BJPએ શોધી કાઢ્યો કોંગ્રેસને ઘેરવાનો K3 ફોર્મ્યૂલા, કર્ણાટક જીતનો ફાયદો નહીં થાય

કમિશન, કરપ્શન અને કોંગ્રેસ ત્રણ ફેક્ટર એવા હતા, જેણે ભારતીય જનતા પાર્ટી પાસેથી કર્ણાટકમાં સત્તા છીનવી લીધી. હવે આ જ મુદ્દાઓને કોંગ્રેસ વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટી (BJP) હથિયાર બનાવીને ઉપયોગ કરી રહી છે. ક્યારેક પોસ્ટર તો ક્યારેક કાર્ટૂન દ્વારા ભાજપ કોંગ્રેસ પર નિશાનો સાધી રહી છે. રાજનીતિના ‘K’ ફેક્ટરને કોંગ્રેસે કર્ણાટક માટે તૈયાર કર્યું, પરંતુ હવે ભાજપ ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપે એક કાર્ટૂન પોસ્ટર જાહેર કરી સીધી રીતે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ, કરપ્શન અને કોમ્પિટિશન આ જ તેમની હકીકત છે.

ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર ટ્વીટર અકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલા આ કાર્ટૂન પોસ્ટરમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જૂન ખડગે, સિદ્ધરમૈયા અને ડી.કે. શિવકુમારને દેખાડતા આ કટાક્ષ કરવામાં આવ્યો છે કે કોંગ્રેસમાં કરપ્શનનું કોમ્પિટિશન ચાલી રહ્યું છે. ભાજપે સિદ્ધારમૈયા પર ડી.કે. શિવકુમારની તુલનામાં ભ્રષ્ટાચારના વધુ કેસ હોવાની વાત કહેતા અપ્રત્યક્ષ રૂપે એમ કહેવાનો પ્રયાસ કર્યો છે કે સિદ્ધરમૈયા પર ભ્રષ્ટાચારના વધુ કેસ છે એટલે ગાંધી પરિવારે તેમને કર્ણાટકના મુખ્યમંત્રી બનાવ્યા છે.

તેમાં રાહુલ ગાંધી પર પ્રહાર કરતા નેશનલ હેરાલ્ડ કૌભાંડનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભાજપ IT સેલના હેડ અમિત માલવીયએ ગુરુવારના દિવસે જ એક કાર્ટૂન પોસ્ટર જાહેર કરતા આ આરોપ લગાવ્યા હતા. તેમને કહ્યું હતું કે, ભ્રષ્ટાચારના વધુ કેસોના કારણે જ સિદ્ધરમૈયાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. હવે ગાંધી પરિવારને ખુશ રાખવા માટે હકીકતમાં સરકાર ચલાવનારા ડી.કે. શિવકુમાર કર્ણાટકને એક ATM બનાવી દેશે. જો કે, એ કાર્ટૂનમાં સોનિયા ગાંધી સામેલ નહોતા.

લોકસભાની ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં લઈને હવે ભાજપે સરકાર રચવા અગાઉ જ કર્ણાટક પર બનાવવામાં આવેલી નીતિઓને લઈને કોંગ્રેસને ઘેરવાની શરૂઆત કરી દીધી છે. ભાજપે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે, પાર્ટી રાજ્યના લિંગાયત અને અનુસૂચિત જાતિઓને નજરઅંદાજ કરી રહી છે. ભાજપ લિંગાયતના મુદ્દા એટલે પણ ઉઠાવી રહી છે કેમ કે વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીનો સાથ છોડનાર લિંગાયત મતદાતાઓને લોકસભાની ચૂંટણી અગાઉ ફરીથી ભાજપના પક્ષમાં કરી શકાય.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.