરવાની જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં એક પરિવારના ત્રણ લોકોના અકાળે મોતના સમાચાર અત્યંત દુઃખદ છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ મૃતકોના આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને આ નુકસાન સહન કરવાની શક્તિ આપે.

મેડિકલ એજ્યુકેશન મિનિસ્ટર વિશ્વાસ કૈલાશ સારંગે કહ્યું કે, બરવાની જિલ્લામાં માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ અમૂલ્ય જીવોના અકાળે મોતના સમાચાર અત્યંત દુઃખદાયક છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ દિવંગત આત્માઓને તેમના ચરણોમાં સ્થાન આપે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને આ અકાળે થયેલા મૃત્યુના દુઃખને સહન કરવાની શક્તિ આપે.

About The Author

Top News

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

તેલંગાણાના નિર્મલ જિલ્લાના આ ચૂંટણીના સમાચાર સાબિત કરે છે કે, દરેક લોકોએ મત આપવો કેટલો મહત્વપૂર્ણ હોય છે. અહીં...
National 
પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.