ઉદ્ધવ જૂથ પર BJP નરમ પડી રહી છે? કારણ શું હોઈ શકે

PC: aajtak.in

BJPએ પહેલા સત્તા અને પછી ઉદ્ધવ ઠાકરે પાસેથી પાર્ટી છીનવીને તેના ભૂતપૂર્વ સાથી પક્ષને હરાવ્યા. પરંતુ હવે એવા સંકેત મળી રહ્યા છે કે, બંને વચ્ચેના સંબંધોમાં ખટાશ ઓછી થઈ રહી છે. DyCM દેવેન્દ્ર ફડણવીસે, જેમણે 2019ની વિધાનસભાની ચૂંટણી પછીની તમામ રાજનીતિ રમ્યા હતા, તેમણે ગયા અઠવાડિયે સૂચન કર્યું હતું કે, એકબીજા પર દોષારોપણ બંધ કરવાની જરૂર છે.

DyCM દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, 'અમે અમારા રાજકીય હરીફોને દુશ્મન માનતા નથી. ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેએ અલગ રસ્તો પસંદ કર્યો છે, અમારો રસ્તો અલગ છે. અમે દુશ્મનો નથી, અમારામાં વૈચારિક મતભેદો છે.'

BJPએ શિવસેનાથી વિભાજિત થયા પછી બંને પક્ષો વચ્ચે એક વર્ષ સુધી ચાલેલી લડાઈ પછી, DyCM દેવેન્દ્ર ફડણવીસે પણ રાજ્યના રાજકારણના વળાંક પર નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'મહારાષ્ટ્ર તેની સભ્ય અને સંસ્કારી લાક્ષણિકતાઓ માટે જાણીતું છે, જે તેની સાહજિક શક્તિઓ છે.'

BJP સાથે સત્તામાં રહેલા CM એકનાથ શિંદે જૂથને પણ પાર્ટીનું નામ અને પ્રતીક મળી ગયું છે. પરંતુ BJP એ પણ જાણે છે કે સહાનુભૂતિની લહેર ઉદ્ધવ ઠાકરે સાથે છે. શિવસેનાની સ્થાપના બાળ ઠાકરે દ્વારા કરવામાં આવી હતી ત્યારથી શિવસેના અને પરિવારને એક જ તરીકે જોવામાં આવે છે અને ઘણા વફાદારોએ ECની કાર્યવાહીને પક્ષપાતી અને કેન્દ્રની BJP સરકારથી પ્રભાવિતના રૂપમાં જોઈ રહ્યા છે.

ઉદ્ધવ ઠાકરે આના પર રમી રહ્યા છે અને કહી રહ્યા છે કે, તેમના પિતાનો વારસો લૂંટવામાં આવ્યો છે, અને BJP પાસેથી બદલો લેવાની સોગંધ ખાઈ રહ્યા છે. આવા પ્રકારનું એક ગીત પહેલાથી જ સેનાની રેન્કમાં લોકપ્રિય છે. BJP જાણે છે કે, જો ઉદ્ધવ સેના પક્ષના અત્યંત લાગણીશીલ અનુયાયીઓ સાથે વિશ્વાસઘાતનો એક નક્કર પુરાવો રજૂ કરવામાં સક્ષમ હોય તો, આ રમત ઝડપથી પલટાઈ શકે છે.

BJPના એક વરિષ્ઠ કાર્યકર્તાએ સૂત્રો સાથેની એક વાતચીતમાં જણાવ્યું હતું કે, 'પાર્ટીના નામ અને ચિહ્ન માટે લડાઈ ઉદ્ધવ સેના અને CM શિંદે જૂથ વચ્ચે હતી. પરંતુ ઉદ્ધવની તરફેણની જનભાવનાથી BJPની છાપ ખરાબ થશે. અમારે આ વર્ષે થનારી BMCની ચૂંટણીઓ અને 2024માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં અમારો રોડમેપ બરાબર કરવો પડશે અને ચાર્ટ કાળજીપૂર્વક સુધારવો પડશે.'

BJPના અન્ય નેતાઓ એવી પણ દલીલ કરે છે કે, પાર્ટીનો મુખ્ય ઉદ્દેશ્ય 2019માં NDA છોડવા માટે ઉદ્ધવ ઠાકરેને પાઠ ભણાવવાનો હતો અને તે હાંસલ કરી લેવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે, હવે પાર્ટીએ તેનાથી આગળ વધવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp