ઉદ્ધવ જૂથ પર BJP નરમ પડી રહી છે? કારણ શું હોઈ શકે

BJPએ પહેલા સત્તા અને પછી ઉદ્ધવ ઠાકરે પાસેથી પાર્ટી છીનવીને તેના ભૂતપૂર્વ સાથી પક્ષને હરાવ્યા. પરંતુ હવે એવા સંકેત મળી રહ્યા છે કે, બંને વચ્ચેના સંબંધોમાં ખટાશ ઓછી થઈ રહી છે. DyCM દેવેન્દ્ર ફડણવીસે, જેમણે 2019ની વિધાનસભાની ચૂંટણી પછીની તમામ રાજનીતિ રમ્યા હતા, તેમણે ગયા અઠવાડિયે સૂચન કર્યું હતું કે, એકબીજા પર દોષારોપણ બંધ કરવાની જરૂર છે.

DyCM દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, 'અમે અમારા રાજકીય હરીફોને દુશ્મન માનતા નથી. ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેએ અલગ રસ્તો પસંદ કર્યો છે, અમારો રસ્તો અલગ છે. અમે દુશ્મનો નથી, અમારામાં વૈચારિક મતભેદો છે.'

BJPએ શિવસેનાથી વિભાજિત થયા પછી બંને પક્ષો વચ્ચે એક વર્ષ સુધી ચાલેલી લડાઈ પછી, DyCM દેવેન્દ્ર ફડણવીસે પણ રાજ્યના રાજકારણના વળાંક પર નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'મહારાષ્ટ્ર તેની સભ્ય અને સંસ્કારી લાક્ષણિકતાઓ માટે જાણીતું છે, જે તેની સાહજિક શક્તિઓ છે.'

BJP સાથે સત્તામાં રહેલા CM એકનાથ શિંદે જૂથને પણ પાર્ટીનું નામ અને પ્રતીક મળી ગયું છે. પરંતુ BJP એ પણ જાણે છે કે સહાનુભૂતિની લહેર ઉદ્ધવ ઠાકરે સાથે છે. શિવસેનાની સ્થાપના બાળ ઠાકરે દ્વારા કરવામાં આવી હતી ત્યારથી શિવસેના અને પરિવારને એક જ તરીકે જોવામાં આવે છે અને ઘણા વફાદારોએ ECની કાર્યવાહીને પક્ષપાતી અને કેન્દ્રની BJP સરકારથી પ્રભાવિતના રૂપમાં જોઈ રહ્યા છે.

ઉદ્ધવ ઠાકરે આના પર રમી રહ્યા છે અને કહી રહ્યા છે કે, તેમના પિતાનો વારસો લૂંટવામાં આવ્યો છે, અને BJP પાસેથી બદલો લેવાની સોગંધ ખાઈ રહ્યા છે. આવા પ્રકારનું એક ગીત પહેલાથી જ સેનાની રેન્કમાં લોકપ્રિય છે. BJP જાણે છે કે, જો ઉદ્ધવ સેના પક્ષના અત્યંત લાગણીશીલ અનુયાયીઓ સાથે વિશ્વાસઘાતનો એક નક્કર પુરાવો રજૂ કરવામાં સક્ષમ હોય તો, આ રમત ઝડપથી પલટાઈ શકે છે.

BJPના એક વરિષ્ઠ કાર્યકર્તાએ સૂત્રો સાથેની એક વાતચીતમાં જણાવ્યું હતું કે, 'પાર્ટીના નામ અને ચિહ્ન માટે લડાઈ ઉદ્ધવ સેના અને CM શિંદે જૂથ વચ્ચે હતી. પરંતુ ઉદ્ધવની તરફેણની જનભાવનાથી BJPની છાપ ખરાબ થશે. અમારે આ વર્ષે થનારી BMCની ચૂંટણીઓ અને 2024માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં અમારો રોડમેપ બરાબર કરવો પડશે અને ચાર્ટ કાળજીપૂર્વક સુધારવો પડશે.'

BJPના અન્ય નેતાઓ એવી પણ દલીલ કરે છે કે, પાર્ટીનો મુખ્ય ઉદ્દેશ્ય 2019માં NDA છોડવા માટે ઉદ્ધવ ઠાકરેને પાઠ ભણાવવાનો હતો અને તે હાંસલ કરી લેવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે, હવે પાર્ટીએ તેનાથી આગળ વધવું જોઈએ.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.